Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan Election Result : કોંગ્રેસની હાર પાછળ કોણ ? પાયલોટે સાધ્યું ગેહલોત પર નિશાન

Rajasthan Election Result : રાજસ્થાનમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે કોંગ્રેસની હાર પર અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. રવિવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસની હાર બાદ પૂર્વ ડેપ્યુટી સીએમ અને ટોંકથી...
rajasthan election result   કોંગ્રેસની હાર પાછળ કોણ   પાયલોટે સાધ્યું ગેહલોત પર નિશાન
Advertisement

Rajasthan Election Result : રાજસ્થાનમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે કોંગ્રેસની હાર પર અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. રવિવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસની હાર બાદ પૂર્વ ડેપ્યુટી સીએમ અને ટોંકથી ચૂંટણી જીતેલા સચિન પાયલોટ સોમવારે ટોંક પહોંચ્યા હતા. અહીં તેઓ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં કાર્યકરો અને પક્ષના અધિકારીઓને મળ્યા હતા. બેઠક બાદ પાયલોટે કહ્યું કે અમે ખૂબ જ મજબૂતી સાથે ચૂંટણી લડ્યા હતા, પરંતુ જનતાએ અમને આ વખતે વિપક્ષમાં બેસવાનો આદેશ આપ્યો છે. જેને અમે સ્વીકારીએ છીએ. અમે હારની સમીક્ષા કરીશું અને મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવીશું.

સચિન પાયલોટે હાર બાદ તોડી ચુપ્પી

સચિન પાયલોટ આ વખતે પણ ટોંકથી કોંગ્રેસના ઉમેદવાર હતા. તે ટોંકથી સતત બીજી વખત જીત્યા છે. પાયલોટે ભાજપના અજીત મહેતાને લગભગ 30 હજાર મતોથી હરાવ્યા છે. જોકે, આ વખતે રાજસ્થાનમાં મળેલી હાર પર સચિન પાયલોટે અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. ટોંક જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મીડિયા સાથે વાતચીત કરતા સચિન પાયલોટે કહ્યું કે, તેઓ ટોંક વિધાનસભાથી તેમની બીજી જીત લોકોને અને કાર્યકરોને સમર્પિત કરે છે. તેમણે વધુમાં કહ્યું કે હાર પર જયપુર અને દિલ્હીમાં ચર્ચા થશે. હું માનું છું કે આ હાર પર ચિંતન કરવું જરૂરી છે. તેમજ લોકસભાની ચૂંટણી અંગે પણ વાત કરી હતી. કહ્યું- હું હંમેશા કોંગ્રેસનો કાર્યકર રહ્યો છું. મને જે પણ જવાબદારી સોંપવામાં આવશે, હું તેને દરેક સંભવિત રીતે નિભાવીશ. પાયલોટે આગળ કહ્યું- મેં સીએમના ઓએસડી લોકેશ શર્માનું નિવેદન પણ જોયું છે, પાર્ટી માટે તેના પર પણ વિચાર કરવો જરૂરી છે.

Advertisement

Advertisement

પાર્ટીની ખામીઓ પર વિચારવું પડશે : સચિન પાયલોટ

સચિન પાયલોટે કહ્યું કે, અમે પરંપરા તોડવા માટે ખૂબ મહેનત કરી. પરંતુ અથાગ પ્રયત્નો કરવા છતાં અમે સફળ ન થઈ શક્યા. અમે અમારી પૂરી તાકાતનો ઉપયોગ કર્યો. અમે સરકાર બનાવ્યા પછી દરેક વખતે પુનરાવર્તન કરી શક્યા નથી. આ વખતે તેવું જ થયું. અમે આ માટે દિલગીર છીએ. આ અંગે દરેક સ્તરે વિચારવું પડશે. શું ખામીઓ હતી? શું તે કારણો હતા? સચિન પાયલોટે કહ્યું કે, આપણે બધાએ હાર પર આત્મમંથન કરવું જોઈએ. રાહુલ જી, પ્રિયંકા જી અને ખડગેએ ઘણો પ્રચાર કર્યો. તેમ છતાં અમે સરકાર બનાવી શક્યા નથી. સચિન પાયલોટે કહ્યું કે આવતીકાલે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. હારના કારણો પર વિચાર કરશે.

અમારે સખત મહેનતની છે જરૂર : સચિન પાયલોટ

સચિન પાયલોટે કહ્યું કે, અમારે સખત મહેનત કરવી પડશે. પાર્ટીના પ્લેટફોર્મ પર મારે જે પણ કહેવું છે એ હું કહીશ. ગેહલોતના ઓએસડી જે નિવેદન આપ્યું છે તે આશ્ચર્યજનક છે. મુખ્યમંત્રીના ઓએસડી છે. તે ચિંતાનો વિષય છે. મને પૂરી આશા છે કે પાર્ટી આ તરફ ધ્યાન આપશે. તે ક્યા ગયા? તે સાચું છે કે ખોટું. એવું કહ્યું છે. મને લાગે છે કે આ ચિંતાનો વિષય છે. પાયલોટે કહ્યું કે, દરેક વસ્તુનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. મેં જે પણ કહ્યું તે પાર્ટીના પ્લેટફોર્મ પર કહ્યું છે. મારે આગળ પણ વાત કરવી છે અને તે હું પાર્ટી પ્લેટફોર્મ પર કરીશ. પરંતુ આજે અમારી જવાબદારી છે કે જનતાએ અમને વિપક્ષમાં બેસવાનો અધિકાર આપ્યો છે. જણાવી દઈએ કે મુખ્યમંત્રી ગેહલોતના ઓએસડી લોકેશ શર્માએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ગેહલોત પોતે નથી ઈચ્છતા કે સરકાર પોતાની જાતને રિપીટ કરે.

આ પણ વાંચો - Rajasthan : નોન-વેજની ગાડીઓ જલ્દી જ બંધ કરો નહીંતર…, રાજસ્થાનમાં જીતની સાથે જ ભાજપ MLA એક્શન મોડમાં

આ પણ વાંચો - મણિપુરમાં એકવાર ફરી સ્થિતિ બેકાબુ, ઈન્ટરનેટ સેવા શરૂ થવાની સાથે જ હિંસા પણ શરૂ, 13 લોકોના મોત

આ પણ વાંચો - Modi Govt. : મણિપુરના સૌથી જૂના બળવાખોર જૂથ UNLF એ કાયમી શાંતિ કરાર માટે મંજૂરી આપી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Union Minister Nityanand's nephew shot dead: બિહારમાં પાણી કરતા લોહી 'સસ્તુ', કેન્દ્રીય મંત્રી નિત્યાનંદના ભાણીયાની ગોળી મારી હત્યા કરાઈ

featured-img
રાજકોટ

વાંકાનેરમાં ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત! પરિવારનો હોસ્પિટલ પર ગંભીર આરોપ

featured-img
રાષ્ટ્રીય

FIR For promoting betting apps: હૈદરાબાદમાં સટ્ટાબાજીની એપ્સનો પ્રચાર કરવા બદલ 25 લોકો વિરુદ્ધ ગુનો દાખલ, ટોપ 6 ટોલીવૂડ સ્ટાર્સ પણનો પણ સમાવેશ

featured-img
અમદાવાદ

Ahmedabad : અસામાજિક તત્વોને ડામવા પોલીસની લાલ આંખ, ગેરકાયદેસર મકાનો પર ફર્યા બુલડોઝર

featured-img
વાયરલ & સોશિયલ

મથુરાના રાજા બાબુને પેટમાં ખૂબ દુખાવો થતો હતો, YouTube Video જોયા પછી તેણે પોતાનું ઓપરેશન કર્યું અને...

featured-img
અમદાવાદ

કરોડોનો દંડ છતાં અમદાવાદીઓ સુધરવા તૈયાર નથી!

×

Live Tv

Trending News

.

×