Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar news: NDA સાથે ગઠબંધનનો અંતિમ નિર્ણય મારો રહેશેઃ Chirag Paswan

Bihar news:બિહારમાં (Bihar Politics) છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા છે કે JDU પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર મહાગઠબંધન સાથે છેડો ફાડીને ફરીવાર NDA સાથે જોડાઈ શકે છે. આ સૌની વચ્ચે હવે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે એલજેપી...
bihar news  nda સાથે ગઠબંધનનો અંતિમ નિર્ણય મારો રહેશેઃ chirag paswan

Bihar news:બિહારમાં (Bihar Politics) છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા છે કે JDU પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર મહાગઠબંધન સાથે છેડો ફાડીને ફરીવાર NDA સાથે જોડાઈ શકે છે. આ સૌની વચ્ચે હવે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે એલજેપી સાંસદ ચિરાગ પાસવાને (Chirag Paswan) પ્રતિક્રિયા આપી છે.

Advertisement

 ચિરાગ પાસવાને  NDA ને લઈને  શું  કહ્યું 
ચિરાગ પાસવાને જણાવ્યું કે 'એલજેપી (Ram Vilas) રાજ્યના રાજકીય માહોલ પર નજર રાખી રહી છે. આગામી 2-3 દિવસમાં બધું સ્પષ્ટ થઈ જશે. વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે અમે ગઈકાલે એક બેઠક પણ યોજી હતી. જ્યાં સુધી NDA સાથે ગઠબંધનની વાત છે તો નિર્ણય લેવાની જવાબદારી મારી છે. જે પણ નિર્ણય લેવામાં આવશે, એલજેપી અને ભાજપ સાથે મળીને લેશે.

ઉલ્લેખનીય છે કે, (Bihar news) બિહારમાં  રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આગામી એક-બે દિવસમાં બિહારમાં JDU અને BJP એટલે કે NDA 2020 ની ફોર્મ્યુલા મુજબ ફરીથી સરકાર બનાવે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ રાજકીય ઉથલપાથલ વચ્ચે જેડીયુ, આરજેડી, ભાજપ અને કોંગ્રેસે આજે તેમના પક્ષોની બેઠક બોલાવી હતી. આરજેડીની બેઠકમાં તમામ ધારાસભ્યો, વિધાન પરિષદ અને અન્ય મોટા નેતાઓ હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે પણ બેઠક બોલાવી હતી. એવું માનવામાં આવે છે કે બેઠક બાદ ભાજપ ધારાસભ્યોની સહીવાળું સમર્થન મુખ્યમંત્રી નીતીશ કુમારને સોંપી શકે છે.

Advertisement

28મીએ શપથવિધિ યોજાય તેવી શક્યતા છે
સૂત્રોના જણાવ્યા અનુસાર ચિરાગ આજે કે કાલે સવારે દિલ્હીમાં જેપી નડ્ડા સાથે વાતચીતનો બીજો રાઉન્ડ કરે તેવી શક્યતા છે. બીજેપીમાં દિલ્હી હાઈકમાન્ડ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ જ ચિરાગ પટના જશે. મળતી  માહિતી અનુસાર  આવતીકાલે શપથવિધિ યોજાય તેવી શક્યતા છે. ચિરાગ ત્યારે જ જશે જ્યારે તેની પાર્ટી માટે વસ્તુઓ બ્લેક એન્ડ વ્હાઇટ હશે.

નીતિશ કુમાર બક્સરના મહાદેવ મંદિર મુલાકાતે 
પટનામાં રાજકીય તાપમાન વધ્યા પછી, નીતિશ કુમાર શનિવારે બક્સરના બ્રહ્મપુર મંદિર પરિસરમાં પહોંચ્યા, જ્યાં તેમણે પ્રાર્થના કરી અને મંદિરના કાયા કલ્પના બીજા તબક્કાની યોજનાઓનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન તેમની સાથે બીજેપી નેતા અશ્વિની કુમાર ચૌબે પણ જોવા મળ્યા હતા. સીએમ નીતિશ કુમાર સાથે બ્રહ્મેશ્વરનાથ ધામ મંદિરનું ઉદ્ઘાટન કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું, 'ભગવાન જે ઈચ્છશે તે થશે... હું જ તેમને (Nitish Kumar) ને અહીં પહેલીવાર લાવ્યો હતો અને આજે પણ હું જ છું. એક. હું તેમને લાવ્યો છું.

Advertisement

આ  પણ  વાંચો - Lok Sabha Election : UP માં કોંગ્રેસ-સપા વચ્ચે ડીલ ફાઈનલ! અખિલેશ યાદવ 11 બેઠક આપવા રાજી

Tags :
Advertisement

.