Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Budget થી ખુશ નથી રાકેશ ટિકૈત, કહ્યું- આ ફક્ત કાગળ પર, ખેડૂતોને કોઈ ફાયદો નહીં...

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બજેટ (Budget) પર અસંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કેમ તેનાથી પાયાના સ્તરે ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં. ટિકૈતે કહ્યું, "તેમને (કેન્દ્રને) આ બજેટ (Budget) કાગળ પર ગમશે, પરંતુ તે જમીન પરના ખેડૂતોને ફાયદો પહોંચાડનાર નથી. જે...
budget થી ખુશ નથી રાકેશ ટિકૈત  કહ્યું  આ ફક્ત કાગળ પર  ખેડૂતોને કોઈ ફાયદો નહીં

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બજેટ (Budget) પર અસંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કેમ તેનાથી પાયાના સ્તરે ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં. ટિકૈતે કહ્યું, "તેમને (કેન્દ્રને) આ બજેટ (Budget) કાગળ પર ગમશે, પરંતુ તે જમીન પરના ખેડૂતોને ફાયદો પહોંચાડનાર નથી. જે કંપનીઓ ખેડૂતોને જૈવિક ખેતી શીખવશે તેમને તેનો ફાયદો થશે. ખેડૂત નેતાએ વધુમાં કહ્યું, જો સરકાર ખેડૂતોનું કલ્યાણ ઇચ્છતી હોય તો મફત વીજળી અને પાણી આપે.

Advertisement

રાકેશ ટિકૈતે સરકાર પાસે આ માંગણી કરી હતી...

રાકેશ ટિકૈતે કહ્યું કે જો સરકાર ખેડૂતોને ફાયદો કરવા માંગતી હોય તો પાકની યોગ્ય કિંમત આપવી જોઈએ. ખેડૂતોને મફત વીજળી અને પાણી આપવું જોઈએ. સસ્તું ખાતર આપવું જોઈએ અને કૃષિ સાધનો પરનો GST ઘટાડવો જોઈએ. ટિકૈતે એમ પણ કહ્યું કે, દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલી મહિલાઓ ભૂમિહીન છે. તેમના માટે કોઈ જોગવાઈઓ નથી. એક વર્ષમાં દુધના હવમાં પણ ધટાડો થયો હતો. તેઓ સૌથી ખરાબ સ્થિતિમાં છે.

Advertisement

રાકેશ ટિકૈતે આ સવાલ સરકારને પૂછ્યો હતો...

બજેટ (Budget)ને નિરાશાજનક ગણાવતા રાકેશ ટિકૈતે કહ્યું કે, તમે કારખાનામાં કામ કરતા કામદારો માટે શું કર્યું? તમે તમારા સ્વાસ્થ્ય માટે શું કર્યું? ગ્રામ્ય આરોગ્ય માટે કોઈ યોજના છે? પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની સરકારની યોજના પર ટિકૈતે કહ્યું કે કોઈ કંપની અથવા એનજીઓ આવશે, પૈસા લેશે, ખેડૂતોને કુદરતી ખેડતી શીખવશે અને તેમને ગાયના છાણના ખાતરનો ઉપયોગ કરવાનું કહેશે. ખેડૂતો પહેલેથી જ આ કરી રહ્યા છે.

ભારતીય કિસાન સંઘે બજેટનું સ્વાગત કર્યું...

તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા ખેડૂતોના સંગઠન ભારતીય કિસાન સંઘે મોદી સરકારના બજેટ (Budget)ને આવકારતા તેને કૃષિ અને ખેડૂત મૈત્રીપૂર્ણ ગણાવ્યું છે અને પ્રાકૃતિક ખેતી અને ઉચ્ચ ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાનું પ્રાથમિક બજેટ (Budget) ગણાવ્યું છે. ભારતીય કિસાન યુનિયનના અખિલ ભારતીય મહાસચિવ મોહિની મોહન મિશ્રાએ જણાવ્યું હતું કે, ભારતીય કિસાન યુનિયન આ બજેટ (Budget)નું સ્વાગત કરે છે જે કૃષિ અને ખેડૂતો માટે અનુકૂળ છે અને સંબંધિત ક્ષેત્રોના હિતોને પ્રોત્સાહન આપે છે.

Advertisement

આ પણ વાંચો : 'Andhra Pradesh માં ખુશીની લહેર, PM મોદીનો આભાર...', જાણો ચંદ્રબાબુ નાયડુએ શું કહ્યું...

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 'NEET UG પરીક્ષા ફરી નહીં યોજાય'

આ પણ વાંચો : Jammu-Kashmir: કુપવાડામાં અંધાધૂંધ ફાયરિંગ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીને ઘેરી લીધા

Tags :
Advertisement

.