નીતિશ કુમારને લાગ્યો મોટો ઝટકો, હાઈકોર્ટે બિહારમાં 65 ટકા અનામતનો કાયદો કર્યો રદ
પટના હાઈકોર્ટે (Patna High Court) ગુરુવારે અનામત (Reservation) પર મોટો નિર્ણય આપીને નીતિશ કુમાર (Nitish Kumar) ને ઝટકો આપ્યો છે. અહીં હાઇકોર્ટે (High Court) રાજ્ય સરકારના તે નિર્ણયને રદ કર્યો છે, જેમાં જાતિ ગણતરી બાદ અનામત મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો નિર્ણય લેવાયો હતો. સરકારે આ અનામત SC, ST, EBC અને OBC કેટેગરીને આપી હતી.
હાઈકોર્ટે અનામતનો વધેલો ક્વોટા રદ કર્યો
નીતીશ કુમારની જૂની કેબિનેટે 7 નવેમ્બરે ક્વોટા વધારવાનો નિર્ણય લીધો હતો અને બિહારના જાતિ આધારિત સર્વેના અહેવાલના આધારે વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. આ દ્વારા OBC અનામત 12 ટકાથી વધારીને 18 ટકા, EBC અનામત 18 ટકાથી વધારીને 25 ટકા, SC અનામત 16 ટકાથી વધારીને 20 ટકા અને ST અનામત 1 ટકાથી વધારીને 2 ટકા કરવાનો પ્રસ્તાવ હતો. આ બિલ 9 નવેમ્બરના રોજ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. 21 નવેમ્બરના રોજ રાજ્યપાલની મંજૂરી પછી, આ બિલ કાયદાનું સ્વરૂપ લઈ ગયું અને સમગ્ર રાજ્યમાં લાગુ થઈ ગયું. આ કાયદાને અનામત વિરોધી સંગઠન યુથ ફોર ઈક્વાલિટી દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના 50 ટકાથી વધુ અનામત ન આપવાના નિર્ણયના આધારે બિહાર આરક્ષણ કાયદાને પડકારવામાં આવ્યો હતો. પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટિસ હરીશ કુમારની ખંડપીઠે બિહારના નવા આરક્ષણ કાયદાને બંધારણની કલમ 14, 15 અને 16નું ઉલ્લંઘન ગણાવીને ફગાવી દીધો છે. માનવામાં આવે છે કે રાજ્ય સરકાર હાઈકોર્ટના નિર્ણયને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટની મોટી બેંચમાં પડકારશે.
Patna High Court scraps 65% reservation for Backward Classes, EBCs, SCs & STs.
The Court set aside the Bihar Reservation of Vacancies in Posts and Services (Amendment) Act, 2023 and The Bihar (In admission in Educational Institutions) Reservation (Amendment) Act, 2023 as ultra… pic.twitter.com/FTvY9CzvRn
— ANI (@ANI) June 20, 2024
દેશમાં હવે કોને કેટલી અનામત છે?
દેશમાં અનામતની કુલ મર્યાદા 49.5 ટકા છે. હાલમાં SC ને 15 ટકા, ST ને 7.5 ટકા અને OBC ને 27 ટકા અનામત છે. આ સિવાય સરકારે આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકોને 10 ટકા અનામત આપી છે. જોકે, નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે પછાત વર્ગોને આપવામાં આવેલી અનામતને યોગ્ય ઠેરવી હતી. અગાઉ બિહારમાં પણ અનામતની મર્યાદા માત્ર 50 ટકા હતી.
સરકારી નોકરીઓમાં કોનો કેટલો હિસ્સો છે?
બિહાર સરકારે ગયા વર્ષના અંતમાં વિધાનસભામાં રાજ્યના આર્થિક અને સામાજિક સર્વેનો ડેટા રજૂ કર્યા હતા. આ દરમિયાન સરકારે એ પણ જણાવ્યું કે સરકારી નોકરીઓમાં કયા વર્ગના કેટલા લોકો છે. સર્વે અનુસાર, બિહારમાં સામાન્ય વર્ગની વસ્તી 15 ટકા છે અને તેમની પાસે સૌથી વધુ 6 લાખથી વધુ નોકરીઓ પણ છે. નોકરીની બાબતમાં 63 ટકા વસ્તી પછાત વર્ગની છે. આ કેટેગરીમાં કુલ 6 લાખ 21 હજારથી વધુ નોકરીઓ છે. ત્રીજા સ્થાને 19 ટકા સાથે SC જાતિઓ છે. SCમાં લગભગ 2 લાખ 91 હજાર નોકરીઓ છે. ST વર્ગમાં સૌથી ઓછી સરકારી નોકરીઓ છે. આ કેટેગરીમાં માત્ર 30 હજાર નોકરીઓ છે.
આ પણ વાંચો - Bihar Bridge Collapse: કરોડોનાં ખર્ચે બનેલો બ્રિજ અચાનક કડડભૂસ થયો, જુઓ હચમચાવે એવો video
આ પણ વાંચો - NEET માં Cheat કરતા માસ્ટરમાઈન્ડની કબૂલાત, આ ભાવે વેચ્યું વિદ્યાર્થીઓનું ભવિષ્ય