Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Nita Ambani એ પુત્રને નજર ના લાગે તે માટે......!

Anant Radhika's wedding : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે શુક્રવાર, 12 જુલાઈ, 2024ના રોજ લગ્ન (Anant Radhika's wedding) કર્યા હતા. જેમાં દુનિયાભરની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. આ ફંક્શન માટે,...
12:51 PM Jul 13, 2024 IST | Vipul Pandya
Anant Radhika's wedding

Anant Radhika's wedding : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે શુક્રવાર, 12 જુલાઈ, 2024ના રોજ લગ્ન (Anant Radhika's wedding) કર્યા હતા. જેમાં દુનિયાભરની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. આ ફંક્શન માટે, મુંબઈના બાંદ્રા કુર્લામાં સ્થિત Jio વર્લ્ડ સેન્ટરને સંપૂર્ણપણે 'ભારતીય થીમ'માં તૈયાર કરાયું હતું. ખાસ વાત એ છે કે અનંત-રાધિકાના લગ્નમાં આવનારા દેશ-વિદેશના મહેમાનોને અહીં ભારતીય સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળ્યા હતા. આ માટે ડેકોરેશનથી લઈને ભોજન સહિત બધું જ ભારતીય છે. સામે આવેલી તસવીરો દર્શાવે છે કે નીતા અંબાણી ગણપતિની મૂર્તિ લઈને અનંત સાથે ચાલી રહ્યા હતા, જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. જેને રમણ દિવો કહેવાય છે.

સનાતન ધર્મમાં ઊંડી શ્રદ્ધા

અંબાણી પરિવાર હંમેશા હિંદુ રીતિ-રિવાજો અને સનાતન ધર્મમાં માને છે. જેના કારણે આ પરિવાર ચર્ચામાં રહે છે. લગ્ન સમારોહમાં સૌથી પહેલા કાશીની થીમ પસંદ કરવામાં આવી છે. જેમાં બ્રહ્માંડના પાલનહાર કહેવાતા શ્રી હરિ વિષ્ણુનો દશાવતાર પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. બીજું, આ લગ્ન સમારોહમાં નીતા અંબાણી પોતાની સાથે ભગવાન ગણેશની મૂર્તિ લઈને જતા જોવા મળ્યા હતા.

દિવાની લાક્ષણિકતા

અનંત અંબાણીના લગ્નમાં નીતા અંબાણીએ પોતાના હાથમાં રાખેલી ભગવાન ગણેશની મૂર્તિને 'રમન દિવો' કહેવામાં આવે છે. ભગવાન ગણેશની આ મૂર્તિની સાથે એક દીવો પણ છે. એવી માન્યતા છે કે જો આ મૂર્તિને વર સાથે લઈ જવામાં આવે તો વરરાજા ખરાબ નજરથી સુરક્ષિત રહે છે, આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે લગ્ન કોઈપણ અવરોધ વિના થાય છે. નીતા અંબાણીએ ગુજરાતી લગ્નોમાં પ્રચલીત એવો રમણ દિવો નામનો પરંપરાગત દીવો ધર્યો હતો, જે અંધકારને દૂર કરવા અને દંપતીને આશીર્વાદ આપવાનું પ્રતીક છે. પરંપરાગત રીતે વરરાજાની માતા તેને પોતાની પાસે રાખે છે.

મોટા પુત્રના લગ્નમાં પણ આ પ્રતિમા રાખી હતી.

આ પહેલા પણ નીતા અંબાણી તેમના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં 'રમન દિવો' નામની ભગવાન ગણેશની આ મૂર્તિ હાથમાં લઈને જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે આકાશ અંબાણીએ 9 માર્ચ 2019ના રોજ શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા.

Tags :
Anant AmbaniAnant Ambani Radhika Merchant weddingAnant Radhika's weddingAnantRadhikaCelebrationAnantRadhikaWeddingBollywoodBollywood starsBusinessCelebrationDanceentertainmentGujarat Firstmukesh ambaninita ambaniRADHIKA MERCHANTRaman DiwaSocial MediaWedding
Next Article