Pahalgam Attack : પાકિસ્તાનમાં ઇમરજન્સી જેવી સ્થિતી, કરાચીમાં કલમ 144 લાગુ
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાન રીતસરનું ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાનમાં ઇમરજન્સી જેવી સ્થિતી સર્જાઇ હોવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવ્યું છે. આ વચ્ચે પાકિસ્તાન દ્વારા તેના સૌથી મોટા શહેર કરાચીમાં 144 કલમ લાગી કરી દીધી (RULE 144 IMPOSED IN KARACHI) છે. બીજી તરફ ઇસ્લામાબાદમાં ઉચ્ચસ્તરીય બેઠકોનો સિલસિલો ચાલી રહ્યો છે. ભારતની મોટી કાર્યવાહીથી બચવના પ્રયાસો હેઠળ ફફડી ઉઠેલા પાકિસ્તાન દ્વારા ઉપરા-છાપરી નિર્ણયો લેવામાં આવતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આવનાર સમય પાકિસ્તાન માટે આફત લઇને આવશે
હજુ પણ પાકિસ્તાન માટે આગામી 5 દિવસ ભારે રહેવાની શક્યતા છે. અગાઉ ઉરી-પુલવામાના 10 દિવસ બાદ સ્ટ્રાઈક થઈ હતી. આ વખતે પણ પાકિસ્તાનને એવો જ ડર સતાવી રહ્યો છે. ઉરી હુમલાના 11 દિવસ બાદ ભારતે સ્ટ્રાઈક કરી હતી. પુલવામા હુમલાના 12 દિવસ બાદ સ્ટ્રાઈક થઈ હતી. જે જોતા આવનાર સમય પાકિસ્તાન માટે આફત લઇને આવે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.
ઇશાક ડાર દ્વારા બાંગ્લાદેશનો પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો
આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાનને ચોતરફથી ઘેરવામાં આવી રહ્યું છે. ભારતની ધાક વધતા પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડાર દ્વારા બાંગ્લાદેશનો પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. અત્યાર સુધી પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ત્રણ જેટલી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. આ સાથે પ્રધાનમંત્રી શાહબાજ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર દ્વારા પણ વિવિધ બેઠકો યોજવામાં આવી રહી છે.
કરાચી પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાય છે
સુત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં પોલીસ કમિશનર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આગામી ત્રણ માસ દ્વારા આ કલમ લાગુ રહેનાર હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. કરાચીમાં લોકો ઘરની બહાર ના નિકળે, અને તેમની સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે. ભીડ પર કાબુ રાખવા માટે આ નિર્ણય લેવો પડ્યો છે. કરાચી પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાય છે. અહિંયાથી પાકિસ્તાનનું સંપૂર્ણ બજાર નિયંત્રીત થાય છે.
પાકિસ્તાન એકલું-અટુલું પડી રહ્યું હોવાનું ચિત્ર ઉપસીને આવ્યું
બીજી તરફ પાકિસ્તાન દ્વારા મુસ્લિમ દેશો સાઉદી અરબ, કતાર, ઇરાન અને તુર્કી સાથે મદદની આશા સાથે વાટાઘાટો કરવામાં આવી રહી છે. જો કે, તે પૈકીના મોટાભાગના દેશો દ્વારા ભારત સાથે વાત કરીને સ્થિતીને સામાન્ય બનાવવા પર જોર મુકવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ જોતા ભારત સામે પાકિસ્તાન એકલું-અટુલું પડી રહ્યું હોવાનું ચિત્ર ઉપસીને સપાટી પર આવી રહ્યું છે.
આ પણ વાંચો --- Pahalgam Attack : ભારતની કાર્યવાહીથી ફફડ્યું પાકિસ્તાન, ડોક્ટરો-એમ્બ્યુલન્સ એલર્ટ પર