Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Budget 2024-25 : આજથી વિધાનસભામાં બજેટ સત્રના 'શ્રી ગણેશ', એક મહિનામાં 26 બેઠકો યોજાશે

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) આજથી બજેટ સત્રના (Budget 2024-25) 'શ્રી ગણેશ' થશે. બપોરે 12 વાગ્યે વિધાનસભા બજેટ સત્રની પહેલી બેઠક મળશે. ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી બજેટસત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે. વિધાનસભાના સ્વર્ગસ્થ...
budget 2024 25   આજથી વિધાનસભામાં બજેટ સત્રના  શ્રી ગણેશ   એક મહિનામાં 26 બેઠકો યોજાશે

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) આજથી બજેટ સત્રના (Budget 2024-25) 'શ્રી ગણેશ' થશે. બપોરે 12 વાગ્યે વિધાનસભા બજેટ સત્રની પહેલી બેઠક મળશે. ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી બજેટસત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે. વિધાનસભાના સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ અપાશે.

Advertisement

આજે ગુજરાત માટે મહત્ત્વનો દિવસ છે. કારણે કે આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની (Budget 2024-25) શરૂઆત થવા જઈ રહી છે. બપોરે 12 વાગ્યે વિધાનસભામાં બજેટ સત્રની પહેલી બેઠક મળશે. ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના (Governor Acharya Devvrat) સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. ત્યાર બાદ ગૃહમાં શોકદર્શક ઉલ્લેખ રજૂ કરી સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. માહિતી મુજબ, સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં મહેસૂલ વિભાગનું બિલ રજૂ કરવામાં આવી શકે છે. જ્યારે 2 ફેબ્રુઆરીના રોજ ગુજરાતનું બજેટ રજૂ કરાશે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ( Finance Minister Kanubhai Desai) વર્ષ 2024-25નું વાર્ષિક બજેટ રજૂ કરશે. જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન 26 જેટલી બેઠકો યોજાશે. બજેટ દરમિયાન રાજ્ય સરકાર ગણોતધારામાં ફેરફાર કરી શકે છે.

Advertisement

બજેટ ગુજરાતને આગળ વધારતું હશે : મંત્રી ઋષિકેશ પટેલે

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) જણાવ્યું હતું કે, આ બજેટ ગુજરાતને આગળ વધારતું હશે. તેમણે કહ્યું હતું કે, રાજપાલ દ્વારા આભાર પ્રસ્તાવ, સાથે જ ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરેલી કામગીરી અને વિકાસની જે પત્રિકા હતી તે દર્શાવવામાં આવશે. ઉપરાંત, પીએમ મોદીના નેજા હેઠળ અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો (Ram Mandir Pran Pratishtha) કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતા વિધાનસભામાં સત્ર દરમિયાન 5મીના રોજ સર્વસંમતિથી અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે એવું નક્કિ કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Surat : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 2 વર્ષીય બાળકી ઘરની બહાર નીકળી, બસની અડફેટે આવતા મોત

Tags :
Advertisement

.