Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચાતુર્માસમાં આ 4 રાશિઓ પર ભગવાન વિષ્ણુ મહેરબાન રહેશે....

Chaturmas : હિંદુ ધર્મમાં ચાતુર્માસ ( Chaturmas) નું વિશેષ મહત્વ છે. આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિંદુ કેલેન્ડર મુજબ, ચાતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થાય છે અને કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ સમાપ્ત થાય છે. એવું માનવામાં...
ચાતુર્માસમાં આ 4 રાશિઓ પર ભગવાન વિષ્ણુ મહેરબાન રહેશે

Chaturmas : હિંદુ ધર્મમાં ચાતુર્માસ ( Chaturmas) નું વિશેષ મહત્વ છે. આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિંદુ કેલેન્ડર મુજબ, ચાતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થાય છે અને કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ સમાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન યોગ નિંદ્રામાં જાય છે અને પછી દેવઉઠી એકાદશીના દિવસે શ્રી હરિ યોગ નિંદ્રામાંથી જાગે છે. આ વર્ષે ચાતુર્માસ 17મી જુલાઈ 2024થી શરૂ થશે અને 12મી નવેમ્બર 2024ના રોજ દેવુથની એકાદશી પર સમાપ્ત થશે. ચાતુર્માસમાં આ 4 રાશિઓ પર ભગવાન વિષ્ણુ મહેરબાન થશે....

Advertisement

મેષ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકો માટે ચાતુર્માસ ખૂબ જ શુભ રહેશે. આ રાશિના લોકો માટે આર્થિક પ્રગતિની સાથે કારકિર્દીમાં ઉન્નતિના સંકેતો છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે. આ સમયગાળા દરમિયાન તમે ધન સંચય કરવામાં સફળ થશો.

વૃષભ

વૃષભ રાશિના લોકો માટે આ ચાર મહિના ખૂબ જ શુભ રહેવાના છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહેશે. દેવશયની એકાદશીથી વૃષભ રાશિના લોકોની તમામ સમસ્યાઓનો અંત આવશે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે.

Advertisement

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે ચાતુર્માસનો મહિનો ઘણો લાભદાયક રહેશે. આ મહિને ભગવાન વિષ્ણુની કૃપાથી તમને કોઈ મોટી સિદ્ધિ મળી શકે છે. આવકમાં વધારો શક્ય છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારી માટે પણ આ સમયગાળો શુભ રહેવાનો છે.

કન્યા રાશિ

દેવશયની એકાદશીથી આવનારા ચાર મહિના કન્યા રાશિના લોકો માટે યાદગાર બની રહેવાના છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની કૃપાથી તમને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. પ્રગતિના નવા રસ્તા ખુલશે. રોકાણમાં સારું વળતર મળવાના સંકેતો છે. નોકરીની સ્થિતિ સારી રહેશે.

Advertisement

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ગુજરાત ફર્સ્ટ એક પણ વસ્તુની સત્યતાનો પુરાવો આપતું નથી.)

આ પણ વાંચો---- Hanuman Temple: આ મંદિરના ઝાડ પર બિરાજમાન છે હનુમાનજી, ચુંદડી બાંધવાથી સંપૂર્ણ થાય છે દરેક મનોકામના!

Tags :
Advertisement

.