Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Live-in Relationship માં પુરુષ માટે મહત્વનો ચૂકાદો....

Live-in Relationship : કેરળ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપ (Live-in Relationship) ને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેરળ હાઈકોર્ટે તાજેતરના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે લિવ-ઈન રિલેશનશિપના કિસ્સામાં પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા મહિલા વિરુદ્ધ ક્રૂરતાની સજાની જોગવાઈ લાગુ પડતી નથી. હાઈકોર્ટે...
live in relationship માં પુરુષ માટે મહત્વનો ચૂકાદો
Advertisement

Live-in Relationship : કેરળ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપ (Live-in Relationship) ને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેરળ હાઈકોર્ટે તાજેતરના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે લિવ-ઈન રિલેશનશિપના કિસ્સામાં પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા મહિલા વિરુદ્ધ ક્રૂરતાની સજાની જોગવાઈ લાગુ પડતી નથી. હાઈકોર્ટે કહ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 498A મહિલા પર તેના પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા માટે સજાની જોગવાઈ કરે છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા કપલ પરણિત ન હોવાથી તે પુરુષ 'પતિ' શબ્દના દાયરામાં નહીં આવે.

હાઈકોર્ટે શું કહ્યું?

ચૂકાદો આપતા, જસ્ટિસ એ બદરુદ્દીને 8મી જુલાઈના રોજના તેમના આદેશમાં જણાવ્યું હતું કે, “આ રીતે, લગ્ન એ એક તત્વ છે જે સ્ત્રીના જીવનસાથીને તેના પતિના દરજ્જા સુધી પહોંચાડે છે. કાયદાની નજરમાં લગ્ન એટલે લગ્ન છે. આમ, કાયદેસર લગ્ન વિના, જો કોઈ પુરુષ સ્ત્રીનો જીવનસાથી બને છે, તો તે IPCની કલમ 498Aના હેતુ માટે 'પતિ' શબ્દના દાયરામાં આવશે નહીં."

Advertisement

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં, આ આદેશ એક વ્યક્તિની અરજી પર આવ્યો હતો, જેમાં ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ તેની વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી કાર્યવાહીને રદ કરવાની વિનંતી કરવામાં આવી હતી. તેમની સામેના કેસને રદ કરવાની માંગ કરતા, વ્યક્તિએ દલીલ કરી હતી કે તે ફરિયાદી મહિલા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતો અને તેમની વચ્ચે કોઈ કાનૂની લગ્ન નથી. તેથી, ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ ગુનો નોંધાતો નથી. હાઈકોર્ટ અરજદાર સાથે સંમત થઇ અને કહ્યું કે તેણે મહિલા સાથે લગ્ન કર્યા ન હોવાથી, તે ભારતીય દંડ સંહિતાની કલમ 498A માં આપવામાં આવેલી 'પતિ'ની વ્યાખ્યાના દાયરામાં નહીં આવે.

Advertisement

આ પણ વાંચો---- ‘ગરીબ’ IAS Pooja Khedkar ની સંપત્તિ જાણી ચોંકી જશો….

આ પણ વાંચો---- NEET કેસની સુનાવણી સ્થગિત, હવે 18 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં થશે કેસની સુનાવણી…

Tags :
Advertisement

.

×