કેન્દ્ર સરકારે 25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે ઉજવવાની કરી જાહેરાત
Samvidhaan Hatya Diwas : કેન્દ્ર સરકારે (The Central Government) દર વર્ષે 25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન (Notification) બહાર પાડવામાં આવ્યું છે. 25 જૂન 1975ના રોજ દેશમાં ઈમરજન્સી (Emergency) લાદવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) પોતે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ X પર 25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે જાહેર કરવાની માહિતી આપી હતી.
કોંગ્રેસ પર શાહના આકરા પ્રહાર
અમિત શાહે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, PM મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એવા લાખો લોકોના સંઘર્ષનું સન્માન કરવાનો છે જેમણે તાનાશાહી સરકારના અસંખ્ય યાતનાઓ અને દમનનો સામનો કરવા છતાં લોકશાહીને પુનર્જીવિત કરવા માટે સંઘર્ષ કર્યો. ‘સંવિધાન હત્યા દિવસ’ લોકશાહીનું રક્ષણ કરવા અને દરેક ભારતીયની અંદર વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતને જીવંત રાખવા માટે કામ કરશે, જેથી ભવિષ્યમાં કોંગ્રેસ જેવી કોઈ તાનાશાહી માનસિકતા તેનું પુનરાવર્તન ન કરી શકે.
On June 25, 1975, the then PM Indira Gandhi, in a brazen display of a dictatorial mindset, strangled the soul of our democracy by imposing the Emergency on the nation. Lakhs of people were thrown behind bars for no fault of their own, and the voice of the media was silenced.
The… pic.twitter.com/9sEfPGjG2S
— Amit Shah (@AmitShah) July 12, 2024
પીડિતોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ : PM મોદી
વડાપ્રધાન મોદીએ અમિત શાહનું ટ્વીટ પોસ્ટ કર્યું અને કહ્યું કે 25 જૂને સંવિધાન હત્યા દિવસની ઉજવણી આપણને યાદ અપાવશે કે જ્યારે બંધારણને કચડી નાખવામાં આવ્યું ત્યારે શું થયું હતું. PM મોદીએ લખ્યું- 25 જૂનને #SamvidhaanHatyaDiwas તરીકે ઉજવવું એ યાદ અપાવશે કે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું ત્યારે શું થયું હતું. તે દરેકને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે જેમણે ઇમરજન્સીના અતિરેકને લીધે સહન કર્યું હતું, જે ભારતીય ઇતિહાસમાં કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલો અંધકારમય સમય હતો.
To observe 25th June as #SamvidhaanHatyaDiwas will serve as a reminder of what happens when the Constitution of India was trampled over. It is also a day to pay homage to each and every person who suffered due to the excesses of the Emergency, a Congress unleashed dark phase of… https://t.co/om14K8BiTz
— Narendra Modi (@narendramodi) July 12, 2024
ઈમરજન્સી કેમ લાદવામાં આવી હતી?
ઉલ્લેખનીય છે કે વર્ષ 1975માં ઈમરજન્સી લાદવાની જાહેરાત અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય બાદ કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીની ચૂંટણીને પડકારતી અરજી પર હાઈકોર્ટે 12 જૂન 1975ના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે રાયબરેલીથી તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરી હતી અને આગામી 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ઈન્દિરા ગાંધીના રાજીનામાની માંગણીઓ શરૂ થઈ અને દેશમાં વિવિધ સ્થળોએ આંદોલનો થવા લાગ્યા. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. આ પછી ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. રાજકીય પક્ષો ઈન્દિરા સરકાર અને કોંગ્રેસ પર પ્રહારો કરતા રહે છે અને તેને અલોકતાંત્રિક નિર્ણય ગણાવે છે. કયા સંજોગોમાં ઈમરજન્સી લાદવાની જાહેરાત કરવામાં આવી હતી અને વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ જે રીતે આ માહિતી આપી હતી તે અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ઈન્દિરા સરકારના નિર્ણયને તાનાશાહી ગણાવીને વિવિધ સંગઠનો સામે આવ્યા અને ભારે વિરોધ શરૂ થયો.
આ પણ વાંચો - Live-in Relationship માં પુરુષ માટે મહત્વનો ચૂકાદો….
આ પણ વાંચો - Supreme Court Collegium : 8 હાઇકોર્ટને મળશે નવા ચીફ જસ્ટિસ…