Rakshabandhan : PM મોદીને 25 હજાર રાખડી મોકલાશે, CM આવાસે 1 હજાર બહેનો ઉજવણી કરશે
- ભાજપ મહિલા મોરચા PM મોદીને 25 હજાર રાખડી મોકલશે
- આ રાખડીઓ ગુજરાત મહિલા મોરચાએ તૈયાર કરી
- PM મોદીએે મહિલાઓ માટે કરેલા કામનો પત્રમાં ઉલ્લેખ
રક્ષાબંધનનાં (Rakshabandhan) તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ મહિલા મોરચા (BJP Mahila Morcha) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી મોકલવામાં આવશે. આ માટે ગુજરાત મહિલા મોરચા દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે 25 હજાર જેટલી રાખડીઓ દિલ્હી (Delhi) મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે વડાપ્રધાનને પત્ર પણ મોકલવામાં આવશે.
આ પણ વાંચો - SC-ST અનામતમાં ફેરફાર કરવાની કોઈ યોજના નથી : વિનોદ ચાવડા
PM ને ભાજપ મહિલા મોરચા રાખડી મોકલશે
રક્ષાબંધનનો (Rakshabandhan) તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ પર ઉત્સાહભેર ઊજવાય છે. આ દિવસે બહેનો પોતાનાં ભાઈને હાથ પર રાખડી બાંધીને તેમની સુરક્ષાનું વચન માગે છે. આ તહેવાર ભાઈ-બહેનનાં પવિત્ર બંધનનું પ્રતીક ગણાય છે. ત્યારે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) ભાજપ મહિલા મોરચા દ્વારા રાખડી મોકલવામાં આવશે. માહિતી મુજબ, ગુજરાત મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન મોદીને મોકલવા માટે રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Congress Nyay Yatra : કોંગ્રેસનાં નેતાઓએ રાજ્ય સરકારને આડે હાથ લીધી! BJP નેતાઓએ કર્યો વળતો પ્રહાર
રાખડીઓ સાથે પત્ર પણ લખવામાં આવશે
અહેવાલ અનુસાર, પીએમ મોદીને 25 હજાર જેટલી રાખડીઓ મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે પત્ર પણ લખવામાં આવશે, જેમાં પીએમ મોદીએ મહિલાઓ માટે કરેલા કામોનો ઉલ્લેખ કરવામાં આવશે. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નિવાસસ્થાને 1 હજાર જેટલી બહેનો રક્ષાબંધનની ઉજવણી કરશે. તેમ મહિલા મોરચાનાં પ્રમુખ ડો. દીપિકા સરવડાએ (Deepika Sarwada) જણાવ્યું હતું.
આ પણ વાંચો - Gujarat Politics : આદિવાસીઓને લઈ BJP- કોંગ્રેસ આમને-સામને, દિગ્ગજ નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ