Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BJP ના શાસનમાં મુસ્લિમો પર હુમલાઓ યાથાવત : Rahul Gandhi

કોંગ્રેસ નેતાના ભાજપ પર આકરા પ્રહારો ભારતને એક કરવાની લડાઈ કોઈપણ કાળે જીતીશું કેટલાક મુસાફરોને શંકા હતી કે સામાનમાં બીફ છે Rahul Gandhi About BJP : કોંગ્રેસ નેતા Rahul Gandhi એ હરિયાણામાં ચરખી-દાદરી અને મહારાષ્ટ્રના Dhule ની ઘટનાઓને લઈને...
08:59 PM Sep 01, 2024 IST | Aviraj Bagda
Rahul Gandhi blasts Modi govt after attacks on Muslims over beef suspicion

Rahul Gandhi About BJP : કોંગ્રેસ નેતા Rahul Gandhi એ હરિયાણામાં ચરખી-દાદરી અને મહારાષ્ટ્રના Dhule ની ઘટનાઓને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષના નેતા Rahul Gandhi એ કહ્યું છે કે, જે લોકો નફરતનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરીને સત્તાની સીડી પર ચઢ્યા છે. તેઓ દેશભરમાં સતત ભયનું રાજ સ્થાપિત કરી રહ્યા છે. સાંસદ Rahul Gandhi એ કહ્યું છે કે, આ બદમાશોને ભાજપ સરકાર તરફથી છૂટો હાથ મળ્યો છે, તેથી જ તેઓએ આવું કરવાની હિંમત કેળવી છે. તેથી મુસ્લિમો પર હુમલાઓ પર હેવાનિય જેવા હુમલાઓ ચાલુ છે. આવા અરાજકતાવાદીઓ સામે કડક કાર્યવાહી કરીને કાયદાનું શાસન સ્થાપિત કરવું જોઈએ.

ભારતને એક કરવાની લડાઈ કોઈપણ કાળે જીતીશું

લોકસભા સાંસદ Rahul Gandhi એ કહ્યું કે ભારતની સાંપ્રદાયિક એકતા અને ભારતના લોકોના અધિકારો પર કોઈપણ પ્રકારનો હુમલો એ બંધારણ પર હુમલો સમાન છે, જેને અમે બિલકુલ સાંખી લેવામાં ન આવવો જોઈએ. ભાજપ ગમે તેટલો પ્રયાસ કરે, અમે કોઈપણ કિંમતે નફરત સામે ભારતને એક કરવાની આ ઐતિહાસિક લડાઈ કોઈપણ કાળે જીતીશું. હરિયાણાના ચરખી-દાદરી જિલ્લામાં પશ્ચિમ બંગાળના પરપ્રાંતિય મજૂર સાબીર મલિકની હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસે ગાય સંરક્ષણ જૂથના 5 સભ્યોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો:Hostel માંથી કથિત હાલતમાં દિલ્હીના IG ની પુત્રીનો મૃતદેહ મળ્યો

ગૌમાંસ લઈ જવાની શંકામાં વૃદ્ધને માર માર્યો

આ ઉપરાંત બે સગીર આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે અમે માતા ગાયોની સુરક્ષા માટે કડક કાયદો બનાવ્યો છે. સીએમ સૈનીએ કહ્યું હતું કે હું ભારપૂર્વક કહું છું કે Lynching ની આવી ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે અને ન થવી જોઈએ. જોકે, તેમણે એમ પણ કહ્યું કે ટોળા દ્વારા Lynching જેવી વાતો કરવી યોગ્ય નથી. મહારાષ્ટ્રમાં Dhule Express માં ગૌમાંસ લઈ જવાની શંકામાં એક વૃદ્ધ મુસાફરને કેટલાક લોકોએ માર માર્યો હતો.

કેટલાક મુસાફરોને શંકા હતી કે સામાનમાં બીફ છે

Dhule ના રહેવાસી 72 વર્ષીય અશરફ અલી સૈયદ હુસૈન પોતાની પુત્રીને મળવા માટે જલગાંવથી કલ્યાણ જતી Dhule CSMT Express Train માં મુસાફરી કરી રહ્યા હતાં. મુસાફરી દરમિયાન તેનો અન્ય સહ-યાત્રીઓ સાથે સીટને લઈને વિવાદ થયો હતો. આ ઘટના અંગે સહ-યાત્રીઓએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ પછી, થાણે રેલવે પોલીસે પીડિતાનું નિવેદન નોંધ્યું. તેમણે કહ્યું કે મારી પાસે થોડો સામાન હતો, પરંતુ કેટલાક મુસાફરોને શંકા હતી કે સામાનમાં બીફ છે. લોકોએ દાવો કર્યો હતો કે પ્લાસ્ટિકના બોક્સમાં માંસ જેવું કંઈક હતું. ત્યારબાદ તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને કેટલાક યુવકોએ તેને માર માર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

આ પણ વાંચો: આ રાજ્યએ 46 થી 65 હજાર વેતન સાથે મેટ્રોન ટ્રેન માટે ભરતી કરી જાહેર

Tags :
beating of elderly in Dhulebeating of Muslimbeef consumptionBJPBJP GovernmentGujarat FirstMaharashtra Dhulemob lynching in Charkhi Dadrimob lynching in HaryanaMuslimMuslimsNayab Singh SainiRahul Gandhi About BJPrahul-gandhiViolence
Next Article