Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રિંયકા ગાંધીનો ઓવૈસી પર ગંભીર આરોપ, કહ્યું - ભાજપ સાથે મળીને કામ કરે છે AIMIMના સુપ્રીમો

અમેઠી અને રાયબરેલી (Amethi and Rae Bareli) માં ચૂંટણી પ્રચાર (election campaign) ની કમાન સંભાળી ચૂકેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Congress General Secretary Priyanka Gandhi) સતત શેરી સભાઓ અને રોડ શો (Road Show) દ્વારા માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે....
પ્રિંયકા ગાંધીનો ઓવૈસી પર ગંભીર આરોપ  કહ્યું   ભાજપ સાથે મળીને કામ કરે છે aimimના સુપ્રીમો

અમેઠી અને રાયબરેલી (Amethi and Rae Bareli) માં ચૂંટણી પ્રચાર (election campaign) ની કમાન સંભાળી ચૂકેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Congress General Secretary Priyanka Gandhi) સતત શેરી સભાઓ અને રોડ શો (Road Show) દ્વારા માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે તેઓ રાયબરેલીના મુન્શીગંજ સ્થિત કિસાન શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે આ દરમિયાન કહ્યું કે, તેઓ ભાજપ (BJP) સાથે મળીને કામ કરી રહ્યા છે.

Advertisement

AIMIM ભાજપની B ટીમ : પ્રિયંકા ગાંધી

લોકસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસમાં જો કોઇ સૌથી એક્ટિવ જોવા મળે છે તો તે પ્રિયંકા ગાંધી છે. તેઓ સતત પ્રચાર કરી રહ્યા છે અને ભાજપ પર આકરા પ્રહાર પણ કરી રહ્યા છે. તેટલું જ નહીં તેમણે આજે ગુરુવારના રોજ AIMIM સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી (રાયબરેલીમાં પ્રિયંકા ગાંધી) પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ઓવૈસી ભાજપની બી ટીમ છે. ઓવૈસી પર નિશાન સાધતા પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, 'હું તમને વારંવાર કહું છું કે અસદુદ્દીન ઓવૈસી સીધા ભાજપ સાથે કામ કરી રહ્યા છે. ભાજપને જ્યાં પણ અન્ય પક્ષોને પાછળ ધકેલી દેવા માટે કોઈને મેદાનમાં ઉતારવાની જરૂર હોય ત્યાં તે આમ કરે છે. તેલંગાણાની ચૂંટણીમાં આ વાત બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે. પ્રિયંકાએ કહ્યું કે, 'છત્તીસગઢમાં અમે કહ્યું હતું કે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અને તે માફ કરવામાં આવી. કર્ણાટકમાં અમે કહ્યું હતું કે, મહિલાઓના ખાતામાં 2000 રૂપિયા જમા થશે, આજે તે જમા થઈ રહ્યા છે. જ્યાં પણ અમારી સરકાર છે અમે અમારા વચનો પુરા કર્યા છે. જો અમારી સરકાર કેન્દ્રમાં આવશે તો ખેડૂતોની લોન માફી માટે કાયમી કમિશનની રચના કરવામાં આવશે. ખેતીને લગતા તમામ સાધનો GST મુક્ત રહેશે.

પ્રિયંકા રાયબરેલીમાં 103 વર્ષ જૂના ઈતિહાસ સાથે રૂબરૂ થયા

પ્રિયંકા ગાંધીએ આજે ​​જે સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી તે સ્મારક 1921માં શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં બનાવવામાં આવ્યું છે. 1920-21 ના ​​અસહકાર ચળવળ દરમિયાન, અવધમાં એક ખેડૂત આંદોલન ફાટી નીકળ્યું હતું, જેનું નેતૃત્વ બાબા રામચંદ્ર અને મદારી પાસીએ કર્યું હતું. આંદોલન દરમિયાન રાયબરેલીના મુન્શીગંજમાં ભયાનક ગોળીબાર થયો હતો. 7 જાન્યુઆરી, 1921 ના ​​રોજ, ખેડૂતોને સાંઈ નદીના પુલ પર ઘેરી લેવામાં આવ્યા અને ગોળીબાર કરવામાં આવ્યો. આ અંગેની માહિતી મળતાં જ મોતીલાલ નેહરુ અને જવાહરલાલ નેહરુ રાયબરેલી પહોંચ્યા અને પીડિત ખેડૂતોને મળ્યા હતા. આ હત્યાકાંડ પછી જ્યારે આંદોલન ઉગ્ર બન્યું ત્યારે બંને નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં, શહીદ ખેડૂતોની યાદમાં અહીં એક શહીદ સ્મારક બનાવવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - લોકસભાની આ બેઠક પર મા-દીકરો ચૂંટણીના મેદાનમાં આવ્યા આમને-સામને

આ પણ વાંચો - ‘અમે કોઈને ચીડવતા નથી, પરંતુ જો કોઈ…’, મહારાણા પ્રતાપ જયંતિ પર PM મોદીનો સંદેશ… Video

Advertisement

Tags :
Advertisement

.