Haryana : સંકટમાં આવી ભાજપની સરકાર, 3 MLA આવ્યા કોંગ્રેસના સમર્થનમાં
Haryana : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) નો ત્રીજા તબક્કો (Third Phase) હવે પૂર્ણ થઇ ગયો છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, હરિયાણામાં મોટી રાજનીતિક ઉથલપાથલ થઈ છે. હરિયાણા (Haryana) માં ભાજપ સરકાર જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. નાયબ સરકારને ટેકો આપતા ત્રણ અપક્ષ ધારાસભ્યો (3 independent MLAs) એ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે ચોથો અપક્ષ ધારાસભ્ય પણ કોંગ્રેસના સંપર્કમાં છે.
હરિયાણામાં સત્તારૂઢ ભાજપ સરકારને મોટો ઝટકો
લોકસભા ચૂંટણી વચ્ચે હરિયાણામાં સત્તારૂઢ ભાજપ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે ત્રણ અપક્ષ ધારાસભ્યોએ જાહેરાત કરી કે તેઓએ રાજ્યમાં નાયબ સિંહ સૈનીની આગેવાની હેઠળની સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે. ત્રણ ધારાસભ્યો સોમબીર સાંગવાન, રણધીર ગોલેન અને ધરમપાલ ગોંદરે પણ કહ્યું કે તેઓએ ચૂંટણી દરમિયાન કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ત્રણેય ધારાસભ્યોએ રોહતકમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાનની હાજરીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. અપક્ષ ધારાસભ્ય ગાઉન્ડરે કહ્યું, "અમે સરકારમાંથી સમર્થન પાછું ખેંચી રહ્યા છીએ. અમે કોંગ્રેસને અમારું સમર્થન આપી રહ્યા છીએ. અમે ખેડૂતોના મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર આ નિર્ણય લીધો છે." હરિયાણાના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડા કહે છે, લોકોને વર્તમાન સરકાર પર વિશ્વાસ નથી અને આ લોકોએ તેમનો ટેકો પાછો ખેંચી લીધો છે અને કોંગ્રેસને સમર્થન આપવાનું નક્કી કર્યું છે"
#WATCH | Former Haryana CM & Congress leader Bhupinder Singh Hooda says, "Their decision is right the right decision taken at the right time. It is in the interest of the people...There is a wave of Congress. I welcome them..." pic.twitter.com/VyDc2YfdKR
— ANI (@ANI) May 7, 2024
- હરિયાણામાં ભાજપની સરકાર સંકટમાં
- 3 અપક્ષ ધારાસભ્યએ છોડ્યો ભાજપનો સાથે
- 3 ધારાસભ્યો આવ્યા કોંગ્રેસના સમર્થનમાં
- કોંગ્રેસે કહ્યું નાયબ સૈની સરકાર અલ્પમતમાં
- રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની હુડ્ડાની માગ
- હજુ પણ એક ધારાસભ્ય કોંગ્રેસના સંપર્કમાં
- બહુમતિ માટે જોઈએ 45 ધારાસભ્યનું સંખ્યાબળ
- હવે નાયબ સૈની સરકાર પાસે 43 ધારાસભ્ય
ભાજપ પાસેથી ટેકો પાછો ખેંચ્યો
પ્રેસ કોન્ફરન્સમાં બોલતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાને કહ્યું, "ત્રણ અપક્ષ ધારાસભ્યો - સોમબીર સાંગવાન, રણધીર સિંહ ગોલેન અને ધરમપાલ ગોંદરે ભાજપ સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચી લીધું છે અને કોંગ્રેસને સમર્થન આપ્યું છે. હું એ પણ કહેવા માંગુ છું કે (90 સભ્યોની) હરિયાણા વિધાનસભાની વર્તમાન સંખ્યા 88 છે, જેમાંથી ભાજપ પાસે 40 સભ્યો છે, અગાઉ ભાજપ સરકારને જેજેપીના ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હતું, પરંતુ જેજેપીએ પણ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો હતો અને હવે અપક્ષો પણ સમર્થન પાછું ખેંચી લીધું છે."
કોંગ્રેસને જનતાની ઈચ્છાઓ સાથે કોઈ લેવાદેવા નથી : નાયબ સિંહ સૈની
હરિયાણા સરકારમાંથી કેટલાક (અપક્ષ) ધારાસભ્યો સમર્થન પાછું ખેંચવા અને કોંગ્રેસને આપવા માગતા હોવાના અહેવાલો વિશે પૂછવામાં આવતા, હરિયાણાના મુખ્યમંત્રી અને ભાજપના નેતા નાયબ સિંહ સૈની કહે છે, "મને આ માહિતી મળી છે. કદાચ કોંગ્રેસ કેટલાક લોકોની ઈચ્છાઓ પૂરી કરવામાં વ્યસ્ત છે. હવે કોંગ્રેસને જનતાની ઈચ્છાઓ સાથે કોઈ લેવાદેવા નથી."
#WATCH | On being asked about reports of few (independent) MLAs wanting to withdraw support from Haryana govt and extend it to Congress, Haryana CM & BJP leader Nayab Singh Saini says, "I have received this information. Maybe Congress is engaged in fulfilling some people's wishes… pic.twitter.com/dtVRhBmr3T
— ANI (@ANI) May 7, 2024
ભાજપ સરકાર લઘુમતીમાં : કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં કુલ 90 વિધાનસભા સીટો છે. અહીંનો જાદુઈ નંબર 46 છે. એટલે કે કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછા 46 ધારાસભ્યોની જરૂર હોય છે. પરંતુ રાજ્યમાં હાલમાં બે બેઠકો ખાલી છે, તેથી જાદુઈ સંખ્યા 45 રહી છે. વર્તમાન આંકડાની રમતની વાત કરીએ તો ભાજપનો આંકડો બહુમત કરતા ઓછો જણાય છે. આ સમજવા માટે, આપણે સંખ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. ભાજપના પોતાના 40 ધારાસભ્યો છે. આ ઉપરાંત ભાજપને 2 અપક્ષ અને હરિયાણા લોકહિત પાર્ટી (ગોપાલ કાંડા)ના 1 ધારાસભ્યનું સમર્થન પણ છે. આ સંદર્ભમાં ભાજપ સરકારને 43 ધારાસભ્યોનું સમર્થન છે. કોંગ્રેસ અને અન્ય પક્ષોના ધારાસભ્યોની વાત કરીએ તો કોંગ્રેસ પાસે 30 ધારાસભ્યો છે, જ્યારે 3 અપક્ષ ધારાસભ્યોએ પણ સમર્થન જાહેર કર્યું છે. આ સિવાય જેજેપી પાસે 10 ધારાસભ્યો છે. એક ધારાસભ્ય INLDનો છે. આ સિવાય વધુ એક અપક્ષ ધારાસભ્ય બાકી છે. સૂત્રોનું માનીએ તો તેઓ કોંગ્રેસને પણ સમર્થન આપી શકે છે. કોંગ્રેસનો દાવો છે કે હાલમાં ભાજપ સરકાર લઘુમતીમાં છે.
આ પણ વાંચો - UCC-ક.મા.મુન્શી,હંસા મહેતા અને નરેન્દ્ર મોદી ગુજરાતી મહાનુભાવોનું પ્રણ
આ પણ વાંચો - Gujarat ના આ બૂથ પર માત્ર 3 જ વોટ પડ્યા, તમામ રાજકીય પક્ષો ચિંતિત