Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છથી કરાચી સુધી વાવાઝોડાનો કહેર, પાકિસ્તાનમાં 62,000 લોકો બેઘર બન્યા

ચક્રવાત 'બિપોરજોય'ના ખતરાને જોતા પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતમાં 67,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં વાવાઝોડાને કારણે થયેલા ભારે વરસાદને કારણે અનેક શહેરોમાં પૂરની...
કચ્છથી કરાચી સુધી વાવાઝોડાનો કહેર  પાકિસ્તાનમાં 62 000 લોકો બેઘર બન્યા

ચક્રવાત 'બિપોરજોય'ના ખતરાને જોતા પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતમાં 67,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં વાવાઝોડાને કારણે થયેલા ભારે વરસાદને કારણે અનેક શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

Advertisement

બિપરજોય, જે "ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડા" માં પ્રવર્તિત થયું છે તે ભારતના કચ્છ અને પાકિસ્તાનમાં સિંધના થટ્ટા જિલ્લામાં આવેલા કેટી બંદર વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. સિંધના CM આવાસથી મળેલી માહિતી અનુસાર, ત્રણ સંવેદનશીલ જિલ્લા થટ્ટા, સુજાવલ અને બદીનમાંથી 67,367 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ સ્થળોએ 39 રાહત શિબિરો બનાવવામાં આવ્યા છે. આ કેમ્પોમાં લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે સ્થળાંતર કરાયેલા લગભગ અડધા લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે જ્યારે અન્ય લોકોએ તેમના સંબંધીઓ સાથે સુરક્ષિત વિસ્તારોમાં રહેવાનું પસંદ કર્યું છે. સિંધના એક મંત્રીએ જણાવ્યું કે, "અત્યાર સુધી થટ્ટા, કેટી બંદર, સુજાવલ, બદીન, ઉમરકોટ, થરપારકર, શહીદ બેનઝીરાબાદ, તાંડો મુહમ્મદ ખાન, તાંડો અલ્લાહયાર અને સંઘારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે."

Advertisement

પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં લોકોને સરકારી શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં મજબૂત ઈમારતોમાં સમાવવામાં આવ્યા છે અને પર્યાપ્ત ખોરાક, પાણી અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. મેમને કહ્યું કે થટ્ટા, કેટી બંદર અને સુજાવલના કેટલાક વિસ્તારોમાં કેટલાક પરિવારો તેમના ઘર છોડવા તૈયાર ન હતા, પરંતુ સુરક્ષાના કારણોસર તેમને બળજબરીથી બહાર કાઢવા પડ્યા હતા.

પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત બિપોરજોય ગુરુવારે બપોર અને સાંજની વચ્ચે દસ્તક આપી શકે છે અને તેની સાથે ભારે વરસાદ અને તોફાન લાવશે. જેના કારણે પાકિસ્તાનના કરાચી જેવા શહેરોમાં ભારે પૂર આવી શકે છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ અનુસાર, તોફાન કરાચીથી લગભગ 310 કિમી, થટ્ટાથી 300 કિમી અને કેટી બંદરથી 240 કિમી દૂર છે. સાવચેતીના પગલા તરીકે, સરકારે બલૂચિસ્તાન પ્રાંતના હબ અને લાસબેલા જિલ્લાઓ અને ગ્વાદરના કેટલાક સ્થળોએથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.

Advertisement

સરકારે દરિયાકાંઠાથી દૂર રહેવા એલર્ટ જાહેર કર્યું છે. તેમજ માછીમારી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સિવાય તમામ બંદરો બંધ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Cyclone Biparjoy : પાકિસ્તાનમાં વાવાઝોડાનું રિપોર્ટિંગ કરતા રિપોર્ટરે દરિયામાં માઈક લઈને મારી છલાંગ, Video

Tags :
Advertisement

.