Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Khyati Hospital સરકારી યોજનાનાં નામે કૌભાંડ કરવામાં કુખ્યાત છે : શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહે ગોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, વર્ષ 2022માં પણ 3 દર્દીને સ્ટેન્ટ મૂકતા એકનું મોત થયું હતું.
khyati hospital સરકારી યોજનાનાં નામે કૌભાંડ કરવામાં કુખ્યાત છે   શક્તિસિંહ ગોહિલ
Advertisement
  1. Khyati Hospital માં મોતનાં ખેલ મુદ્દે કોંગ્રેસનાં પ્રહાર
  2. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ
  3. ખ્યાતિ હોસ્પિટલ યોજનાનાં નામે કૌભાંડ કરવા કુખ્યાત : ગોહિલ

અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં કોંગ્રેસ (Congress) પણ મેદાને આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખ્યાતિ હોસ્પિટલ સામે અનેક સવાલ ઉઠાવ્યા છે અને સાથે ગંભીર આક્ષેપ પણ કર્યા છે. શક્તિસિંહે ગોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, ખ્યાતિ હોસ્પિટલ યોજનાનાં નામે કૌભાંડ કરવામાં કુખ્યાત છે. વર્ષ 2022માં પણ 3 દર્દીને સ્ટેન્ટ મૂકતા એકનું મોત થયું હતું.

આ પણ વાંચો - Khyati Hospital નાં ફ્રી મેડિકલ કેમ્પમાં મોટું કારસ્તાન! 65 વર્ષીય શખ્સે કહ્યું કે, મને આંખમાં તકલીફ હતી અને..!

Advertisement

Advertisement

ખ્યાતિ હોસ્પિટલ સામે શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) વિવાદ મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આરોપ સાથે લખ્યું કે, ખ્યાતિ હોસ્પિટલ યોજનાના નામે કૌભાંડ કરવામાં કુખ્યાત છે. વર્ષ 2022 માં પણ 3 દર્દીને સ્ટેન્ટ મૂકતા એકનું મોત નીપજ્યું હતું. તેમણે આગળ કહ્યું કે, વર્ષ 2022 માં જો સરકારે કાર્યવાહી કરી હોત તો આજે નિર્દોષ લોકો બચી ગયા હોત. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પીડિત પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો - કીડા-મકોડા જેવી પ્રજાને મરવા માટે મુકી આરોગ્યમંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત

ખ્યાતિ હોસ્પિટલ સામે આ છે ગંભીર આરોપ

જણાવી દઈએ કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) સામે આરોપ છે કે, મહેસાણા (Mehsana) જિલ્લાનાં કડી તાલુકાનાં બોરીસણા (Borisana) ગામમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજયા બાદ 19 જેટલા લોકોને વધુ સારવાર માટે અમદાવાદ બોલાવ્યા હતા. ત્યાર બાદ 19 જેટલા દર્દીઓની તેમની અને તેમના પરિવારજનોની જાણ બહાર એન્જિયોગ્રાફી (Angiography) કરવામાં આવી હતી. જે પૈકી બે દર્દીઓનાં મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ પીડિત પરિવાર અને ગ્રામજનો દ્વારા હોસ્પિટલમાં ભારે હોબાળો કરી તોડફોડ કરવામાં આવી હતી. ગ્રામજનોએ હોસ્પિટલ સામે આયુષ્યમાન કાર્ડમાંથી (Ayushman Card) ખોટી રીતે રૂપિયા ખંખેર્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. સાથે જ હોસ્પિટલ સંચાલક અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

આ પણ વાંચો - Khyati Hospital : ગ્રામજનોમાં રોષ, પૂર્વ DyCM નીતિન પટેલ હોસ્પિટલ પહોંચ્યા, બેઠકોનો દોર શરૂ!

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Gujarati Top News : આજે 18 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 18 June 2025: બુધવારે બુધાદિત્ય યોગમાં આ 5 રાશિના લોકોને કરિયરમાં મોટી સફળતા મળશે

featured-img
જૂનાગઢ

Visavadar by-election : ગોપાલ ઈટાલિયાના ગંભીર આક્ષેપ સામે પરેશ ધાનાણીની આકરી પ્રતિક્રિયા

featured-img
Top News

Botad rain: ગઢડાના પીપળીયા ગામે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું, અલગ અલગ જગ્યાએ ફસાયા હતા બે પરીવારો

featured-img
Top News

Visavadar by-election : એક જ દિવસમાં AAPનું બીજું સ્ટીંગ ઓપરેશન, મતદાન પહેલા મોટી માત્રામાં પકડાયો દારૂનો જથ્થો

featured-img
આંતરરાષ્ટ્રીય

Donald Trump : 'Ali Khamenei ક્યાં છુપાયેલા છે, તે જાણીએ છીએ...' ટ્રમ્પનું ઈરાનના લીડરને અલ્ટીમેટમ

Trending News

.

×