Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Emergency in 1975 : 25 જૂન, 1975 ભારતના ઇતિહાસનો કલંકિત દિવસ

Emergency in 1975-ભારતીય લોકશાહી પર કુઠારાઘાત. વાત જાણે એમ છે કે જાન્યુઆરી 1966 માં, ઇન્દિરા ગાંધી ભારતના વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. જો કે, નવેમ્બર 1969 માં ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની પુત્રીને કોંગ્રેસ પક્ષમાંથી શિસ્તના ભંગ બદલ હાંકી...
emergency in 1975   25 જૂન  1975 ભારતના ઇતિહાસનો કલંકિત દિવસ

Emergency in 1975-ભારતીય લોકશાહી પર કુઠારાઘાત. વાત જાણે એમ છે કે જાન્યુઆરી 1966 માં, ઇન્દિરા ગાંધી ભારતના વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. જો કે, નવેમ્બર 1969 માં ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની પુત્રીને કોંગ્રેસ પક્ષમાંથી શિસ્તના ભંગ બદલ હાંકી કાઢવામાં આવ્યા પછી દેશની સૌથી મોટી જૂની કોંગ્રેસ પાર્ટીનું વિભાજન થયું હતું. તેના થોડા વર્ષો પછી, ઇન્દિરા ગાંધી સરકાર વિરુદ્ધ પ્રદર્શનોમાં મોટા પાયે વધારો થયો હતો.

Advertisement

ઇન્દિરા ગાંધી પર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ના ઉલ્લંઘનનો આક્ષેપ

1971ની લોકસભા ચૂંટણી દરમિયાન, ઈન્દિરા ગાંધીએ ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી સમાજવાદી નેતા રાજ નારાયણને હરાવીને જીત મેળવી હતી. જો કે, બાદમાં, રાજ નારાયણે ચૂંટણીમાં ગેરરીતિ તેમજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ના ઉલ્લંઘનનો આક્ષેપ કરીને તેણીની ચૂંટણીને પડકારી હતી.

તે સમયે, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઇન્દિરા ગાંધીના ચૂંટણી એજન્ટ યશપાલ કપૂર સરકારી નોકર હતા અને તેમણે તેમના ચૂંટણી સંબંધિત કામ માટે સરકારી અધિકારીઓનો ઉપયોગ કર્યો હતો.

Advertisement

બાદમાં, અદાલતે ઈન્દિરાજીને ચૂંટણીમાં ગેરરીતિઓ માટે દોષી ઠેરવ્યાં હતાં અને તેમને સંસદમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં, તેમને કોઈપણ હોદ્દા માટે ચૂંટણી લડવા પર છ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

12 જૂન, 1975ના રોજ, અલ્હાબાદ હાઈકોર્ટે પણ શ્રીમતી ગાંધીને ચૂંટણીમાં ગેરરીતિઓ માટે દોષિત જાહેર કર્યા હતા અને તેમને કોઈપણ ચૂંટાયેલા હોદ્દા પર રહેવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.

Advertisement

પદ છોડવું નહોતું-બંધારણને કોરાણે મુકાયું

બંધારણના અનુચ્છેદ 352 હેઠળ, 25 જૂન, 1975ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો. Emergency in 1975 લાદી દેવામાં આવી। રાષ્ટ્રપતિએ 'આંતરિક વિક્ષેપ'ને કારણ દર્શાવ્યું હતું અને ચૂંટણી રદ કરીને વડા પ્રધાનને અંતિમ સત્તાઓ આપી હતી.

એવું કહેવાય છે કે કોંગ્રેસના ઘણા નેતાઓ Emergency in 1975 જાહેર કરવાના વિચારનો વિરોધ કરી રહ્યા હતા. જો કે, પશ્ચિમ બંગાળના તત્કાલિન મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રે સહિત કેટલાક વફાદારોએ ઈન્દિરા ગાંધીને નિર્ણય સાથે આગળ વધવાની સલાહ આપી હતી.

મૂળભૂત અધિકારો પર કાપ મૂકવામાં આવ્યો

 Emergency in 1975 કટોકટી દરમિયાન, નાગરિકોના તમામ મૂળભૂત અધિકારો પર કાપ મૂકવામાં આવ્યો હતો, ઘણા વિરોધ પક્ષના રાજકીય નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને મીડિયાને સેન્સર કરવામાં આવ્યું હતું.

1,40,000 લોકોને કોઈ પણ જાતની ન્યાયિક પ્રક્રિયા સિવાય જેલમાં ઠૂંસી દેવાયેલ.

જોગાનુજોગ નવી ચૂંટાયેલ અઢારમી લોકસભાનો શભારંભ પણ કટોકટીના કાળા દિને જ થયો.

ધ્વનિ મત દ્વારા 18મી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા બાદ, ઓમ બિરલાએ 26.06.2024ના પ્રથમ સત્રના પ્રારંભે ગૃહમાં યાદ અપાવ્યું કે કેવી રીતે 25 જૂન, 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમની કોંગ્રેસ સરકારે ઈમરજન્સી લાદીને લોકોની મૂળભૂત સ્વતંત્રતા ખતમ કરી નાખી હતી. દેશમાં અને તમામ વિરોધ પક્ષોના નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. સ્પીકર ઓમ બિરલાએ તેને ભારતના ઈતિહાસનો કાળો અધ્યાય ગણાવ્યો હતો અને સભ્યોએ પણ બે મિનિટનું મૌન પાળ્યું હતું. આ અંગે કોંગ્રેસના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો અને ગૃહની કાર્યવાહી ગુરુવાર સુધી સ્થગિત કરવી પડી હતી.

સ્પીકર ઓમ બિરલાએ પ્રસ્તાવમાં કહ્યું, 'આ ગૃહ 1975માં કટોકટી લાદવાના નિર્ણયની સખત નિંદા કરે છે. આ સાથે, અમે તે તમામ લોકોના નિશ્ચયની પ્રશંસા કરીએ છીએ જેમણે કટોકટીનો સખત વિરોધ કર્યો, અભૂતપૂર્વ લડત આપી અને ભારતના લોકતંત્રની સુરક્ષાની જવાબદારી નિભાવી. 25 જૂન 1975નો તે દિવસ ભારતના ઈતિહાસમાં હંમેશા એક કાળા અધ્યાય તરીકે જાણીતો રહેશે. આ દિવસે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાદી હતી અને બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણને કોરાણે મુકાયું હતું.”

 ઓમ બિરલાએ કહ્યું, 'આ એ સમય હતો જ્યારે વિપક્ષી નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા, આખો દેશ જેલમાં ફેરવાઈ ગયો હતો. તત્કાલીન તાનાશાહી સરકારે મીડિયા પર ઘણા નિયંત્રણો લાદ્યા હતા અને ન્યાયતંત્રની સ્વાયત્તતા પર પણ અંકુશ લગાવ્યો હતો. ઈમરજન્સીનો તે સમય અન્યાયી સમય હતો, આપણા દેશના ઈતિહાસનો અંધકારમય સમય હતો. અમે એમ પણ માનીએ છીએ કે આપણી યુવા પેઢીને લોકશાહીના આ કાળા અધ્યાય વિશે જાણ હોવી જોઈએ.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કટોકટિકાળ યાદ અપાવ્યો

18મી લોકસભાના પ્રથમ દિવસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને યાદ અપાવ્યું હતું કે કેવી રીતે ઈન્દિરા ગાંધીએ 1975માં દેશમાં ઈમરજન્સી લાદી હતી અને બંધારણને તોડી નાખ્યું હતું.

આજથી બરાબર 50 વર્ષ પહેલા 25મી જૂને મધ્યરાત્રિએ ઈમરજન્સી લાદવામાં આવી હતી. ઈન્દિરા ગાંધી વડાપ્રધાન રહે તે માટે દેશના નાગરિકોની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. ઈન્દિરાજીનો વિરોધ કરનારા તમામ નેતાઓને રાતોરાત ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. જેમાં જય પ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલ બિહારી બાજપેયી, ચૌધરી ચરણ સિંહ, પ્રકાશ સિંહ બાદલ જેવા અનેક નેતાઓ સામેલ હતા. અરુણ જેટલી, લાલુ યાદવ, નીતીશ કુમાર, રામવિલાસ પાસવાન જેવા દેશભરમાં તે સમયના અસંખ્ય વિદ્યાર્થી નેતાઓ હતા, પોલીસે રાત્રે તેમના ઘરો ઘૂંટ્યા, કેટલાક પકડાયા, કેટલાક ભૂગર્ભમાં ગયા, કેટલાક સમાચાર પોલીસને આપવામાં આવ્યા ન હતા,

અખબારોની વીજળી રાત્રિના સમયે કાપી નાખવામાં આવી હતી, તે સમયે દૂરદર્શન એકમાત્ર ટીવી ચેનલ હતી જે ફક્ત સરકાર દ્વારા માન્ય સમાચાર જ બતાવતી હતી, અખબારો પર સેન્સરશીપ લાદવામાં આવી હતી, કોઈને પણ મુક્તપણે બોલવાની સ્વતંત્રતા નહોતી, પોલીસ હતી. જોવાનું શૂટ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

જેણે પણ ઇમરજન્સી કાળ Emergency in 1975નું ગૂંગળામણભર્યું વાતાવરણ જીવ્યું છે તે એ કાળા દિવસો ક્યારેય નહીં ભૂલે .

વિરોધ પક્ષોના તમામ નેતાઓના અવાજને દબાવી દેવામાં આવ્યો હતો, ન્યાયતંત્રને સરકાર દ્વારા કબજે કરવામાં આવ્યું હતું, બંધારણને કોરાણે મુકવામાં આવ્યું હતું, લોકશાહીની હત્યા કરવામાં આવી હતી. 

50 વર્ષ વીતી ગયા. લોકોને એ રિબામણી અને આપખુદશાહીનો યુગ ભૂલ્યા નથી, 

અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે એ સંઘર્ષને જાણવો અને સમજવો જરૂરી છે.

આ પણ વાંચો- રાહુલ ગાંધી પર ચિરાગ પાસવાનનો કટાક્ષ, કહ્યું – કોઈની સામે આંગળી ચીંધતા પહેલા…

Advertisement

.