Video : નાનામાં નાના અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તેવી તેમની પ્રતિબદ્ધતા છે : CM Bhupendra patel
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. તેઓ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ સીધા અંબાજી મંદિરે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજીમાં મા અંબાના દર્શન કરી પૂજા અર્ચના કરી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી. ત્યારબાદ તેઓ સીધા ખેરાલુના ડભાડા પહોંચી ગયા હતા અને અહીં તેઓએ 5941 રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે પણ PM નું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે, અમે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તેવી પ્રતિબદ્ધતા લઈએ છીએ. રેલવે પાણી પુરવઠા સિંચાઇ માર્ગ મકાન દરેક સુવિધાઓ ના કામો નો પંચ વિકાસ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. વડાપ્રધાન સમય થી બે કદમ આગળ વિચારે છે. વડાપ્રધાન એ ગુજરાતમાં સીએમ કાળ દરમ્યાન ઘણા વિકાસ કર્યો કર્યા છે.
આ પણ વાંચો : અમદાવાદના શાહપુરમાં 600 વર્ષથી ચાલી આવતી માંડવીના ગરબાની પરંપરા