Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

​​Adani Ports : મુંન્દ્રા જમીન મામલામાં ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટે

Adani Ports : ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવા સામે અદાણી પોર્ટ્સ (​​Adani Ports) અને SEZ લિમિટેડની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવાના ગુજરાત હાઈકોર્ટના...
03:09 PM Jul 10, 2024 IST | Vipul Pandya
Supreme Court

Adani Ports : ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવા સામે અદાણી પોર્ટ્સ (​​Adani Ports) અને SEZ લિમિટેડની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.

પીઆઈએલમાં સ્થાનિક સમુદાય માટે ગૌચર જમીન ગુમાવવાનો ઉલ્લેખ

તમને જણાવી દઈએ કે કચ્છમાં અદાણી પોર્ટ્સને 108 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે એક PILની સુનાવણી કરી હતી જેમાં જમીનની ફાળવણીને પડકારવામાં આવી હતી. પીઆઈએલમાં સ્થાનિક સમુદાય માટે ગૌચર જમીન ગુમાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 20 વર્ષ પહેલા અદાણી ગ્રૂપને ફાળવવામાં આવેલી જમીનની ફાળવણી રદ કરવા સૂચના આપવામાં આવી હતી.

ગુજરાત સરકારે શુક્રવારે હાઇકોર્ટને જાણ કરી હતી કે તે આશરે 108 હેક્ટર ગૌચર જમીન પાછી લેશે

વાસ્તવમાં, ગુજરાત સરકારે શુક્રવારે હાઇકોર્ટને જાણ કરી હતી કે તે આશરે 108 હેક્ટર ગૌચર જમીન પાછી લેશે, જે 2005માં રાજ્યના કચ્છ જિલ્લામાં મુંદ્રા બંદર નજીક અદાણી જૂથના એકમને આપવામાં આવી હતી. અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડને ગૌચરની 231 એકર જમીન ફાળવવાના નિર્ણય સામે નવીનાલ ગામના રહેવાસીઓએ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કર્યાના 13 વર્ષ બાદ સરકારનો આ નિર્ણય આવ્યો છે.

ગામમાં માત્ર 45 એકર ગોચરની જમીન બચી

રાજ્યના મહેસૂલ વિભાગે 2005માં ફાળવણી કરી હોવા છતાં, 2010માં જ્યારે APSEZએ ગૌચર જમીન પર ફેન્સિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે ગ્રામજનોને તેની જાણ થઈ. રહેવાસીઓના જણાવ્યા મુજબ, APSEZને 276 એકરમાંથી 231 એકર જમીન ફાળવ્યા પછી, ગામમાં માત્ર 45 એકર ગોચરની જમીન બચી છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે આ પગલું ગેરકાયદેસર હતું કારણ કે ગામમાં પહેલેથી જ ગોચરની જમીન ઓછી હતી. વધુમાં, તેમણે દાવો કર્યો હતો કે આ જમીન જાહેર અને સામુદાયિક સંપત્તિ છે.

ગુજરાત હાઈકોર્ટે 2014માં પીઆઈએલનો નિકાલ કર્યો હતો

ગુજરાત હાઈકોર્ટે 2014માં પીઆઈએલનો નિકાલ કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારે તેના સોગંદનામામાં કહ્યું હતું કે ડેપ્યુટી કમિશનરે 387 હેક્ટર વધારાની સરકારી જમીન ગોચર માટે આપવાનો આદેશ પસાર કર્યો હતો. જ્યારે આવું ન થયું ત્યારે હાઈકોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે 2015માં કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરીને દલીલ કરી હતી કે પંચાયતને ફાળવણી માટે ઉપલબ્ધ જમીન માત્ર 17 હેક્ટર છે. ત્યારે રાજ્ય સરકારે લગભગ 7 કિલોમીટર દૂર બાકીની જમીન ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે ગામલોકોને સ્વીકાર્ય ન હતો કારણ કે તેઓએ કહ્યું હતું કે પશુઓ માટે આટલું લાંબુ અંતર કાપવું શક્ય નથી.

રાજ્ય સરકારે લગભગ 108 હેક્ટર જમીન પાછો લેવાનો નિર્ણય કર્યો

એપ્રિલ 2024માં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચે રેવન્યુ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી (ACS)ને ઉકેલ શોધવા માટે નિર્દેશ આપ્યો હતો. શુક્રવારે, ACS એ એફિડેવિટ દ્વારા બેંચને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે લગભગ 108 હેક્ટર અથવા 266 એકર ગૌચર જમીન પાછી લેવાનો નિર્ણય કર્યો છે, જે અગાઉ APSEZને ફાળવવામાં આવી હતી.

આ પણ વાંચો----- Gautam Adani : “કોઈ પડકાર અમારા પાયાને નબળો પાડી શકે નહીં”

Tags :
Adani GroupAdani PortsBusinessGauchar landGautam AdaniGujarat FirstGujarat GovernmentlandNationalPILplearevenue departmentSEZ LimitedSupreme Court
Next Article