Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં Biparjoy વાવાઝોડાનું વધ્યું સંકટ, અત્યાર સુધી 4 લોકોના મોત

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન Biparjoy 15 જૂને ગુજરાતમાં Landfallકરશે તેવી સંભાવના છે. અનુમાન મુજબ, તે ગુરુવારે 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે અથડાશે અને આ દરમિયાન ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું...
11:27 AM Jun 13, 2023 IST | Hardik Shah

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન Biparjoy 15 જૂને ગુજરાતમાં Landfallકરશે તેવી સંભાવના છે. અનુમાન મુજબ, તે ગુરુવારે 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે અથડાશે અને આ દરમિયાન ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. જણાવી દઇએ કે, ચક્રવાત બિપોરજોય દરિયાકાંઠે ત્રાટકે તે પહેલા ગુજરાતના કચ્છમાં ભારે વરસાદ શરૂ થયો છે. કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ અને મોરબીના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સત્તાવાળાઓએ દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી છે.

વાવાઝોડાથી 4 લોકોએ ગુમાવ્યો જીવ

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે ત્યારે હવે તેની અસર પણ જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર, પોરબંદરમાં બિપોરજોય વાવાઝોડાથી મકાન ધરાશાયી થયું છે, જેના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર છે. પોરબંદરમાં અતિભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બેથી અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. વળી આ ઉપરાંત ગઈકાલે (સોમવાર) ભુજમાં બે બાળકોના મોત થયા હતા જ્યારે જસદણમાં વૃક્ષ પડતા એક મહિલાનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. અત્યાર સુધી વાવાઝોડાથી 4 લોકોના મોત થયા છે.

આ વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના

હવામાનની આગાહી કરતી એજન્સી, સ્કાયમેટના જણાવ્યા અનુસાર, મહુવા, પોરબંદર, ઓખા, દીવ, સોમનાથ, જામનગર, દ્વારકા વગેરેના દરિયાકાંઠાના વિસ્તારો અને ભુજ, માંડવી, નલિયા વગેરેમાં ભારે વરસાદ અને ઝાપટાં થઈ શકે છે. જણાવી દઈએ કે, ગુજરાત અને રાજસ્થાનમાં સામાન્ય રીતે જૂનના પહેલા પખવાડિયા દરમિયાન ગરમી અને ધૂળની ડમરીઓ જોવા મળે છે. રાજ્યોમાં બહુ ઓછો વરસાદ છે, તેથી આ વરસાદને કમોસમી વરસાદ કહેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 1970માં આવું ભયંકર તોફાન આવ્યું હતું, જેમાં ત્રણથી પાંચ લાખ લોકોના મોત થયા હતા. આ તોફાનનું નામ ભોલા હતું. તે સમયે, આ વાવાઝોડાએ પૂર્વ પાકિસ્તાનમાં તબાહી મચાવી હતી, જે હવે બાંગ્લાદેશ છે. તે અત્યાર સુધીનું સૌથી ઘાતક તોફાન માનવામાં આવે છે.

આ પણ વાંચો - Cyclone Biparjoy : પ્રદેશ પ્રમુખ CR Patil એ ભાજપના તમામ કાર્યકરોને મેદાને ઉતરવા આપી સૂચના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BiparjoyBiparjoy CycloneCycloneCycloneAlertDeathDwarkaPorbandar
Next Article