Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election : હિંસાના આરોપો બાદ મણિપુરમાં ફરી મતદાનનો લેવાયો નિર્ણય

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) નો પ્રથમ તબક્કો (First Phase) 19 એપ્રિલના રોજ પૂર્ણ થયો હતો. જે સમયે મતદાન (Election) થઇ રહ્યું હતું તે દરમિયાન મણિપુરમાં હિંસા (Violence in Manipur) થઇ હોવાના આરોપ-પ્રત્યારોપ થયા હતા. જે બાદ હવે મણિપુરના મુખ્ય...
lok sabha election   હિંસાના આરોપો બાદ મણિપુરમાં ફરી મતદાનનો લેવાયો નિર્ણય

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) નો પ્રથમ તબક્કો (First Phase) 19 એપ્રિલના રોજ પૂર્ણ થયો હતો. જે સમયે મતદાન (Election) થઇ રહ્યું હતું તે દરમિયાન મણિપુરમાં હિંસા (Violence in Manipur) થઇ હોવાના આરોપ-પ્રત્યારોપ થયા હતા. જે બાદ હવે મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) એ જાહેરાત કરી છે કે આંતરિક ભાગમાં 11 મતદાન મથકો પર 22 એપ્રિલના રોજ ફરીથી મતદાન (Election) હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ (Election Commmission) ના નિર્દેશ બાદ 19 એપ્રિલે યોજાયેલા મતદાન (Election) ને અમાન્ય જાહેર કરવા અને નવેસરથી મતદાન કરવામાં આવશે. જણાવી દઇએ કે, મણિપુરમાં શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધી 69.18 ટકા મતદાન થયું હતું.

Advertisement

22 એપ્રિલના રોજ ફરી થશે મતદાન

ચૂંટણી પંચના આ નિર્ણય બાદ મણિપુરની બંને લોકસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આયોગે આઉટર મણિપુર સીટ પર બે તબક્કામાં મતદાન કરાવવાનું નક્કી કર્યું હતું. હવે, આંતરિક મણિપુરના 11 બૂથ પર પુન: મતદાન યોજાવાની સાથે, તે દેશની બીજી બેઠક બની ગઈ છે, જ્યાં બે તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. અગાઉ, કોંગ્રેસે મણિપુરની બે લોકસભા બેઠકો માટે શુક્રવારે યોજાયેલા મતદાન દરમિયાન ચૂંટણીમાં ધાંધલી અને બૂથ કેપ્ચરિંગનો આક્ષેપ કરીને 47 મતદાન મથકો પર ફરીથી મતદાનની માંગ કરી હતી. હિંસાગ્રસ્ત મણિપુરમાં ફાયરિંગ, ધાકધમકી અને EVM તોડફોડની ઘટનાઓ વચ્ચે 68 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. શુક્રવારે મણિપુરની બે લોકસભા સીટો માટે મતદાન થયું હતું. 60 સભ્યોની મણિપુર વિધાનસભાના 32 મતવિસ્તારો 'ઇનર મણિપુર' લોકસભા સીટ હેઠળ આવે છે, જ્યારે 28 વિધાનસભા મતવિસ્તાર 'આઉટર મણિપુર' સંસદીય મતવિસ્તારના ભાગ છે. કોંગ્રેસના મણિપુર એકમના પ્રમુખ કે. મેઘચંદ્રએ કહ્યું કે પાર્ટીએ મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે અને 'ઇનર મણિપુર' મતવિસ્તારના 36 મતદાન મથકો અને 'આઉટર મણિપુર' મતવિસ્તારના 11 મતદાન મથકો પર ફરીથી મતદાનની માંગ કરી છે.

  • મણિપુરમાં 22 એપ્રિલે થશે પુનઃ મતદાન
  • હિંસાના આરોપો બાદ ચૂંટણી પંચનો આદેશ
  • 11 મતદાન મથકો પર આવતીકાલે ફરી મતદાન
  • 19 એપ્રિલે મણિપુરમાં 77 ટકા મતદાન થયું હતું

Advertisement

મતદાન સવારે 7:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી ચાલશે

મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ના આદેશ મુજબ, "ભારતના ચૂંટણી પંચે 19 એપ્રિલ (શુક્રવાર) ના રોજ 11 મતદાન મથકોના સંદર્ભમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 58(2) અને 58A(2) હેઠળ નિર્દેશ આપ્યો છે. મણિપુરમાં મતદાનનો સમય 22 એપ્રિલ, 2024 (સોમવાર) સવારે 7:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી નક્કી કરવામાં આવશે. “અસરગ્રસ્ત મતદાન મથકો જ્યાં પુનઃ મતદાન હાથ ધરવામાં આવશે તે છે મોઇરાંગકમ્પુ સાજેબ ઉચ્ચ પ્રાથમિક શાળા અને એસ. ઇબોબી પ્રાથમિક શાળા (પૂર્વ વિંગ), ક્ષેત્રીગાઓમાં ચાર, થોંગજુમાં એક, ત્રણ ઉરીપોકમાં અને એક કોંથૌજામમાં.

ફરી મતદાન કેમ થઈ રહ્યું છે?

જ્ઞાતિ સંઘર્ષથી પ્રભાવિત મણિપુરમાંથી કેટલાક મતદાન મથકો પર ગોળીબાર, ધમકીઓ, EVM ની તોડફોડ અને મતદાન મથકો કબજે કરવાના આરોપો નોંધાયા હતા. મણિપુરની બે લોકસભા બેઠકો, આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુર માટે શુક્રવારે પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું અને 72 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અગાઉ, કોંગ્રેસે મણિપુરની બે લોકસભા બેઠકો માટે શુક્રવારે યોજાયેલા મતદાન દરમિયાન ચૂંટણીમાં ધાંધલધમાલ અને બૂથ કેપ્ચરિંગનો આક્ષેપ કરીને 47 મતદાન મથકો પર ફરીથી મતદાનની માંગ કરી હતી. કોંગ્રેસના મણિપુર એકમના પ્રમુખ કે. મેઘચંદ્રએ જણાવ્યું હતું કે પાર્ટીએ મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે અને 'ઇનર મણિપુર' મતવિસ્તારમાં 36 મતદાન મથકો અને 'આઉટર મણિપુર' મતવિસ્તારમાં 11 મતદાન મથકો પર ફરીથી મતદાનની માંગ કરી છે .

Advertisement

 આ પણ વાંચો - Manipur Lok Sabha Election: મણીપુરમાં ચાલુ મતદાને બૂથ પર ફાયરિંગ, ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ

આ પણ વાંચો - Lok Sabha election 2024 : રાજયભરમાં ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ, જાણો ક્યાં કોના ફોર્મ મંજૂર અને રદ થયા!

Tags :
Advertisement

.