Pahalgam Terrorist Attack : ઘૂસણખોરોને હર્ષ સંઘવીની ચેતાવણી! સરેન્ડર કરો નહીંતર..!
- હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન
- ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું
- ગેરકાયદે રહેતા તમામ લોકોને સરેન્ડર કરવા ચેતાવણી
Pahalgam Terrorist Attack : ગુજરાત પોલીસે રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં અત્યાર સુધી ચાલેલા મેગા ઓપરેશનમાં 1 હજારથી વધુ બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ પર કરવામાં આવી છે.
આ મામલે વધુ ચર્ચા અને આગળની રણનીતિ ઘડવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં દક્ષિણ ઝોનના પોલીસ અધિકારીઓ સહિત સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. આ બેઠકમાં ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકો સામેની કાર્યવાહીને વધુ તીવ્ર કરવા અને રાજ્યભરમાં આ ઝૂંબેશને વેગ આપવા અંગે ચર્ચા કરવામાં આવી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી : સરકારના કાયદા મુજબ ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે | Gujarat First
-ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં બેઠક
-સુરત પોલીસ કમિશનર કચેરીએ બેઠકનું આયોજન
-રાજ્ય પોલીસ વડા વીડિયો કોન્ફરન્સથી જોડાયા
-તમામ શહેરના પોલીસ કમિશનર પણ બેઠકમાં જોડાયા-… pic.twitter.com/2l1fjh9Bbz— Gujarat First (@GujaratFirst) April 26, 2025
આ પણ વાંચો : Surat માં ગેરકાયદેસર રહેતા 132 બાંગ્લાદેશીઓની અટકાયત, રાજ્યભરમાં "ઓપરેશન ભારત છોડો" શરૂ
હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું
બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી મુદ્દે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, નકલી ડોક્યુમેન્ટ બનાવી ઘુસણખોરો સ્થાયી થયા હતા. કેટલાક લોકો ડ્રગ્સ અને માનવ તસ્કરીમાં સામેલ હતા. તેમજ તમામ બાંગ્લાદેશીઓની ચકાસણી ચાલી રહી છે. આ ગુજરાત પોલીસનું સૌથી મોટું ઓપરેશન હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું છે. સરકાર ઘુસણખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરશે.
હર્ષ સંઘવીએ ઘુસણખોરોને આપી ચેતાવણી
હર્ષ સંઘવીએ ગેરકાયદે રહેતા તમામ લોકોએ આગામી બે દિવસમાં સામેથી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવાની ચેતાવણી આપી છે. જો એમ નહી થાય તો ઘરે ઘરે જઈ પકડી ડિપોર્ટ કરવાનું કામ કરાશે. જે લોકો ઘુસણખોરોને આશરો આપશે તેમની સામે પણ કડક કાર્યવાહી કરાશે. બંગાળના બોગસ ડોક્યુમેન્ટના આધારે દેશ અને અલગ અલગ રાજ્યમાં તેમજ ગુજરાતમાં આવેલા લોકોના ડોક્યુમેન્ટની તપાસ કરાશે.
Harsh Sanghavi ની ખુલ્લી ચેતવણી, સરેન્ડર કરો નહીંતર દબોચી લઈશું @sanghaviharsh @dgpgujarat @CMOGuj @CMOGuj @HMOIndia @AhmedabadPolice @CP_SuratCity @GujaratPolice #ahmedabad #surat #Pakistan #Pahalgam #JammuKashmir #PahalgamTerrorAttack #JammuKashmirAttack… pic.twitter.com/sYeGV1tNTv
— Gujarat First (@GujaratFirst) April 26, 2025
આ પણ વાંચો : VADODARA : આતંકી હુમલા બાદ શ્રીનગરમાં ફસાયેલા 23 પ્રવાસીઓ પરત ફર્યા