Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમે જાણો છો વાવાઝોડું વારંવાર શા માટે આવે છે અને દરિયામાં ચક્રવાત કેવી રીતે સર્જાય છે...?, જાણો

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપોરજોય હવે ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે તેની અસર સાત રાજ્યોમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, 15 જૂને ગુજરાતમાં પવનની ઝડપ 150 કિલોમીટર...
શું તમે જાણો છો વાવાઝોડું વારંવાર શા માટે આવે છે અને દરિયામાં ચક્રવાત કેવી રીતે સર્જાય છે      જાણો

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપોરજોય હવે ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે તેની અસર સાત રાજ્યોમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, 15 જૂને ગુજરાતમાં પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને ભારે પવન સાથે વરસાદ પડશે. રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દક્ષિણના ઘણા રાજ્યોમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, બિપોરજોયને કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધવાની ધારણા છે કારણ કે બિપોરજોય દરિયાકાંઠાના પ્રદેશ તરફ આગળ વધે છે. IMDનું એમ પણ કહેવું છે કે તે ગુજરાતમાં ભારે વિનાશ સર્જી શકે છે.

Advertisement

ગયા વર્ષે પ્રકાશિત થયેલા એલ્સેવિયર અર્થ સાયન્સ રિવ્યુઝના એક પેપર મુજબ, અરબી સમુદ્રમાં દરિયાની સપાટીના તાપમાનમાં ચાર દાયકા પહેલાની સરખામણીએ તાજેતરના દાયકાઓમાં 1.2 થી 1.4 °C નો વધારો થયો છે. આના કારણે ચક્રવાતની વારંવાર ઘટના બની છે, જે ઘણી મજબૂત હોય છે અને ઘણી વખત લાંબા સમય સુધી ચાલે છે.

Advertisement

ઉષ્ણકટિબંધીય ચક્રવાત મોટેભાગે મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બરમાં આવે છે. ઉત્તર હિંદ મહાસાગરમાં અમુક તીવ્રતા અને આવર્તન ધરાવતા ચક્રવાત દ્વિ-મોડેલ હોય છે, જેમાં સૌથી વધુ નવેમ્બર અને બીજું મેમાં હોય છે. ઉત્તર હિંદ મહાસાગર (બંગાળની ખાડી અને અરબી સમુદ્ર)માં લેન્ડફોલ દરમિયાન વિનાશક પવન, વાવાઝોડું અને મૂશળધાર વરસાદની શક્યતાને કારણે આપત્તિની સંભાવના વધારે હોય છે.

ચક્રવાતનો વ્યાસ 50થી 320 કિલોમીટર જેટલો હોય છે. પરંતુ તેની અસર દરિયાઈ સપાટી પર હજારો કિલોમીટર સુધી થતી હોય છે. તે 1 હજાર કિલોમીટર પરિમીતિ ધરાવતો હોય છે, પરંતુ તેનું પાવરહાઉસ માત્ર 100 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલું હોય છે. વાવાઝોડાની આંખ નજીક અંદાજે 320 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે.

તમને જણાવી દઈએ કે, અત્યારસુધીમાં 1891 અને 1990 ની વચ્ચે ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા પર આવેલા ચક્રવાતો વિશે જાણીએ તો, પૂર્વ કિનારેથી ઉપરની 50 કિમી પહોળી પટ્ટીમાં લગભગ 262 ચક્રવાત (આમાંથી 92 ગંભીર) ઉદ્ભવ્યા હતા. તેમાંથી 92 ચક્રવાત ખૂબ ગંભીર હતા. પશ્ચિમ કિનારે ઓછી ગંભીર ચક્રવાતની પ્રવૃત્તિ જોવા મળી છે, ત્યારે અહીં 33 ચક્રવાત આવ્યા હતા. તેમાંથી 19 ગંભીર હતા.

આ પણ વાંચો : આગાની 36 કલાક ગુજરાત માટે ભારે, ચક્રવાત ‘બિપોરજોય’ બની રહ્યો છે હવે અતિપ્રચંડ

Tags :
Advertisement

.