Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Loksabha Election : અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહી આ મોટી વાત

Loksabha Election : સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે (Bhatsan village) ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ના ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભા ભાજપ સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર (Alpesh Thakor)ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી ભારતીય જનતા પાર્ટીની...
loksabha election   અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહી આ મોટી વાત

Loksabha Election : સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે (Bhatsan village) ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ના ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભા ભાજપ સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર (Alpesh Thakor)ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી ભારતીય જનતા પાર્ટીની (Bjp)રાજનીતિના કાર્યો ગણાવી સાતમી તારીખે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

Advertisement

અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ સભા

લોકસભા ચૂંટણી (Loksabha Election) નું 7મી તારીખે મતદાન થવાનું છે.ત્યારે પાટણ જિલ્લામાં ચૂંટણી માહોલ બરાબર જામી રહ્યો છે સભાઓ અને બેઠકોનો દોર શરૂ થયો છે ત્યારે આજે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે પાટણ (Patan)લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીની ચૂંટણી પ્રચારની જાહેર સભા અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

Advertisement

કોંગ્રેસે પાર્ટી એ ભારતને લૂંટવા સિવાય કંઈ કામ કર્યું નથી :અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે ચૂંટણી લક્ષી કોઈ મુદ્દા જ નથી માટે અલગ અલગ વાતો કરી રહ્યું છે. ગુજરાતમાં છાશ વારે કોમની હુલ્લડો થતા હતા. કોંગ્રેસે પાર્ટી એ ભારતને લૂંટવા સિવાય કંઈ કામ કર્યું નથી. આ લોકસભાની ચૂંટણી મારી તમારી નથી આ ચૂંટણી આપણા આવનારા ભવિષ્યની ચૂંટણી છે આ ચૂંટણી વિકાસની ચૂંટણી છે.કોંગ્રેસનું કામ હોબાળા કરવાનું છે.

Advertisement

લોકોએ નરેન્દ્ર મોદીને જીતાડવાનું નક્કી કર્યું છે :અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આવનારો યુગ મોદી યુગ છે. ક્યારે દરેકે દરેક લોકોએ નરેન્દ્ર મોદીને જીતાડવાનું નક્કી કર્યું છે. દસ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે લોકોની સુખાકારી વધારી છે તેનો હિસાબ લઈને પ્રજા સમક્ષ આવ્યા છીએ.

દરેક સમાજના લોકો નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે: અલ્પેશ ઠાકોર

ક્ષત્રિય સમાજના વિરોધ અંગે પૂછતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિરોધ માત્ર એક નેતા સામે જ છે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પ્રત્યે આ સમાજને ખૂબ સન્માન છે. દરેક સમાજના લોકો નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે. ગુજરાતની જનતાએ ભૂતકાળનું ભ્રષ્ટ શાસન અણગઢ વહીવટ અને તોફાનો વાળું ગુજરાત જોયું છે. નરેન્દ્ર મોદીના શાસનનો દેશ અનેક ઊંચાઈઓ સર કરી રહ્યો છે.

ગુજરાતને લૂંટવાનું કામ 70 વર્ષ સુધી કોંગ્રેસે કર્યું છે

ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં છાસવારે કોમી હુલ્લડો થતા હતા. દેશ અને ગુજરાતને લૂંટવાનું કામ 70 વર્ષ સુધી કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસમાં જોડાયા બાદ માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જ હું થાકી ગયો એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. નરેન્દ્ર મોદી એક યુગપુરુંષ છે માટે હજારો કોંગ્રેસ આગેવાનો કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે હું તો એ સમયે એક બાળક હતો.

આ પણ  વાંચો - અમિત શાહની સભામાં અર્જુન મોઢવાડીયાએ વાટ્યો ભાંગરો, એવી જીભ લપસી કે નેતા શરમમાં મુકાયા

આ પણ  વાંચો - VADODARA : રવિવારે “તમારા મતદાન મથકને જાણો” અભિયાન યોજાશે

આ પણ  વાંચો - VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રોડ-શોને લઇ પોલીસનું જાહેરનામું

Tags :
Advertisement

.