Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat ATS : આત્મઘાતી હુમલાનું કાવતરું ઘડનારા 4 આંતકીને ATS એ દબોચ્યા, હર્ષ સંઘવીએ કહી આ વાત

આજે ગુજરાત ATS એ (Gujarat ATS) મોટી કાર્યવાહી કરી અમદાવાદ એરપોર્ટ પરથી 4 ખૂંખાર આતંકીઓની ધરપકડ કરી છે. આ ચારેય આંતકી ચેન્નાઇ એરપોર્ટથી (Chennai airport) વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પહોંચ્યા હતા. બાતમીના આધારે ગુજરાત ATS એ આંતકીઓની ઓળખ...
gujarat ats   આત્મઘાતી હુમલાનું કાવતરું ઘડનારા 4 આંતકીને ats એ દબોચ્યા  હર્ષ સંઘવીએ કહી આ વાત

આજે ગુજરાત ATS એ (Gujarat ATS) મોટી કાર્યવાહી કરી અમદાવાદ એરપોર્ટ પરથી 4 ખૂંખાર આતંકીઓની ધરપકડ કરી છે. આ ચારેય આંતકી ચેન્નાઇ એરપોર્ટથી (Chennai airport) વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પહોંચ્યા હતા. બાતમીના આધારે ગુજરાત ATS એ આંતકીઓની ઓળખ કરી અટક કરી હતી. આ મામલે DGP વિકાસ સહાયએ (DGP Vikas Sahay) પ્રેસ કોન્ફરન્સ કરીને આતંકીઓની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હોવાની માહિતી આપી હતી. આ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ATS ને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

ગૃહરાજ્યમંત્રીએ ATS ના કર્યા વખાણ

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATS ને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, ગુજરાત ATS સતર્કતા અને શૌર્ય સાથે કાર્ય કરે છે. ATS ગુજરાત સહિત દેશની રક્ષા કરવા નિરંતર કટિબદ્ધ છે. તેમણે આગળ કહ્યું કે, ડ્રગ્સ માફિયા કે આતંકીઓ સામે ગુજરાત પોલીસ (Gujarat Police) સક્ષમ અને અડિખમ છે. જણાવી દઈએ કે, આજે ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી ATS એ ચાર આંતકીઓની ધરપકડ કરાઈ હતી. આ આંતકીઓની પૂછપરછમાં કેટલાક મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા હતા. આતંકીઓની ધરપકડ બાદ DGP વિકાસ સહાયએ (DGP Vikas Sahay) પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને માહિતી આપી હતી.

Advertisement

ISIS સાથે જોડાણ, આત્મઘાતી હુમલો કરવાની તૈયારી

DGP વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, આ ચારેય આંતકી શ્રીલંકાના નાગરિક છે. તેમની પાસેથી ISIS નો ફ્લેગ, ભારતીય અને શ્રીલંકન ચલણ તથા બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. 4 પૈકી બે આતંકી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે. તેમણે કહ્યું હતું કે, ચારેય આંતકવાદી પ્રતિબંધિત સંસ્થા ISIS સાથે સંકળાયેલા છે અને સક્રિય સભ્યો છે. તેમની ઓળખ અબ્દુલ મોહમ્મદ રશદિન, નુફેર મોહમ્મદ અફરાન, મોહમ્મદ ફરિશ મોહમ્મદ અને અહેમદ મોહમ્મદ નુશરથ તરીકે થઈ છે. ચારેય પાકિસ્તાન (Pakistan) સ્થિત અબુના સંપર્કમાં હતા. અબુએ તેમને 4 લાખ શ્રીલંકન રૂપિયા આપ્યા હતા. DGP વિકાસ સહાય એ મોટો ખુલાસો કરતા કહ્યું કે, પ્રાથમિક અહેવાલ છે કે આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં હતા અને BJP અને RSS ના નેતાઓને નિશાન બનાવવાના હતા.

Advertisement

આ પણ વાંચો - Gujarat ATS : આત્મઘાતી હુમલો, BJP – RSS નેતા હતા નિશાને, ISIS સાથે જોડાણ, આંતકીઓને લઈ ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો - Gujarat ATS : અઠવાડિયાની મહેનત બાદ ઝડપાયા IS ના ખૂંખાર આતંકી

આ પણ વાંચો - Controversy: રાજુ બાપુનું મોં કાળું કરવાની અલ્પેશ ઠાકોરની ચિમકી

Tags :
Advertisement

.