Bharuch : ખનન માફિયાઓએ નર્મદા નદીનું વહેણ જ બદલી નાખ્યું!
ફરી એકવાર રાજ્યમાં ખનન માફિયાની કરતૂતનો પર્દાફાશ થયો છે. ભરૂચમાં નર્મદા નદીના પાટમાં બેફામ કનન ચાલી રહ્યું છે.
07:55 PM Apr 18, 2025 IST
|
Vishal Khamar
ભરૂચમાં નર્મદા નદીના પટમાં બેફાન ખનન ચાલી રહ્યું છે. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. શુક્લતીર્થ, મંગલેશ્વર, કડોદ અંગારેશ્વરમાં મોટાપાયે ખનન ચાલી રહ્યું છે. બેફામ ખનીજ માફિયાની કરતૂતનાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ખનીજ માફિયાઓએ નર્મદા નદી પર રસ્તો પણ બનાવ્યો હતો. વહેણ બદલી જાય તેવી રીતે નદીની વચ્ચે પાળો બનાવ્યો હતો. પુરપાટ ઝડપે દોડતા ડમ્પરોથી સ્થાનિકોને અકસ્માતનો ડર છે. બેફામ ખનન કરીને જતા ડમ્પરોથી સ્થાનિકોને જોખમ છે. અકસ્માતમાં અનેક લોકોના જીવ ગયાનો સ્થાનિકોનો દાવો છે. શુક્લતીર્થ ખાતે ડૂબી જવાથી ત્રણ લોકોના મોત થયા હતા.