Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diwali માં આ કારણોથી ઘરના દરેક ખૂણે દીપક પ્રગટાવવા આવે છે, જાણો

Diwali Importance 2024 : દીપકની ખરીદી કરવાથી બે ઘર રોશન થાય છે
diwali માં આ કારણોથી ઘરના દરેક ખૂણે દીપક પ્રગટાવવા આવે છે  જાણો
Advertisement
  • Diwali માં દીપક કુંભાર પાસેથી અવશ્ય ખરીદવા
  • દીપકની ખરીદી કરવાથી બે ઘર રોશન થાય છે
  • માટીના દિવા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે

Diwali Importance 2024 : દરેક દેશમાં ઉજવવામાં આવતા તહેવારોમાં આધુનિકતા અસર કરતી જોવા મળી રહી છે. તેના કારણે દરેક નાગરિકો પોતાની પ્રાચીન પરંપરાઓ અને સંસ્કૃતિને ભૂલી રહી છે. ત્યારે તાજેતરમાં ભારતમાં દેશનો સૌથી મોટો તહેવાર Diwali આવી રહ્યો છે. પરંતુ દેશના આ અમૂલ્ય તહેવારમાં પણ આધુનિકતાએ પોતાની ઊંડી છાપ છોડી છે. જોકે આ આધુનિકતાના કરાણે માત્ર પરંપરાઓ લુપ્ત જ નથી થતી, તેની સાથે પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે.

Diwali માં દીપક કુંભાર પાસેથી અવશ્ય ખરીદવા

ભારતમાં Diwali એ અંધકાર ઉપર રોશની ફેલાવતો તહેવાર માનવામાં આવે છે. એટલે કે Diwali નો તહેવાર એ એક રીતે યશ અને ઉમંગનો તહેવાર કહેવાય છે. ત્યારે Diwali ના સમયમાં પહેલા લોકો ઘરના દરેક ખૂણે દિવા પ્રગટાવીને મૂકતા હતા. પરંતુ અત્યારે લોકો માત્ર ઘરને વિવિધ આધુનિક લાઈટ્સ વડે રોશન કરી રહ્યા છે. તો બજારમાં વિવિધ આધુનિક દિવાઓ પણ આવી ગયા છે. ત્યારે તેના કારણે માટીના દિવાઓનું ચલણ ઘટી રહ્યું છે. Diwali ના તહેવારમાં દીપક અમૂલ્ય મહત્વ ધરાવે છે.

Advertisement

આ પણ વાંચો: Eco-friendly Diwali ની આ રીતે ઉજવણી કરીને દેશને પદૂષણથી બચાવો....

Advertisement

દીપકની ખરીદી કરવાથી બે ઘર રોશન થાય છે

દીપકએ તેને કુંભાર પાસેથી ખરીદના વ્યક્તિઓના જ નહીં, પરંતુ તેમની સાથે કુંભારના ઘરને પણ રોશન કરે છે. કુંભારનું કામ માટીમાંથી વિવિધ કલાત્મક વસ્તુઓ બનાવવાનું હોય છે. તેના અંતર્ગત દિવા પણ આવે છે. ત્યારે આપણે Diwali ના સમયમાં અને તેની ઉપરાંત પણ શક્ય તેટલી વસ્તુઓ ઘરમાં માટીની રાખવી જોઈએ. જેથી કરીને કુંભારના ઘરમાં પણ આનંદો જોવા મળે. દેશમાં અનેક કુશળ કુંભાર આવેલા છે, જે તહેવારો માટે વિવિધ પ્રકારના દીપક તૈયાર કરતા હોય છે. ત્યારે આ દીપક Diwali ના સમયે તમારા ઘરને ખુબ જ રોશનમય કરી મૂકે છે.

માટીના દિવા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે

પરંતુ આ આધુનિક યુગમાં Diwali જેવા સમયે પણ દિવાઓની માગ ધટતી જોવા મળી રહી છે. તેના કારણે કુંભરાના ઘરમાં ખુશીનું પૈડું બંધ થઈ ગયું છે. આધુનિકતા અપનાવાને કારણે કુંભાર આર્થિક અને સામાજિક રીતે પોતાનું ગુજરાન ચાલાવવા માટે અસમર્થ સાબિત થઈ રહ્યા છે. ત્યારે આપણે આ Diwali એ નિર્ણય કરવો જોઈએ કે, ઘરમાં મોટાભાગની વસ્તુઓ માટીને હોવી જોઈએ. અને આ તમામ વસ્તુઓ કુંભાર પાસેથી ખરીદેલી હોવી જોઈએ. કારણ કે... માટીના દિવા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.

આ પણ વાંચો: Diwali નો તહેવાર આ રસપ્રદ ઘટનાઓને કારણે ઉજવવામાં આવે છે, જાણો

Tags :
Advertisement

.

×