Valsad News:વાપીની KBS કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગોઝારી ઘટના, પાંડવ કુંડમાં ડૂબી જવાથી 4 લોકોના મોત
- વલસાડ જિલ્લાના કપરાડા રોહીયાળ તલાટ ગામમાં ની ગોઝારી ઘટના
- પાંડવ કુંડમાં ડૂબી જતા 4 વિદ્યાર્થીઓના મોત ,1 નો બચાવ
- વાપી ની KBS કોલેજ ના 8 વિદ્યાર્થીઓ નું ગ્રુપ પાંડવ કુંડ ફરવા ગયું હતું
- 2 રીક્ષામાં ફરવા ગયા હતા વિદ્યાર્થીઓ
Valsad News: વલસાડ(Vapi)નાં કપરાડામાં રોહીયાળ તલાટ ગામે (Talat village)ગોઝારી(Gojari) ઘટના બની હતી. પાંડવ કુંડમાં ડૂતી જતા 4 લોકોના (students)મોત થયા હતા. જ્યારે એક બચાવ થયો હતો. વાપીનાં યુવક-યુવતીઓનું ગ્રેપ પાંડવ કુંડ ફરવા ગયું હતું. મૃતકોમાં 2 યુવક અને 2 યુવતીઓનો સમાવેશ થાય છે. બનાવ બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચ તપાસ હાથ ધરી હતી. એક સાથે 4 ના મોતથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો.
પાંડવકુંડમાં ન્હાવા પડતાં ડૂબ્યાં
બનાવની જો વિગતવાર વાત કરવામાં આવે તો વાપીની KBS કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બે રિક્ષામાં રોહિયાળ તલાટ ગામે આવેલા પાંડવકુંડ ફરવા ગયું હતું. આઠ વિદ્યાર્થીઓમાં 6 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. યુવક યુવતીઓનું ગ્રુપ ત્યાં પહોંચી તેમાંથી 4 વિદ્યાર્થીઓ અને એક રિક્ષા ચાલક આ પાંડવકુંડમાં ન્હાવા પડ્યા હતા.
આ પણ વાંચો -Bharuch: સુપર સ્ટાર શાહરૂખના ઘરમાં તસ્કરે ચોરીને આપ્યો અંજામ
પાણી ઊંડું હોવાથી તેઓ ડૂબ્યા હતા
જોકે પાણી ઊંડું હોવાથી તેઓ ડૂબ્યા હતા. આ જોતા જ બાકીના 1 વિદ્યાર્થીઓ તેમને બચાવવા અંદર પડ્યા હતા. બુમાબુમ કરતા સ્થાનિક લોકો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જેમાંથી બે લોકોનો બચાવ થયો હતો. જ્યારે કુંડમાં ડૂબેલા 5 લોકોને તાત્કાલિક સારવાર માટે કપરાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી 4 વિદ્યાર્થીઓનું મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષાચાલકનો બચાવ થયો હતો.
આ પણ વાંચો - Porbandar Municipal Election Results : Kutiyana માં Kandhal જ કિંગ, જીત બાદ જશ્ન
4 મૃતકો હતા કોલેજના વિદ્યાર્થીઓ
વલસાડનાં રોહીયાળ તલાટ ગામે ગોઝારી ઘટના બનવા પામી હતી. જેમાં પાંડવ કુંડમાં ડૂતી જતા 4 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો છે. વાપીની કેબીએસ કોલેજની યુવક-યુવતીઓ પાંડવ કુંડ ફરવા ગયા હતા. આઠ વિદ્યાર્થીઓ રીક્ષા લઈને ફરવા ગયા હતા. ચાર મૃતકો કોલેજનાં વિદ્યાર્થીઓ છે. બનાવ બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એક સાથે 4 ના મોતથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ જવા પામી હતી.