Surat : 'લોહીની નદીઓ વહેશે...' નિવેદન પર કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનો બિલવાલ ભુટ્ટોને જડબાતોડ જવાબ!
- Surat માં આહીર સમાજ જળ સંચય સમિતિ દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા, પાકિસ્તાન-બિલવાલ ભુટ્ટો પર કર્યા આકરા પ્રહાર
- એ કહે છે કે નદીમાં પાણી નહીં આવે તો ભારતમાં લોહીની નદીઓ વહેંશે, ડરી જાય એવા છે આપણે ? : CR પાટીલ
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે બિલવાલ ભુટ્ટોનાં નિવેદનને ગીદડ ધમકી ભર્યું ગણાવ્યું
સુરતમાં (Surat) આજે આહીર સમાજ જળ સંચય સમિતિ (Ahir Samaj Jal Sanchay Samiti) દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગનાં ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ (CR Patil) ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, તેમણે પાકિસ્તાન (Pakistan) અને ત્યાંનાં પૂર્વ વિદેશમંત્રી બિલવાલ ભુટ્ટો (Bilawal Bhutto) પર આકરા પ્રહાર કર્યા હતા અને બિલવાલ ભુટ્ટોનાં નિવેદનને ગીદડ ધમકી ભર્યું ગણાવ્યું હતું.ટ
આ પણ વાંચો - Pahalgam terrorist attack: જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલ જામનગરનું દંપતી પરત ફર્યું, કથા સ્થગિત થયા બાદ ફસાયું હતું દંપતી
પાકિસ્તાનનાં બિલવાલ ભુટ્ટો બીલબીલાવી ગયા છે : CR પાટીલ
સુરતમાં (Surat) આજે આહિર સમાજ દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગનાં (Rainwater Harvesting) ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાંસેરિયા (Praful Pansheriya), ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતનાં રાજકીય અગ્રણીઓ, લોકકલાકાર માયાભાઈ આહીર (Mayabhai Ahir) અને મોટી સંખ્યામાં આહીર સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પાકિસ્તાન અને ત્યાંનાં પૂર્વ વિદેશમંત્રી બિલવાલ ભુટ્ટો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, પાકિસ્તાનનાં બિલવાલ ભુટ્ટો બીલબીલાવી ગયા છે.
આ પણ વાંચો - Gondal Politics : પાપનો ઘડો ભરાઈ ગયો છે, ઘડામાં કાંકરી મારવાનું કાર્ય કોંગ્રેસ કરશે : અમિત ચાવડા
'તે કહે છે પાણી નહીં આવે તો લોહીની નદીઓ વહેશે, ડરી જાય એવા છે આપણે?'
કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલે (CR Patil) કહ્યું કે, એ કહે છે કે આ નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ વહેંશે. ડરી જાય એવા છે આપણે બધા? મેં કહ્યું ભાઈ થોડી પણ તાકાત હોઈ તો આવ અહીંયા. આ સાથે સી.આર. પાટીલે બિલવાલ ભુટ્ટોની ધમકીને ગીદડ ધમકી ગણાવી હતી. જણાવી દઈએ કે, તાજેતરમાં પાકિસ્તાનની પીપલ્સ પાર્ટી (PPP) ના અધ્યક્ષ અને વડાપ્રધાન શેહબાઝ શરીફના (Shehbaz Sharif) સાથી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સિંધુ જળ સંધિ વિવાદ (Sindhu River Water Treaty dispute) પર ઉશ્કેરણીજનક ટિપ્પણી કરતા એક જાહેર રેલીમાં કહ્યું હતું કે, 'હું આ સિંધુ નદી સાથે ઊભો છું અને ભારતને સંદેશ આપું છું કે સિંધુ નદી અમારી છે, કાં તો અમારું પાણી આ નદીમાં વહેશે અથવા તમારું લોહી વહેશે.'
આ પણ વાંચો - Bharuch : અલગ-અલગ વિસ્તારમાં વસતા 15 બાંગ્લાદેશી સામે કડક કાર્યવાહી!
(ગુજરાત ફર્સ્ટની ટીમ MIB ની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે. દેશ અને સેનાની સુરક્ષાનાં મુદ્દાને ધ્યાનમાં રાખીને રિપોર્ટિંગ કરાઈ રહ્યું છે. અમે કોઈપણ લોકેશન બતાવતા નથી અને સમયની અવધી પણ અમારો રિપોર્ટ દર્શાવતો નથી.)