Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nita Ambani એ પુત્રને નજર ના લાગે તે માટે......!

Anant Radhika's wedding : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે શુક્રવાર, 12 જુલાઈ, 2024ના રોજ લગ્ન (Anant Radhika's wedding) કર્યા હતા. જેમાં દુનિયાભરની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. આ ફંક્શન માટે,...
nita ambani એ પુત્રને નજર ના લાગે તે માટે
Advertisement

Anant Radhika's wedding : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે શુક્રવાર, 12 જુલાઈ, 2024ના રોજ લગ્ન (Anant Radhika's wedding) કર્યા હતા. જેમાં દુનિયાભરની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. આ ફંક્શન માટે, મુંબઈના બાંદ્રા કુર્લામાં સ્થિત Jio વર્લ્ડ સેન્ટરને સંપૂર્ણપણે 'ભારતીય થીમ'માં તૈયાર કરાયું હતું. ખાસ વાત એ છે કે અનંત-રાધિકાના લગ્નમાં આવનારા દેશ-વિદેશના મહેમાનોને અહીં ભારતીય સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળ્યા હતા. આ માટે ડેકોરેશનથી લઈને ભોજન સહિત બધું જ ભારતીય છે. સામે આવેલી તસવીરો દર્શાવે છે કે નીતા અંબાણી ગણપતિની મૂર્તિ લઈને અનંત સાથે ચાલી રહ્યા હતા, જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. જેને રમણ દિવો કહેવાય છે.

સનાતન ધર્મમાં ઊંડી શ્રદ્ધા

અંબાણી પરિવાર હંમેશા હિંદુ રીતિ-રિવાજો અને સનાતન ધર્મમાં માને છે. જેના કારણે આ પરિવાર ચર્ચામાં રહે છે. લગ્ન સમારોહમાં સૌથી પહેલા કાશીની થીમ પસંદ કરવામાં આવી છે. જેમાં બ્રહ્માંડના પાલનહાર કહેવાતા શ્રી હરિ વિષ્ણુનો દશાવતાર પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. બીજું, આ લગ્ન સમારોહમાં નીતા અંબાણી પોતાની સાથે ભગવાન ગણેશની મૂર્તિ લઈને જતા જોવા મળ્યા હતા.

Advertisement

Advertisement

દિવાની લાક્ષણિકતા

અનંત અંબાણીના લગ્નમાં નીતા અંબાણીએ પોતાના હાથમાં રાખેલી ભગવાન ગણેશની મૂર્તિને 'રમન દિવો' કહેવામાં આવે છે. ભગવાન ગણેશની આ મૂર્તિની સાથે એક દીવો પણ છે. એવી માન્યતા છે કે જો આ મૂર્તિને વર સાથે લઈ જવામાં આવે તો વરરાજા ખરાબ નજરથી સુરક્ષિત રહે છે, આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે લગ્ન કોઈપણ અવરોધ વિના થાય છે. નીતા અંબાણીએ ગુજરાતી લગ્નોમાં પ્રચલીત એવો રમણ દિવો નામનો પરંપરાગત દીવો ધર્યો હતો, જે અંધકારને દૂર કરવા અને દંપતીને આશીર્વાદ આપવાનું પ્રતીક છે. પરંપરાગત રીતે વરરાજાની માતા તેને પોતાની પાસે રાખે છે.

મોટા પુત્રના લગ્નમાં પણ આ પ્રતિમા રાખી હતી.

આ પહેલા પણ નીતા અંબાણી તેમના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં 'રમન દિવો' નામની ભગવાન ગણેશની આ મૂર્તિ હાથમાં લઈને જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે આકાશ અંબાણીએ 9 માર્ચ 2019ના રોજ શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા.

Tags :
Advertisement

Related News

featured-img
ક્રાઈમ

Rajkot : ગોંડલના જાટ યુવક રાજકુમારના મોત પર મોટો ઘટસ્ફોટ

featured-img
રાષ્ટ્રીય

લદ્દાખના કારગિલમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ-કાશ્મીરમાં પણ અનુભવાયા આંચકા

featured-img
Top News

Gujarat : અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો

featured-img
ધર્મ ભક્તિ

Rashifal : શુક્રવારે મા લક્ષ્મી આ રાશિઓ પર કૃપા કરશે, દરેક કાર્યમાં પ્રગતિ અને સફળતા મળશે

featured-img
Top News

Vadodara : નશાની હાલતમાં નબીરાઓએ મોતનો ખેલ ખેલ્યો, 7 લોકોને ઉડાવ્યા

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલમાં રાતે લુખ્ખા તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી, લોકો પર હુમલો કર્યો!

×

Live Tv

Trending News

.

×