Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'Exit Poll 2024' પહેલા પ્રશાંત કિશોરની મોટી ભવિષ્યવાણી, BJP ને લઈ કહી આ વાત

એક્ઝિટ પોલ 2024 (Exit Poll 2024) માટે હવે ગણતરીનો સમય રહ્યો છે. ત્યારે આ પહેલા જાણીતા ભારતીય ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor) લોકસભા ચૂંટણીના પરિણામો માટે તેમના દ્વારા કરવામાં આવેલી આગાહી જાળવી રાખી છે. આજનું મતદાન પૂર્ણ થયા બાદ...
 exit poll 2024  પહેલા પ્રશાંત કિશોરની મોટી ભવિષ્યવાણી  bjp ને લઈ કહી આ વાત

એક્ઝિટ પોલ 2024 (Exit Poll 2024) માટે હવે ગણતરીનો સમય રહ્યો છે. ત્યારે આ પહેલા જાણીતા ભારતીય ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor) લોકસભા ચૂંટણીના પરિણામો માટે તેમના દ્વારા કરવામાં આવેલી આગાહી જાળવી રાખી છે. આજનું મતદાન પૂર્ણ થયા બાદ તમામ ન્યૂઝ ચેનલો સાંજે 6:30 વાગ્યાથી એક્ઝિટ પોલ (Exit Poll 2024) પ્રસારિત કરશે. પ્રશાંત કિશોરને લાગે છે કે ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં (Lok Sabha elections) 2019 ના પરિણામો કરતાં બરાબર અથવા થોડું સારું પ્રદર્શન કરશે. કિશોરે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'મારા મૂલ્યાંકન મુજબ, ભાજપ (BJP) સમાન અથવા થોડા સારા નંબરો સાથે વાપસી કરશે. મને પશ્ચિમ અને ઉત્તર ભારતમાં બેઠકોની સંખ્યામાં કોઈ ખાસ ફેરફાર દેખાતો નથી. પાર્ટીને ભારતના પૂર્વ અને દક્ષિણ ભાગોમાંથી પૂરતું સમર્થન મળ્યું છે.

Advertisement

દક્ષિણના રાજ્યોમાં ભાજપની સ્થિતિ અંગે કહી આ વાત

જણાવી દઈએ કે, 2019 ની લોકસભા ચૂંટણીમાં (Lok Sabha elections 2019), ભાજપે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં નોંધપાત્ર જીત સાથે 303 બેઠકો જીતી હતી. કિશોરે પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં ભાજપની (BJP) બેઠકો અને વોટ શેર વધારવાની વાત કરી છે. તેમણે તેલંગાણા (Telangana), આંધ્રપ્રદેશ, કેરળ (Kerala) અને તમિલનાડુમાં (Tamil Nadu) ભાજપની હાજરીને મજબૂત કરવા માટે પાર્ટીના વધતા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો. આ વિસ્તારોમાં ભાજપ સાથે મતદારોની સંબંધિત અપરિચિતતાને કારણે ફાયદો અપેક્ષિત છે. કિશોરે (Prashant Kishor) અગાઉ ભાજપની સંભાવનાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કિશોરે કહ્યું કે, મજબૂત વિપક્ષની ગેરહાજરી પાર્ટી માટે સતત જનાદેશ સુનિશ્ચિત કરશે.

મોદીના નેતૃત્વવાળી ભાજપ પાછી ફરી રહી છે : પ્રશાંત કિશોર

NDTV સાથે વાત કરતાં તેમણે કહ્યું, 'મને લાગે છે કે મોદીના (PM Narendra Modi) નેતૃત્વવાળી ભાજપ પાછી ફરી રહી છે. તેઓ છેલ્લી ચૂંટણીની સમાન સંખ્યા મેળવી શકે છે અથવા થોડો સારો દેખાવ કરી શકે છે. જ્યાં સુધી ભાજપ સામે ઘણો ગુસ્સો કે અવાજ ન આવે ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ મોટો ફેરફાર જોવા મળશે, તેમણે વિપક્ષમાં એકજૂટ અને વિશ્વાસપાત્ર નેતાના અભાવની ટીકા કરી અને કહ્યું કે 'વિપક્ષ ગમે તેટલી કોશિશ કરે પણ લોકો માટે પૂરતું નથી. તેથી મને નથી લાગતું કે સંખ્યામાં કોઈ મોટો ફેરફાર થશે.

Advertisement

આ પણ વાંચો - Exit Poll 2024 Live: વાંચો…એક્ઝિટ પોલને લગતી પળેપળની માહિતી

Advertisement

આ પણ વાંચો - Exit Polls: એકબાજું 400 પારનો નારો તો સામે I.N.D.I.A ને ગઢબંધનનો સહારો, જાણો કોનું શું દાવ પર લાગ્યું?

આ પણ વાંચો - Elections : મતદાનની છેલ્લી ઘડીઓમાં INDIA ગઠબંધનની મહત્વની બેઠક

Tags :
Advertisement

.