Surat : આજે જનભાગીદારીથી 'જળ સંચય' મહાઅભિયાનની થશે શરૂઆત, CR પાટીલ રહેશે ઉપસ્થિત
- સુરતમાં જનભાગીદારીથી 'જળસંચય' અંતર્ગત જનઆંદોલન
- વડાપ્રધાન મોદીનાં માર્ગદર્શનમાં આ મહાઅભિયાન ચાલે છે
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહેશે
- ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશનાં CM, બિહારનાં ડે. CM હાજર રહેશે
ગુજરાતનાં સુરતમાં (Surat) આજે એટલે કે 13 ઓક્ટોબરનાં રોજ "જલ સંચય" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતનાં ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત, રાજસ્થાન (Rajasthan) અને મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) મુખ્યમંત્રી અને બિહારનાં (Bihar) નાયબ મુખ્યમંત્રી ભાગ લેશે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી CR પાટીલના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ‘જલ સંચય’ (Jal Sanchaya) કાર્યક્રમમાં ભૂગર્ભ જળસ્તર વધારવા અંગે ચર્ચા કરાશે.
આ પણ વાંચો - Mehsana: જાસલપુર ગામની દુર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોને 2-2 લાખ આપવાની જાહેરાત
જનભાગીદારીથી 'જળસંચય જનઆંદોલન'
સુરતમાં (Surat) આજે જનભાગીદારીથી જળસંચય જનઆંદોલનની શરૂઆત કરાશે. આ અભિયાન હેઠળ આજે સુરતનાં ઇન્ડોર સ્ટેડિયમમાં "જલ સંચય" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી CR પાટીલનાં (CR Patil) માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ‘જલ સંચય’ કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel), રાજસ્થાનનાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા (Bhajanlal Sharma), મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી મોહન યાદવ (Mohan Yadav) અને બિહારનાં ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી (Samrat Chaudhary) હાજર રહેશે.
આ પણ વાંચો - અમદાવાદમાં Gujcomasol એ રાજ્યનું પહેલું Gujco Mart શરૂ કર્યું, ખેડૂત પાસેથી થશે સીધી ખરીદી
વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં ચાલે છે મહાઅભિયાન
વડાપ્રધાન મોદીનાં (PM Narendra Modi) માર્ગદર્શન હેઠળ ચાલનાર આ મહાઅભિયાનને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય આગળ ધપાવાશે. વડાપ્રધાન મોદીનાં 23 વર્ષનાં સુશાસનની સમાંતર ઉજવણી હેઠળ જનભાગીદારીથી જળસંચય જનઆંદોલનની શરૂઆત કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ લીધેલો ઘરે-ઘરે પાણીનો સંકલ્પ સરકારે પૂર્ણ કર્યો. હવે, આ મહાઅભિયાન હેઠળ જનભાગીદારીથી જળસંચયનો સંદેશ દેશભરમાં ફેલાવાશે.
આ પણ વાંચો - Mehsana : ભેખડ ધસી પડતા 5 નાં મોત, હજુ પણ 4 દટાયા હોવાની આશંકા