અમદાવાદનું આ મંદિર માત્ર હોળીના દિવસે જ ખુલે છે, Video
- વર્ષમાં એક જ વાર ખુલે છે ભાભા રાણાનું મંદિર
- હોળી સિવાય આખુ વર્ષ મંદિર રહે છે બંધ
- ભાભા રાણાએ મંદિરના ઓટલા પર જ સમાધી લીધી
- હોળીના દિવસે લીધી હતી ભાભા રાણાએ સમાધી
- ચીકણી માટીની મૂર્તિ બનાવવાની પ્રથા
- ગોમતીપુરની પટવા શેરીમાં આવેલું છે મંદિર
- ધૂળેટીના દિવસે શોભાયાત્રા નીકળે છે
Bhabha Rana Temple : હોળી ધુળેટીનો પાવન પર્વ છે ત્યારે શહેરમાં એક એવું પ્રાચીન મંદિર આવેલું છે જે ફક્ત વર્ષમાં એક જ દિવસ ખુલે છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલું ભાભા રાણા મંદિર માત્ર હોળી-ધુળેટીના દિવસે જ ખુલે છે. આ સિવાય મંદિર આખુ વર્ષ બંધ રહે છે. હોળીના લોકદેવ ભાભારાણાએ હોળીના દિવસે મંદિરના ઓટલા પર જ સમાધી લીધી હતી. આથી દર વર્ષ હોળીના દિવસે જ તેમની ચીકણી માટીની મૂર્તિ બનાવવાની પ્રથા શરૂ થઈ છે.