Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Attack ના એક દિવસ પહેલા આતંકી જોડે સંવાદ થયાનો યુવકનો દાવો

Pahalgam Terror Attack : તે સમયે તેને વિચિત્ર લાગ્યું હતું, આ ઘટનાના બીજા દિવસે હુમલો થયો, ત્યારે ધીરે ધીરે આખી વાત તેની સમક્ષ સ્પષ્ટ થઇ
pahalgam attack ના એક દિવસ પહેલા આતંકી જોડે સંવાદ થયાનો યુવકનો દાવો
Advertisement
  • યુવક જોડે અજાણ્યા શખ્સે સવાલ-જવાબ કર્યા
  • સંવાદ બાદ યુવકને અસહજ લાગ્યું
  • આતંકી હુમલાના બીજા દિવસે પોસ્ટર જાહેર થતા ધ્યાન ગયું

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભારત સહિત દુનિયાભરમાં રોષનો માહોલ છે. જેવામાં મહારાષ્ટ્ર (MAHARASTRA) ના જાલના જિલ્લાના યુવક આદર્શ રાઉત દ્વારા મોટો દાવો સામે આવ્યો છે. રાઉતનું કહેવું છે કે, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક દિવસ પહેલા જ તેની એક શંકાસ્પદ હુમલાખોર સાથે વાત થઇ હતી.

આજે ભીડ ઓછી છે

અહેવાલ અનુસાર રાઉતનું કહેવું છે કે, 21, એપ્રિલે તે બૈસરનમાં ઘોડેસવારી કરવા ગયો હતો. ત્યાં સ્ટોલ પર જમતી વખતે એક અજાણ્યો માણસ તેની પાસે આવ્યો અને પૂછ્યું કે શું તમે હિન્દુ છો, કાશ્મીરથી નથી લાગતા (હિન્દુ હો ક્યા, કાશ્મીર સે નહીં લગતે). આ સાંભળીને તેને અસહજ અનુભવ થયો હતો. ત્યારબાદ શકમંદે તેના સાથીને કહ્યું કે, આજે ભીડ ઓછી છે.

Advertisement

એકનો ચહેરો શકમંદ જેવો જ હતો

રાઉતે ઉમેર્યું કે, તે સમયે તેને વિચિત્ર લાગ્યું હતું, આ ઘટનાના બીજા દિવસે જ્યારે આતંકવાદી હુમલો થયો, ત્યારે ધીરે ધીરે આખી વાત તેની સમક્ષ સ્પષ્ટ થઇ રહી હતી. જે બાદ આતંકી હુમલાની ઘટના બાદ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ત્રણ શંકાસ્પદના સ્કેચ જાહેર કર્યા હતા રાઉતનો દાવો છે કે, તેમાંથી એકનો ચહેરો શકમંદ જેવો જ હતો, જેને તેને મળ્યો હતો.

Advertisement

પૈસાની ચુકવણી કરી શક્યો ન્હતો

રાઉતે વધુમાં જણાવ્યું કે, તેણે કાશ્મીર વિશેની બધી માહિતી NIAને ઇમેઇલ દ્વારા મોકલી છે. આમાં વ્યક્તિ સાથેની વાતચીત, સ્થાન, તારીખ અને સ્ટોલ માલિકને પૈસા નહીં ચૂકવવા સહિતની માહિતીનો સમાવેશ થાય છે. નેટવર્ક સમસ્યાને કારણે તે સમયે તેમને પૈસાની ચુકવણી કરી શક્યો ન્હતો. બાદમાં તેણે સ્ટોલ માલિકનો ફોન નંબર લીધો અને પૈસા મોકલી દીધા. રાઉતે આખરમાં કહ્યું કે, તપાસ એજન્સીઓ તેનો સંપર્ક કરે તો તે સહયોગ કરશે.

આ પણ વાંચો --- પાકિસ્તાની નાગરિકોને 'સ્વાસ્થ્ય સંજીવ'ની પૂરી પાડતા ભારત વિરૂદ્ધ ન્યુક્લિયર બોમ્બની ધમકી

Tags :
Advertisement

Trending News

.

×