Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : શ્રાવણ માસમાં માર્કેટીંગ યાર્ડ 11 દિવસ બંધ રહેશે

GONDAL : શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવાર ને લઈને ગોંડલ માર્કેટયાર્ડ (GONDAL MARKET YARD) અલગ અલગ રજા ના દિવસે બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે આગામી શ્રાવણ માસ દરમિયાન આવતા વાર તહેવાર, અને જાહેર...
gondal   શ્રાવણ માસમાં માર્કેટીંગ યાર્ડ 11 દિવસ બંધ રહેશે

GONDAL : શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવાર ને લઈને ગોંડલ માર્કેટયાર્ડ (GONDAL MARKET YARD) અલગ અલગ રજા ના દિવસે બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે આગામી શ્રાવણ માસ દરમિયાન આવતા વાર તહેવાર, અને જાહેર રજાઓ કારણે હરરાજી અને યાર્ડ નું કામ કાજ બંધ રહેશે યાર્ડ માં આવતા ખેડૂતો વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિત ના એ રજાના દિવસે કામ કાજ બંધ રાખવામાં આવશે.

Advertisement

55 થી પણ વધુ જણસીઓ વેચવા આવી

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસીઓની સિઝન પ્રમાણે પુષ્કળ આવક થવા પામતી હોય છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિત ની 55 થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડ માં વેચવા આવી રહ્યા છે. ત્યારે આગામી શ્રાવણ માસ દરમિયાન આ દિવસે ગોંડલ માર્કેટયાર્ડ માં હરરાજી અને યાર્ડ બંધ રહેશે.

આ રહ્યું રજાઓનું લિસ્ટ

  1. તા. 05/8/2024 - સોમવારે જણસી ની હરાજી બંધ રહેશે.
  2. તા. 12/8/2024 - સોમવારે જણસી ની હરાજી બંધ રહેશે.
  3. 15/8/2024 - ગુરુવાર સ્વાતંત્ર્યદિન ના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે
  4. તા. 19/8/2024 - સોમવારે (રક્ષાબંધન) હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
  5. તા. 23/8/2024 - શુક્રવાર પાંચમના દિવસે હરાજી બંધ રહેશે.
  6. 24/8/2024 - શનિવારે (રાંધણછઠ) ના દિવસે હરાજી અને યાર્ડ નું કામકાજ બંધ રહેશે.
  7. તા. 26/8/2024 - સોમવારે (જન્માષ્ટમી) ના દિવસે હરાજી અને યાર્ડ નું કામકાજ બંધ રહેશે.
  8. તા. 27/8/2024 - મંગળવાર (નોમ) ના દિવસે હરાજી અને યાર્ડ નું કામકાજ બંધ રહેશે.
  9. તા. 28/8/2024 - બુધવાર (દશમ) ના દિવસે હરાજી બંધ રહેશે
  10. તા. 02/9/2024 - સોમવાર ના દિવસે હરાજી બંધ રહેશે
  11. તા. 03/9/2024 - મંગળવાર (ભાદરવી અમાસ) ના દિવસે હરાજી અને યાર્ડ નું કામકાજ બંધ રહેશે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Advertisement

આ પણ વાંચો -- Pragati Ahir : કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરને મોટી રાહત

Advertisement
Tags :
Advertisement

.