Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશન પહેલા કોંગ્રેસના બે નેતાઓ બાખડ્યા, સિનિયર નેતાઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો

અમદાવાદ ખાતે વર્ષો બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય અધિવેશન પહેલા પ્રદેશ પ્રમુખની ચેમ્બરમાં જ બે ધારાસભ્ય વચ્ચે છુટા હાથની મારામારી થવા પામી હતી.
ahmedabad  કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશન પહેલા કોંગ્રેસના બે નેતાઓ બાખડ્યા  સિનિયર નેતાઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો
Advertisement
  • અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા બબાલ
  • કોંગ્રસનાં બે નેતા વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી
  • પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને લોકસભાના ઉમેદવાર બાખડ્યા
  • બબાલ વધતાં બંન્ને વચ્ચે થઈ હતી છૂટા હાથની મારામારી: સૂત્ર
  • 15 લાખ રૂપિયાની લેતી દેતીનો હતો સમગ્ર મામલો: સૂત્ર

ગુજરાતમાં તા.8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન (Congress National Convention) યોજાવાનું છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા અધિવેશનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી તા. 8 અને 9 એપ્રિલનાં રોજ યોજાનાર અધિવેશનને લઈ બેઠકો હાલ ચાલી રહી છે. ત્યારે ગત રોજ સાંજના સુમારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત અનેક પીઢ કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત હતા. ત્યારે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (Gyasuddin Sheikh) અને અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ પરથી કોંગ્રેસનાં બેનર હેઠળ ચૂંટણી લડેલા ભરત મકવાણા (Bharat Makwana) વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થવા પામી હતી. થોડાક સમયમાં તે બોલાચાલી ઉગ્ર થઈ જતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. રાષ્ટ્રીય અધિવેશન પહેલા જ કોંગ્રેસમાં અંદરો અંદરનો વિખવાદ સામે આવ્યો છે. આ મુદ્દો કોંગ્રેસનાં કાર્યકરોમાં ચર્ચાસ્પદ બન્યો છે.

કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં મારા મારી

કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશનને લઈ ગત રોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીગમાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના નેતા અમિત ચાવડા, ઉષા નાયડુ, શાહનવાઝ શેખ, પ્રગતિ આહીર, નીરવ બક્ષી, ગ્યાસુદ્દીન શેખ, ભરત મકવાણા હાજર રહ્યા હતા. ત્યારે બેઠકમાં અચાનક જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (Gyasuddin Sheikh) અને ભરત મકવાણા (Bharat Makwana) વચ્ચે તું.....તું....મૈ....મૈ... બાદ છુટ્ટા હાથની મારામારી થતા મામલો બિચક્યો હતો. ત્યારે સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે, અન્ય નેતાઓ દ્વારા વચ્ચે પડી બંનેને અલગ કરવામાં આવ્યા હતા નહી તો મામલો વધુ વણસે તેવી સ્થિતિ સર્જાવા પામી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Gujarat Heatwave: ગરમીમાં શેકાવા તૈયાર રહો, ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી

Advertisement

કાર્યકરોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું

કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે થયેલ મારામારી બાબતે સૂત્રો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે, વાત બોલાચાલીથી ન અટકતા ભરત મકવાણા દ્વારા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો (Gyasuddin Sheikh) કોલર પકડી તેમને ફટકાર્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલો 15 લાખ રૂપિયાની લેતી દેતી બાબતે આ માથાકૂટ થઈ હોય તેવું જાણવા મળી રહ્યું છે. રાષ્ટ્રીય અધિવેશન (Congress National Convention)  પહેલા કોંગ્રેસનો અંદરો અંદરનો વિખવાદ સામે આવતો હોવાનું પણ કેટલાક કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad: ભાજપના પૂર્વ MLA ભૂપેન્દ્ર ખત્રીનાં પુત્ર સહિત છ ખંડણીખોર ઝડપાયા

લોકસભા ચૂંટણીનાં હિસાબ બાબતે માથાકૂટ થઈઃ સુત્રો

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણી દરમ્યાન ગ્યાસુદ્દીન શેખ (Gyasuddin Sheikh)  અને ભરત મકવાણા (Bharat Makwana) વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે કોઈ ચર્ચા થવા પામી હતી. ત્યારે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ જવા છતા હજુ સુધી પૈસાનો કોઈ હિસાબ થયો ન હતો. જે મુદ્દે ગ્યાસુદ્દીન શેખે ચાલુ બેઠકમાં પૈસા બાબતે ભરત મકવાણાનં કંઈ કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ Ram Navami શોભાયાત્રાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Surendranagar : પાટડી હોસ્પિટલમાં મૃતકનાં સગાને લાફા ઝીંકવા મામલે પોલીસકર્મીઓ સામે કાર્યવાહી!

featured-img
જૂનાગઢ

Junagadh : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ BJP કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, વિસાવદર ચૂંટણી અંગે કહી આ વાત

featured-img
Top News

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ગુરુવારે બારડોલીની મુલાકાતે

featured-img
ક્રાઈમ

Vadodara : ચૂંટણી ફોર્મ ભરવા બાબતે માથાકૂટ થઈ, યુવકને એકાંતમાં બોલાવી પેટ્રોલ છાંટી સળગાવ્યો!

featured-img
Top News

મોરારી બાપુના પત્નીનું નિધન,PM મોદીએ વ્યક્ત કર્યો શોક

featured-img
ગુજરાત

Government Job : મહેસૂલી તલાટીની ભરતી માટે 5.54 લાખ અરજીઓ મળી, જાણો કેટલી થઈ કન્ફર્મ?

Trending News

.

×