Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mirzapur : મિર્ઝાપુરમાં પણ ગરમી બની જીવલેણ! ચૂંટણી ફરજ પરના 5 હોમગાર્ડના મોત

Mirzapur  : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections)અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવતીકાલે 1 જૂનના રોજ સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન થવાનું છે. દરમિયાન, મિરઝાપુરમાં હીટવેવના (Heat wave )કારણે ચૂંટણી ફરજમાં રોકાયેલા 5 હોમગાર્ડના મોત (5 Home Guard Death ) થયા...
mirzapur   મિર્ઝાપુરમાં પણ ગરમી બની જીવલેણ  ચૂંટણી ફરજ પરના 5 હોમગાર્ડના મોત

Mirzapur  : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections)અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવતીકાલે 1 જૂનના રોજ સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન થવાનું છે. દરમિયાન, મિરઝાપુરમાં હીટવેવના (Heat wave )કારણે ચૂંટણી ફરજમાં રોકાયેલા 5 હોમગાર્ડના મોત (5 Home Guard Death ) થયા છે. જ્યારે 16 હોમગાર્ડ જવાનોની તબિયત લથડતાં તેઓને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા હતા. આ તમામ હોમગાર્ડ સાતમા તબક્કાના મતદાન માટે ફરજ પર તૈનાત હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક મતદાન પાર્ટીમાં જવાને બદલે પોલિટેક્નિક ગ્રાઉન્ડ પહોંચી ગયો હતો. તે બીમાર પડ્યા બાદ તેને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પાંચ હોમગાર્ડના મોત થયા હતા.

Advertisement

લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચી

મળતી માહિતી મુજબ, લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવતીકાલે 1 જૂનના રોજ સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન થવાનું છે. દરમિયાન, મિરઝાપુરમાં કાળઝાળ ગરમી અને હીટવેવના કારણે ચૂંટણી ફરજમાં રોકાયેલા 5 હોમગાર્ડના મોત થયા હતા. જ્યારે 16 હોમગાર્ડ જવાનોની તબિયત લથડતાં તેઓને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા હતા. આ તમામ હોમગાર્ડ સાતમા તબક્કાના મતદાન માટે ફરજ પર તૈનાત હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક મતદાન પાર્ટીમાં જવાને બદલે પોલિટેક્નિક ગ્રાઉન્ડ પહોંચી ગયો હતો. તે બીમાર પડ્યા બાદ તેને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પાંચ હોમગાર્ડના મોત થયા હતા

Advertisement

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યો

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઘણી જગ્યાએ તાપમાન 51 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. જેના કારણે અત્યાર સુધીમાં અનેક ડઝન લોકોએ જીવ ગુમાવ્યા છે. મિર્ઝાપુરના તાપમાનની વાત કરીએ તો શુક્રવારે જિલ્લાનું મહત્તમ તાપમાન 47 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે. શનિવારે જિલ્લામાં તાપમાન 49 ડિગ્રીને પાર કરી શકે છે. દરમિયાન શુક્રવારે કડકડતી ગરમીમાં ફરજ પરના હોમગાર્ડ જવાનની તબિયત લથડતા મોત નિપજ્યું હતું.

Advertisement

ઉત્તર ભારતમાં હીટવેવને કારણે ડઝનેક લોકોના મોત

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ દેશભરમાં વધતી જતી ગરમી અને હીટવેવને કારણે અનેક ડઝન લોકોના મોત થયા હતા. મિર્ઝાપુર સુધી આકરી ગરમીને કારણે 43 લોકોના મોત થયા છે. બિહારમાં ગરમીના કારણે 32 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, ઓડિશામાં પણ ગરમીના કારણે 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. બિહારમાં ગરમીના મોજાને કારણે 32 લોકોના મોત થયા હતા, જેમાંથી ઔરંગાબાદમાં 17, અરાહમાં છ, ગયા અને રોહતાસમાં ત્રણ-ત્રણ, બક્સરમાં બે અને પટનામાં એક વ્યક્તિના મોત થયા હતા. ઓડિશાના રાઉરકેલામાં 10 લોકોના મોત થયા છે.

આ પણ  વાંચો  - Revanna Scandal Case : આરોપી પ્રજ્વલ રેવન્ના 6 દિવસના SIT રિમાન્ડ પર

આ પણ  વાંચો  - Swati Maliwal Case: કેજરીવાલના PAની મુશ્કેલી વધી, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ

આ પણ  વાંચો  - Jammu Kashmir : બોમ્બથી ઉડવાની ધમકી મળતા 177 યાત્રિકોનો જીવ તાળવે ચોટ્યો

Tags :
Advertisement

.