PM મોદીએ બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ કૉંગ્રેસના 4 ‘પાપ’ ગણાવ્યા
- ડૉ. આંબેડકર વિરુદ્ધ કૉંગ્રેસના 4 ‘પાપ’ : PM મોદી
- ડૉ. આંબેડકર વિશે વિવાદઃ PM મોદીના કડક પ્રહારો
- SC/ST સમુદાયના હિતો વિરુદ્ધ કૉંગ્રેસઃ PM મોદીનો આક્ષેપ
- વંશવાદી કૉંગ્રેસે આંબેડકરના વારસાને નુકસાન પહોંચાડ્યુંઃ PM મોદી
- કૉંગ્રેસના ખોટા કાર્યોનો પર્દાફાશઃ PM મોદીની ટીકા
- ડૉ. આંબેડકરના અપમાન પર કૉંગ્રેસ ઘેરાઈ ગઈઃ PM મોદી
- SC/ST સમુદાયની અવગણના પર કૉંગ્રેસ સામે PM મોદીના પ્રહારો
PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી Dr. Bhimrao Ambedkar ના મુદ્દે રાજકીય ઘમાસાણમાં ઉતર્યા છે. વિપક્ષના વિરોધ વચ્ચે PM મોદીએ કૉંગ્રેસના ડૉ. આંબેડકર વિરુદ્ધના 4 ‘પાપ’ ગણાવ્યા અને આરોપ મૂક્યો કે કૉંગ્રેસે આંબેડકર (Ambedkar) ના વારસાને નષ્ટ કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે. PM મોદીએ લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો વીડિયો શેર કર્યો હતો, જેમાં કૉંગ્રેસ પર SC-ST સમુદાયોને અવગણવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
PM મોદીનો વિપક્ષ પર શાબ્દિક પ્રહાર
ડૉ. ભીમરાવ આંબેડકર (Dr. Bhimrao Ambedkar) વિશે કરાયેલા નિવેદનને લઈને સંસદમાં મોટો હોબાળો મચ્યો છે. બુધવારે વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસે, આ મુદ્દાને લઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહનો બચાવ કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. PM મોદીએ પ્લેટફોર્મ એક્સ (X) પર લખ્યું કે, ગૃહમંત્રી શાહે ડૉ. આંબેડકરને લઈને કૉંગ્રેસના કાળા ઇતિહાસને ઉજાગર કર્યો છે. PM મોદીએ વધુમાં જણાવ્યું કે કૉંગ્રેસ દ્વારા કરાયેલા ખોટા કાર્યો અને જુઠ્ઠાણાંને છુપાવવાના પ્રયાસો સફળ નહીં થાય.
It is due to Dr. Babasaheb Ambedkar that we are what we are!
Our Government has worked tirelessly to fulfil the vision of Dr. Babasaheb Ambedkar over the last decade. Take any sector - be it removing 25 crore people from poverty, strengthening the SC/ST Act, our Government’s…
— Narendra Modi (@narendramodi) December 18, 2024
કૉંગ્રેસના "અપમાનજનક ઇતિહાસ" પર PM નો આકરો પ્રહાર
PM મોદીએ કૉંગ્રેસ અને તેના કામકાજના પરિપૂર્ણ ઇકોસિસ્ટમ પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, જો કૉંગ્રેસે એવું માન્યું છે કે તેના જુઠ્ઠાણાં અને યુક્તિઓ વડે ડૉ. આંબેડકરના અપમાન અને SC/ST સમુદાય પ્રત્યેના અનાદર જેવા કૃત્યો છુપાવી શકે છે, તો તે મોટી ભૂલ કરી રહી છે. PM મોદીએ દાવો કર્યો કે ભારતના લોકોને એ સ્પષ્ટ રીતે સમજાયું છે કે કેવી રીતે આ પક્ષે, ખાસ કરીને વંશવાદી નેતૃત્વ હેઠળ, આંબેડકરની વારસાઈને ભૂંસવાનો પ્રયાસ કર્યો છે.
The list of the Congress' sins towards Dr. Ambedkar includes:
Getting him defeated in elections not once but twice.
Pandit Nehru campaigning against him and making his loss a prestige issue.
Denying him a Bharat Ratna.
Denying his portrait a place of pride in Parliament’s…
— Narendra Modi (@narendramodi) December 18, 2024
SC/ST સમુદાય પ્રત્યે અનાદરના કૉંગ્રેસના દોષ
વડાપ્રધાનના મતે, કૉંગ્રેસે વર્ષોથી ડૉ. આંબેડકરના વારસાનો અનાદર કર્યો છે અને તે સમુદાયોના હિતો વિરુદ્ધ ગંદી રાજકીય કાવતરાઓ આચરી રહ્યા છે. PM મોદીએ એવો દાવો કર્યો કે ભારતના લોકો હવે સત્ય જાણે છે અને આવા પ્રશ્નો પર લોકોના પ્રતિસાદ હવે વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો: બાબાસાહેબ આંબેડકર પર અમિત શાહના નિવેદનથી વિપક્ષનો સંસદમાં હંગામો