Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'કેજરીવાલ મસાજ સેન્ટર' દિલ્હીની તિહાડ જેલની બહાર લાગ્યા પોસ્ટર

ભાજપના નેતાએ પોસ્ટર સાથેનો વીડિયો સો.મીડિયા પર શેયર કર્યો દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન પર તિહાડ જેલમાં  બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી ખંડણી લીધાનો આરોપ લાગ્યા બાદ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે પોસ્ટર વોર ફાટી નીકળ્યું છે. તિહાડ જેલની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં લખ્યું છે 'કેજરીવાલ મસાજ સેન્ટર'... કહેવામાં આવી રહ્યું છà
06:06 AM Nov 02, 2022 IST | Vipul Pandya
ભાજપના નેતાએ પોસ્ટર સાથેનો વીડિયો સો.મીડિયા પર શેયર કર્યો 
દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન પર તિહાડ જેલમાં  બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી ખંડણી લીધાનો આરોપ લાગ્યા બાદ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે પોસ્ટર વોર ફાટી નીકળ્યું છે. તિહાડ જેલની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં લખ્યું છે 'કેજરીવાલ મસાજ સેન્ટર'... કહેવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટીના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ લગાવ્યું છે.પોતાના ટ્વિટર હેન્ડલ પર આ પોસ્ટર સાથે પોતાનો એક વીડિયો જાહેર કરતા તેજિંદરપાલ સિંહ બગ્ગાએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર પણ કટાક્ષ કર્યા છે. બગ્ગાએ કહ્યું કે અમારા સીએમ અરવિંદ કેજરીવાલ ખૂબ સારા માણસ છે. તેમણે દિલ્હીની તિહાડ જેલની અંદર મસાજ સેન્ટર ખોલ્યું છે. અમે આ પોસ્ટર તિહાડ જેલની બહાર લગાવ્યું છે જેથી સામાન્ય માણસ પણ મફતમાં મસાજ કરી શકે.

શું છે સમગ્ર વિવાદ ?
હવે ચાલો પહેલા તમને જણાવીએ કે આ રિકવરી વિવાદ શું છે. વાસ્તવમાં ઠગ સુકેશ ચંદ્રશેખરનો એક પત્ર સામે આવ્યો છે. સુકેશ ચંદ્રશેખરે આ પત્ર દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે સક્સેનાને લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેણે સત્યેન્દ્ર જૈનને દિલ્હીની તિહાડ જેલમાં રોકાણ દરમિયાન પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા આપ્યા છે. સુકેશ ચંદ્રશેખરનો દાવો છે કે તેણે આ પૈસા સત્યેન્દ્ર જૈનના નજીકના મિત્રને આપ્યા હતા. સુકેશે આ પત્ર પોતાના હાથે એલજીને લખ્યો હતો, જે તેના વકીલે એલજીને સોંપ્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે એલજીએ આ પત્રને ગંભીરતાથી લીધો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા આ મુદ્દે આગળ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ ઠગ સાથે પણ ઠગાઇ કરી છે. 
જેલમાં સત્યેન્દ્ર જૈનના મસાજ કરાવતા સીસીટીવી ફૂટેજ ?
અગાઉ સૂત્રોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ટ્રાયલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટને ટાંકીને જણાવ્યું હતું કે જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી સાથે તેમની પત્ની નિયમોને તોડીને મુલાકાત લઇ રહી છે..  ટ્રાયલ કોર્ટમા EDએ આરોપ મૂક્યો છે કે સત્યેન્દ્ર જૈનની પત્ની પૂનમ જૈનને જેલમાં બંધ તેમના પતિને મળવા વિના રોકટોક પ્રવેશની મંજૂરી છે. તે તેમના પતિને નિયમ મુજબ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સમય સુધી જેલની અંદર મળે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ કોર્ટમાં રજૂ કરેલા એફિડેવિટમાં કહ્યું છે કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં સ્પેશિયલ ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઈડીએ પોતાના આ સોગંદનામાના સમર્થનમાં સીસીટીવી ફૂટેજની કોપી પણ સબમિટ કરી છે. ED સાથે જોડાયેલા સૂત્રોએ ખુલાસો કર્યો છે કે આ સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે સત્યેન્દ્ર જૈન તિહાર જેલના પરિસરમાં મસાજ કરાવી રહ્યો છે. તે જેલ સુપ્રિટેન્ડેન્ટ સાથે અવારનવાર મીટિંગ કરતો હોવાનું પણ જોવા મળે છે.

શું છે સત્યેન્દ્ર જૈન પર આરોપ ?
એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોર્ટની પરવાનગી વિના સત્યેન્દ્ર જૈનને જેલની અંદર ઘરે બનાવેલું ભોજન પીરસવામાં આવી રહ્યું છે.. સીસીટીવી ફૂટેજમાં એવું પણ જોવા મળે છે કે તે તેના એક સહ-આરોપીને જેલની કોટડીમાં કલાકો સુધી મળી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે સીબીઆઈ દ્વારા સત્યેન્દ્ર જૈન પર 14 ફેબ્રુઆરી, 2015 અને 31 મે, 2017 વચ્ચે અલગ-અલગ લોકોના નામે અનેક સંપત્તિ હડપ કરવાનો આરોપ છે. ઈડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 4.81 કરોડ રૂપિયા પણ સત્યેન્દ્ર જૈન પાસેથી જપ્ત કર્યા છે. 
Tags :
AAPCENTREGujaratFirstJailKejriwalmassagePrisonSatyendraJainTIHAD
Next Article