Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mehsana Ramyatra: મહેસાણાના એક ગામમાં રામ યાત્રા પર થયો પથ્થરમારો

Mehsana Ramyatra: દેશભરમાં ખૂણે-ખૂણે બસ એક સાદ સંભળાઈ રહ્યો છે, તે જય શ્રી રામના નામનો છે. કારણ કે... 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિરનું અલૌકિક નિર્માણ થયું છે. તે સાથે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલા માટે પ્રાણ પ્રતિષ્ઠા માહાપર્વનું આયોજન...
07:59 PM Jan 21, 2024 IST | Aviraj Bagda
Stone pelting took place during Ram Yatra in a village of Mehsana

Mehsana Ramyatra: દેશભરમાં ખૂણે-ખૂણે બસ એક સાદ સંભળાઈ રહ્યો છે, તે જય શ્રી રામના નામનો છે. કારણ કે... 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિરનું અલૌકિક નિર્માણ થયું છે. તે સાથે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલા માટે પ્રાણ પ્રતિષ્ઠા માહાપર્વનું આયોજન કરવામાં આવ્યું છે.

મહેસાણાના ખેરાલુમાં રામ યાત્રા પર હુમલો

ત્યારે દેશમાં દેરક સ્થળ પર વિવિક કલા અને જ્ઞાનના સંગમ સાથે રામના નામે વિવિધ વસ્તું તૈયાર કરવામાં આવી છે. વિવિધ સ્થળો પર રામના નામે ચિત્ર, વિના મૂલ્યે ભોજન અને કલાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં મહેસાણાના ખેરાલુમાં શ્રી રામ નામની રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ યાત્રા પર અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારો ત્યારે કરવામાં આવ્યો હતો. જ્યારે આ યાત્રા બેલીમ વિસ્તાર થઈને સ્થાનિક મસ્જિદમાં પહોંચી હતી.

Mehsana Ramyatra

યાત્રા પર હુમલાની યોજના અગાઉથી બનાવી

આ ઘટનામાં અસામાજીક તત્વો દ્વારા જુદા-જુદા મકાનોની છત પર ચડીને પથ્થમારો કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના કહ્યા પ્રમાણે યાત્રા અહીંથી નિકળશે, આ વાતની જાણ પહેલી સૌને હતી. તેથી આરોપીઓ દ્વારા પહેલાથી પથ્થરો ઘરમાં મૂકવામાં આવ્યા હતા.

આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન

Mehsana Ramyatra

જ્યારે આ ઘટના વિશે પોલીસને જાણ થઈ હતી, ત્યારે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે આ ઘટનામાં પોલીસ દ્વારા 10 રાઉન્ડ ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. તે ઉપરાંત સમગ્ર વિસ્તારની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જો કે હાલમાં, પોલીસ દ્વારા સ્થાનિકોના બયાન આધારે તાપાસ હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત અસામાજીક તત્વોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા.

આ પણ વાંચો: Harani Case Update: જાણો… ગુજરાત HC એ હરણીકાંડ મામલે સુનાવણીમાં શું કહ્યું ?

Tags :
AyodhyaGujaratGujaratFirstJai Shree RamMehsanaMehsana RamyatraProtestramram mandirRamyatraRiots
Next Article