Ahmedabad : સાબરમતીમાં ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસને લઇ ઓક્સિજન પાર્ક ખાતે કરાયું વૃક્ષારોપણ
આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો જન્મ દિવસ છે. તેમજ અમિત શાહના જન્મ દિવસની ઠેરઠેર ઉજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદના જગતપુરમાં CM ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરશે. તથા જમાલપુર જગન્નાથ મંદિરમાં ભંડારો, વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
ઓક્સિજન પાર્ક ખાતે વૃક્ષારોપણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 59મો જન્મદિવસ છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે અમદાવાદના સાબરમતીમાં ઉજવણી કરવામાં આવી. વળી અહીં ઓક્સિજન પાર્ક ખાતે વૃક્ષારોપણ કરાયું છે. જ્યા ધારાસભ્ય હર્ષદ પટેલ દ્વારા વૃક્ષારોપણ કરાયું છે. વૃક્ષારોપણ બાદ કેક કાપીને ઉજવણી પણ કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ પાઠવી શુભકામના
વડાપ્રધાન મોદીએ પણ અમિતભાઇ શાહને શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે અમિતભાઇ દેશની પ્રગતિ માટે જુસ્સાદાર છે. તેમનું સુરક્ષા અને સહકારી વિકાસમાં નોંધપાત્ર યોગદાન છે અને ઉત્કૃષ્ટ વહીવટકર્તા તરીકેની ઓળખ છે. વડાપ્રધાને ભાજપને મજબૂત કરવામાં અમિતભાઇની પ્રશંસનીય ભૂમિકા હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો - UP News : જય શ્રી રામના નારા લગાવવા બદલ વિદ્યાર્થીને સ્ટેજ પરથી ઉતારવામાં આવ્યો, Video Viral થતા પોલીસે કરી કાર્યવાહી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે