VADODARA : હાઇ-વે પર ટ્રાફિક જામની સમસ્યામાંથી મળશે કાયમી મુક્તિ
VADODARA : વડોદરા શહેર તથા આસપાસમાં મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. ત્યાં રોજ મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરે છે. જેના કારણે મોટા ભાગે હાઇ-વે પર ટ્રાફિક જામની સમસ્યાઓ સામે આવતી હતી. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યા છે. વડોદરા પાસે ચાર ઓવર બ્રિજને કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. અને તેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. 2 વર્ષમાં આ બ્રિજ બનાવવાનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ સાથે જ ટુંક સમયમાં ટોલ ટેક્સને લઇને પણ મોટા રાહતના સમાચાર સામે આવે તે તરફના સંકેતો સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા કરવામાં આવ્યા છે. (GOVT APPROVED FOUR OVER BRIDGE, TRAFFIC JAM PROBLEM SOON TO BECOME POST - VADODARA)
એક વર્ષના અંતે આ સમસ્યાનો ઉકેલ આવ્યો
વડોદરા શહેર - જિલ્લામાં મોટા ઓદ્યોગિક એકમો આવેલા છે. અહિંયા તરફ જવાના રસ્તે હાઇ-વેની સરખામણીએ ઓવરબ્રિજ નાના હોવાના કારણે ટ્રાફિક જામની મુશ્કેલી સર્જાતી હતી. જો આ બ્રિજ પર અકસ્માત થાય તો લાંબો ટ્રાફિક જામ લાગી જતો હતો. આ પ્રશ્નના ઉકેલ માટે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી શરૂઆતથી જ પ્રયત્નશીલ હતા. આખરે એક વર્ષના અંતે આ સમસ્યાનો ઉકેલ આવ્યો છે. જેની જાહેરાત વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી અને હાઇ-વે ઓથોરીટીના ઉચ્ચ અધિકારી દ્વારા પ્રેસવાર્તામાં કરવામાં આવી છે.
2 વર્ષમાં પૂર્ણ કરવા માટેનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું
કેન્દ્ર સરકાર દ્વારા ચાર પોર, બમણગામ, જાંબુવા, અને વેમલી ખાતે બ્રિજ મંજુર કર્યા છે. આ બ્રિજ નવા તૈયાર થનાર છે. જેને હાલના બ્રિજનું વિસ્તરણ ગણી શકાય છે. રૂ. 125 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. સમયજતા લોકોને હાઇવેની જેમ બ્રિજ પર પણ 6 લેન પર મુસાફરી કરતા હોય તેવો અહેસાસ થશે. આ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આ કામને 2 વર્ષમાં પૂર્ણ કરવા માટેનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ બ્રિજ બનવાથી વડોદરા તથા આસપાસના લોકો સરળતાથી અપડાઉન કરી શકશે, અને ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનશે.
આ પણ વાંચો --- VADODARA : મુખ્યમંત્રીએ વિકાસનાં કામોની યાદી મંગાવી, વિવાદથી બચવા તાકીદ