Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હરણી બોટકાંડમાં પીડિત પરિવારો માટે વળતર નક્કી કરવા કોર્ટનો આદેશ

VADODARA : સુત્રોના જણાવ્યા અનુસાર, સરકારે કોર્ટમાં બાંહેધારી આપતા દલીલ કરી હતી કે, મોરબી દુર્ઘટનાની જેમ વળતર નક્કી કરાશે
vadodara   હરણી બોટકાંડમાં પીડિત પરિવારો માટે વળતર નક્કી કરવા કોર્ટનો આદેશ
Advertisement

VADODARA : 18 - જાન્યુઆરી - 2024 ના રોજ વડોદરા (VADODARA) ના હરણી તળાવમાં શાળાના બાળકો-શિક્ષકો ભરેલી બોટ પલટી જતા મોટી દુર્ઘટના (HARNI BOAT ACCIDENT - VADODARA) સર્જાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓ-શિક્ષકો મળીને 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મામલે સુઓમોટો જાહેરહિતની સુનવણીમાં પીડિતોને વળતરની રકમ કેટલી આપવી તે અંગેનો નિર્ણય લેવા માટે કલેક્ટરને આદેશ કર્યો છે. પીડિત પરિવારો લાંબા સમયથી ન્યાય ઝંખી રહ્યા છે. વળતરની રકમ નક્કી કરતા સમયે મૃતકની ઉંમર, તેની નોકરી, પરિવારની પરિસ્થિતીના મુદ્દાઓને ધ્યાને લેવા સુચના આપી છે.

જિલ્લા કલેક્ટરને વળતરની રકમ નક્કી કરવામ માટે આદેશ આપ્યો

વડોદરાના હરણી બોટકાંડમાં 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઘટનાને પગલે દેશભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અગે ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન કોર્ટે કડક વલણ દાખવ્યું છે. તાજેતરમાં સુનવણી દરમિયાન કોર્ટે વડોદરાના જિલ્લા કલેક્ટરને વળતરની રકમ નક્કી કરવામ માટે આદેશ આપ્યો હોવાનું સામે આવ્યું છે. મૃત બાળકોના વાલીઓ તથા મૃતક શિક્ષકોના પરિવારને સાંભળીને તેમના તમામ પાસાઓને ધ્યાને લેવા તથા તેમને થયેલા નુકશાનને ધ્યાને રાખવા માટે કોર્ટે સૂચના આપી છે. સમગ્ર પ્રક્રિયા 8 સપ્તાહમાં પૂર્ણ કરવા જણાવાયું છે.

Advertisement

પીડિતોને વકીલની સુવિધા પૂરી પાડવા માટે પણ કોર્ટે કાનુની સેવા સત્તામંડળને આદેશ

સુત્રોના જણાવ્યા અનુસાર, સરકારે કોર્ટમાં બાંહેધારી આપતા દલીલ કરી હતી કે, મોરબી દુર્ઘટનાની જેમ વળતર નક્કી કરાશે. કલેક્ટર સમક્ષ રજુઆત કરવા માંગતા પીડિતોને વકીલની સુવિધા પૂરી પાડવા માટે પણ કોર્ટે કાનુની સેવા સત્તામંડળને આદેશ કર્યો હતો. આ સાથે કોટિયા પ્રોજેક્ટની રજુઆતોને પણ કલેક્ટર સમક્ષ રજુ કરવા માટેની મંજુરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : "હત્યારાને ફાંસી આપો અથવા એન્કાઉન્ટર કરો", તપનના પરિજનોનો આક્રોશ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
ગુજરાત

VADODARA : ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ અધિકારીને મોટી જવાબદારી સોંપાઇ

featured-img
ગુજરાત

VADODARA : આરોપીના રિમાન્ડમાં ગેરકાયદે સીરપ-ટેબ્લેટનું ગોડાઉનનું પગેરૂં ઝડપાયું

featured-img
ગુજરાત

VADODARA : SSG હોસ્પિટલમાં દર્દીના પરિજન દ્વારા સિક્યોરીટી સ્ટાફની ધૂલાઇ

featured-img
ગુજરાત

VADODARA : 'છોટી છત બડે અરમાન' થીમ પર વિવિધતાથી ભરપૂર પક્ષીઘર બનાવ્યા

featured-img
ગુજરાત

VADODARA : 'ડેવલોપમેન્ટ રોકાય તો તેના પ્રત્યાઘાત ચૂંટણીમાં પડે'- ધારાસભ્ય શૈલેષ સોટ્ટા

×

Live Tv

Trending News

.

×