Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Students protest: ગુજરાતના યુનિવર્સિટીમાં ખાનગી કોર્સના વિલીનીકરણ, વિદ્યાર્થીઓ દર-દર રઝડ્યાં

Students protest: ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગ સામે વિદ્રોહના નારા લગાવ્યા છે. દિવાળીના સમય બાદ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ વિભાગોમાં નવા સત્રનો અભ્યાસ શરુ ના કરતા વિદ્યાર્થીઓ દરદર ફરી રહ્યા છે. ત્યારે આજ રોજ મીડિયાના માધ્યમથી ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ સામે...
students protest  ગુજરાતના યુનિવર્સિટીમાં ખાનગી કોર્સના વિલીનીકરણ  વિદ્યાર્થીઓ દર દર રઝડ્યાં
Advertisement

Students protest: ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગ સામે વિદ્રોહના નારા લગાવ્યા છે. દિવાળીના સમય બાદ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ વિભાગોમાં નવા સત્રનો અભ્યાસ શરુ ના કરતા વિદ્યાર્થીઓ દરદર ફરી રહ્યા છે. ત્યારે આજ રોજ મીડિયાના માધ્યમથી ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

  • પૂર્વ કુલપતિ અને વર્તમાન કુલપતિ વચ્ચે મતભેદ
  • યુનિવર્સિટીમાં ખાનગી 4 કોર્સ બંધ કરાયા
  • ખાનગી વિભાગના કોર્સ યુનિવર્સિટીના હસ્તકે
  • ન્યાયની આશામાં વિદ્યાર્થીઓ રઝડ્યાં

પૂર્વ કુલપતિ અને વર્તમાન કુલપતિ વચ્ચે મતભેદ

જો કે પૂર્વ કુલપતિ અને વર્તમાન કુલપતિ વચ્ચે કૉલ્ડવૉરની અફવાઓ પણ થઈ રહી છે. કારણ કે... વર્તમાન કુલપતિ નિર્જા ગુપ્તા દ્વારા પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાના લીધેલા નિર્ણયો બદલી નાખ્યા છે. ત્યારે જૂના કૉર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસએ અને એડમિશન લેનારા વિદ્યાર્થીઓ વિફર્યા છે. તેના કારણે સમગ્ર યુનિવર્સિટી વિસ્તારમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે.

Advertisement

Gujarat University

Gujarat University

Advertisement

યુનિવર્સિટીમાં ખાનગી 4 કોર્સ બંધ કરાયા

તે ઉપરાંત અમુક વિભાગમાં શિક્ષકોની પણ ઉપણ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં 4 ખાનગી કોર્સમાં ભણવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. તેના અંતર્ગત ડેટા સાયન્સ, કલાઉડ મેનેજમેન્ટ, ફિનટેક વિભાગ અને ગેમ ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સહિતના કૉર્સ બંધ થયા છે. તેનું મુખ્ય એ કારણ એ સામે આવી રહ્યું છે કે, અગાઉના ફેકલ્ટીઓને નવા VC દ્વારા છૂટા કરી દેવામાં આવ્યા છે.

ખાનગી વિભાગના કોર્સ યુનિવર્સિટીના હસ્તકે

અગાઉ પૂર્વ કુલપતિએ તેમના રાજમાં 152 કૉર્સ PPP ધોરણે ચાલુ કર્યાં હતાં. તો હાલમાં, નવા કુલપતિ દ્વારા તમામ કૉર્સને PPP ને બદલે હવે યુનિવર્સિટી હસ્તક લેવામાં આવ્યા છે. પરંતુ આ વિભાગમાં શિક્ષકોની ઉણપ સામે રહી છે. તે સહિત યુનિવર્સિટીના તમામ સ્ટાફની પણ બદલી કરી દેવામાં આવી છે.

ન્યાયની આશામાં વિદ્યાર્થીઓ રજડ્યાં

ત્યારે શિક્ષણ મંત્રી અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે. તેના કારણે શૈક્ષણિક સ્તરે ગુજરાતના ભવિષ્યને ઉજ્જવલ બનારા માસૂમ વિદ્યાર્થીઓ જ્ઞાન મંદિરના દરવાજે ન્યાયની આશા રાખીને બેઠા છે કે, ક્યારે ક્લાસરૂમના દરવાજા ભણતર માટે ખુલ્લા મૂકાશે.

આ પણ વાંચો: School safety program: છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓને કુદરતી આફતો પર તાલીમ આપવામાં આવી

Tags :
Advertisement

.

×