Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot TRP અગ્નિકાંડમાં મોટો ખુલાસો, SITની તપાસમાં સામે આવી ગંભીર હકીકત

Rajkot TRP Game Zone: રાજકોટમાં એ 25 તારીખનો શનિવાર કાળમુખો સાબિત થયો હતો. આ અગ્નિકાંડમાં 33 લોકો જીવતા ભડથું થયાના સમાચાર સામે આવ્યા હતાં. આ મામલે વધારે વાત કરવામાં આવે તો અત્યારે ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી....
12:03 PM May 28, 2024 IST | VIMAL PRAJAPATI
Rajkot TRP Fire Incident

Rajkot TRP Game Zone: રાજકોટમાં એ 25 તારીખનો શનિવાર કાળમુખો સાબિત થયો હતો. આ અગ્નિકાંડમાં 33 લોકો જીવતા ભડથું થયાના સમાચાર સામે આવ્યા હતાં. આ મામલે વધારે વાત કરવામાં આવે તો અત્યારે ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. મળતી વિગતો પ્રમાણે રાજકોટ અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, અગ્નિકાંડમાં તપાસ માટે રચાયેલી એસઆઈટી ટીમ પરત ફરી છે, હવે અગ્નિકાંડમાં લેવાયેલા નિવેદનો પર એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રાજકોટમાં અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદનો પર આ રિપોર્ટ તૈયારા કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

3 મહિના અગાઉ પણ આ ગેમ ઝોનમાં લાગી હતી આગ

નોંધનીય છે કે, સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એસઆઈટી રચના કરવામાં આવી છે. તેમની અધ્યક્ષતામાં આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહીં છે. તમને જણાવી દઈએ કે, રાજકોટ TRP અગ્નિકાંડમાં મોટો ખુલાસો થયો છે. મળતી જાણકારી પ્રમામે 3 મહિના અગાઉ પણ આ ગેમ ઝોનમાં આગ લાગી હતી. SITની તપાસમાં ગંભીર હકીકત સામે આવી છે. નોંધનીય છે કે, અગાઉ પણ આગ લાગવા છતાં પણ સંચાલકોના પેટનું પાણી ડગ્યું નહોત. એટલું જ નહીં પરંતુ જે-તે સમયે મનપાએ દ્વારા પણ પગલાં નહોતા લેવામાં આવ્યા.

આગ લાગતા કાર્બન મોનોક્સાઈડ પ્રસરતા ટપોટપ મોત થયા

ઉલ્લેખનીય છે કે, અગાઉ આગ લાગી ત્યારે મનપા આંખ આડા કાન કરીને ઊંઘતી રહી હતી. નોંધનીય છે કે, મનપાએ પગલાં ન લેતા ફરી અગ્નિકાંડ સર્જાયો અને 33 લોકોને પોતાના જીવની આહુતિ આપતી પડી. મળતી જાણકારી પ્રમાણે એસઆઈટીની દ્વારા 45 અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આ સાથે અન્ય પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ગેમ ઝોનમાં વેન્ટિલેટરની વ્યવસ્થા જ નહોતી. જેથી આગ લાગતા કાર્બન મોનોક્સાઈડ પ્રસરતા ટપોટપ મોત થયા હતા. ગેમ ઝોન અગ્નિકાંડમાં 800 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે, એકપણ મૃતદેહમાં ટીપું લોહી પણ મળ્યું નથી. આ સાથે લોખંડ અને સ્ટીલ ઓગળીને રાખ બની ગયા હતા.

કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ

તમને જણાવી દઇએ કે, આ મામલે કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. જેને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી હતી. નોંધનીય છે કે, SITની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ મામલે અત્યારે અનેક મોટા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. કાર્યવાહીની વાત કરવામાં આવે તો અત્યારે સુધીમા ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અન તેમની સામે અત્યારે કાયદાકીય પગલા પણ લેવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો: Rajkot: લ્યો બોલો…TRP ગેમ ઝોન રાજકોટ મનપાના ચોપડે પાર્ટી પ્લોટ!

આ પણ વાંચો:  Rajkot: જાડેજા પરિવારના વહાલ સોયા પુત્રની અંતિમયાત્રા! સમસ્ત ગ્રામજનોની છલકાઈ આંખો

આ પણ વાંચો:  High Court: ‘શું અઢી વર્ષથી ઊંઘમાં હતા’ અગ્નિકાંડ મામલે રાજકોટ મનપાને હાઈકોર્ટની ફટકાર

Tags :
latest newsRajkot Game Zone TragedyRajkot Game Zone Tragedy UpdateRajkot NewsRajkot TRP Fire IncidentRajkot TRP Game ZoneRajkot TRP Game Zone FireRajkot TRP Game Zone fire incidentRajkot TRP GameZoneTRP Fire IncidentVimal Prajapati
Next Article