Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સ્માર્ટ વિજ મીટરના મુદ્દાએ પકડ્યો રાજનૈતિક રંગ, આંદોલનની જાહેરાત

VADODARA : વડોદરામાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ વિજ મીટર (SMART ELECTRICITY METER - VADODARA) નો મુદ્દો વેગ પકડી રહ્યો છે. આ મામલે અલગ અલગ જગ્યાઓએ વિજ કચેરીઓ પર લોકોનો હલ્લાબોલ સામે આવી રહ્યો છે. ક્યારે ન જોયું હોય તેટલું મસમોટું...
vadodara   સ્માર્ટ વિજ મીટરના મુદ્દાએ પકડ્યો રાજનૈતિક રંગ  આંદોલનની જાહેરાત

VADODARA : વડોદરામાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ વિજ મીટર (SMART ELECTRICITY METER - VADODARA) નો મુદ્દો વેગ પકડી રહ્યો છે. આ મામલે અલગ અલગ જગ્યાઓએ વિજ કચેરીઓ પર લોકોનો હલ્લાબોલ સામે આવી રહ્યો છે. ક્યારે ન જોયું હોય તેટલું મસમોટું વિજ બીલ આવી રહ્યું છે. ત્યારે હવે આ મામલે ઇન્ડિયા ગઠબંધન (INDIA ALLIANCE) દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ મામલાએ હવે રાજનૈતિક રંગ પકડ્યો છે. આવતી કાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આંદોલનની શરૂઆત કરવામાં આવનાર હોવાની જાહેરાત ઇન્ડિયા ગઠબંધન (INDIA ALLIANCE) ની પ્રેસકોન્ફરન્સમાં કરવામાં આવી છે.

Advertisement

ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજાની લૂંટ

શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી જણાવે છે કે, આજે ઇન્ડિયા ગઠબંધન (INDIA ALLIANCE) દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આજે લોકોમાં એમજીવીસીએલ વિજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે. તેમના દ્વારા સ્માર્ટ વિજ મીટરની કામગીરી કરવામાં આવી રહી છે. તેમના દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજાને લૂંટવામાં આવી રહી છે. સત્તાપક્ષ દ્વારા લોકો પર બોઝો નાંખવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર જબરદસ્તી મુકવામાં આવ્યા છે, જેથી આ તઘલખી નિર્ણય છે. સ્માર્ટ મીટરના નામે થતી દાદાગીરીનો અમે વિરોધ કરીએ છીએ. આવતી કાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આંદોલનની શરૂઆત કરવામાં આવશે. પ્રજા અનેક પ્રશ્ને મોંઘવારીથી પીસાઇ રહી છે, હવે સ્માર્ટ મીટરના નામે લોકોને લૂંટવાનું શરૂ કર્યું છે.

રૂ. 2 હજારનું રીચાર્જ 12 કલાકમાં જ પુરૂ

વધુમાં રૂત્વિજ જોશી જણાવે છે કે, અત્યારે વિજ કંપની દ્વારા પ્રતિ યુનીટ રૂ. 2.79 પૈસા લઇ રહ્યા છે, સ્માર્ટ મીટરમાં પ્રતિ યુનિટ પ્રિપેઇડના નામે રૂ. 4.29 પૈસા વસુલી રહ્યા છે. જેની લોકોએ અમારી પાસે ફરિયાદ પહોંચાડી છે. એક ભાઇએ ફરિયાદ કરી કે તેણે રૂ. 2 હજારનું રીચાર્જ કરાવ્યું, જે માત્ર 12 કલાકમાં જ પુરૂ થયું હતું. અને તપાસતા બીલ માઇનસમાં જતું રહ્યું હતું. આ લૂંટ સામે ઉગ્ર આંદોલન કરવામાં આવનાર છે. ચૂંટણી પહેલા વોટ લેવા હતા ત્યારે ગેરંટીની વાતો કરવામાં આવતી હતી, ચૂંટણી પુર્ણ થયે ગણતરીના દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં સ્માર્ટ મીટરથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ બાબતે અમે આંદોલન કરીશું.

Advertisement

તમામ મોરચે સરકાર ફેલ

રૂત્વીજ જોશીએ ઉમેર્યું કે કે, MSU માં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશને લઇ અન્યાય, સ્માર્ટ વિજ મીટર અને હરણી બોટકાંડના મુદ્દાઓ સામે લડત આપવામાં આવશે. તમામ મોરચે સરકાર ફેલ ગઇ છે. અમારી લડાઇ માત્ર વોટ કે ચૂંટણી પુરતી નથી. આ લોકો પ્રજાને નુકશાન કરી રહ્યા છે, પ્રજાને લૂંટવાનુ કામ કરી રહ્યા છે.

ગરીબો જલ્દી છેતરાઇ જાય છે

સિનિયર કોંગી નેતા ભથ્થુભાઇ જણાવે છે કે, આજથી 30 વર્ષ પહેલા તેમની શાસન આવ્યું, ત્યારે રૂ. 200 નું બીલ આવતું હતું. તેમની સરકાર આવતા જ એવા મીટર લાવ્યા કે, બીલ ડબલ થઇ જાય. તે વખતે ડબલ કર્યું હતું. કોઇ પણ સરકારે હંમેશા ગરીબોનું ધ્યાન રાખવું જોઇએ. હવે સ્માર્ટ સીટીમાં સ્માર્ટ મીટર આવ્યા, માલદાર લોકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવો, તો ખબર પડે કે મીટર કેવા સ્માર્ટ છે. સરકાર હંમેશા લોકોના હીતની વાત કરે છે, આ સરકાર ગરીબોથી વાત શરૂ કરે છે.

Advertisement

ગરીબને કંઇ સમજ ન પડે

ભથ્થુભાઇએ ઉમેર્યું કે, આજે ગરીબ માણસ સ્માર્ટ મીટર શું છે તે ખબર નથી, કેવી રીતે બીલ ભરવું તે ખબર નથી, કેમ આવાસ યોજનામાંથી શરૂઆત કરી, કેમ માલેતુજારોને ત્યાંથી શરૂઆત નથી કરી, કેમ મોટી ફેક્ટરીમાંથી ચાલુ નથી કર્યું, તેને મતલબ છે કે, ગરીબો જલ્દી છેતરાઇ જાય છે. ગરીબને કંઇ સમજ ન પડે અને તેને લૂંટી શકાય, તેવી તેમની નીતી અને રીતી છે. અમે લોકોને જાગૃત થવા માટે આહ્વાન કરી રહ્યા છીએ. પોલીસનું કામ મારામારી બને ત્યારે હોય, નહિ કે કોઇને ત્યાં મીટર લગાડવા માટે હોય. આ મીટર લગાડવા માટે બંધ કરાવવા માટે અંદોલન કરશે.

અડધી રાત્રે લોકોની વિજળી ગુલ

આમ આદમી પાર્ટીના રીયાઝભાઇ જણાવે છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી 200 યુનિટ, પંજાબમાં 300 યુનિટ મફત આપે છે. ગુજરાતમાં આ લોકોએ પ્રિપેઇડ સ્માર્ટ મીટર મુક્યા છે. આ મીટર કેમ મુકવા પડ્યા, શું લોકો બીલ નથી ભરતા ! લોકો બધુ જ કરે છે. છતાં સ્માર્ટ મીટર મુકીને લૂંટ મુકી રહ્યા છે. આ મુકવા પાછળનું કારણ લોકોને આપવામાં આવી રહ્યું નથી. લોકોને રીચાર્જ અને કેટલું ચાલશે તેની ખબર નથી. અડધી રાત્રે લોકોની વિજળી ગુલ થઇ રહી છે.

આ નિર્ણય પાછો લેવો પડશે

શિવસેનાના દિપક પાલકર જણાવે છે કે, વડોદરામાં તાત્કાલિક ધોરણે આવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ તેમણે તાનાશાહી શરૂ કરી દીધી છે. રાતોરાત લાઇટના મીટરો બંધ થઇ જાય છે, લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. અમે ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું. આ નિર્ણય પાછો લેવો પડશે.

આ પણ વાંચો -- VADODARA : વરસાદી પાણી શહેરમાં પ્રવેશતું અટકાવવા વિશેષ આયોજન

Tags :
Advertisement

.