Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Murder in MP : પરિવારના 8 લોકોને કુહાડીથી રહેશી નાખ્યા, પછી લગાવી ફાંસી

Murder in MP : મધ્યપ્રદેશના છિંદવાડા (Madhya Pradesh's Chhindwara) માં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 લોકોની કુહાડી વડે હત્યા (killed 8 members) કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, ઘરના વડાએ પરિવારના 8 સભ્યો (killed 8...
10:15 AM May 29, 2024 IST | Hardik Shah
Murder in MP

Murder in MP : મધ્યપ્રદેશના છિંદવાડા (Madhya Pradesh's Chhindwara) માં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 લોકોની કુહાડી વડે હત્યા (killed 8 members) કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, ઘરના વડાએ પરિવારના 8 સભ્યો (killed 8 members) ની હત્યા કરી હતી, જેમા એક બાળક ઈજાગ્રસ્ત (Child Injured) થયો હતો. ત્યારબાદ આરોપીએ પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા (committed suicide) કરી લીધી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

ઘરના મોભીએ જ પરિવારના સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ

મધ્યપ્રદેશના છિંદવાડામાં બનેલી આ ઘટનાએ સૌ કોઇને ચોંકાવી દીધા છે. જોકે હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટના છિંદવાડાના માહુલઝિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત બોદલ કચર ગામની છે. આ ગામમાં એક આદિવાસી પરિવાર રહેતો હતો. મંગળવારે રાત્રે પરિવારના વડાએ કુહાડી વડે ભાઈ, ભાભી, પત્ની અને નાના બાળક સહિત 8 સભ્યોના માથા કાપી નાખ્યા હતા. આ પછી હત્યારાએ ગામથી 100 મીટર દૂર ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી. SP મનીષ ખત્રીએ પરિવારના 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સવારે જ્યારે ગ્રામજનો જાગ્યા ત્યારે તેમણે મૃતદેહ જોયા અને પોલીસને જાણ કરી. આ અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોનો કબજો મેળવ્યો હતો. આ સાથે હત્યારાનો મૃતદેહ પણ ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. પોલીસ હવે શોધી રહી છે કે આ મોત પાછળનું કારણ શું છે? ગ્રામજનો અને પડોશીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આરોપી ડ્રગ એડિક્ટ હોવાનો અનુમાન

આ હત્યાકાંડ અંગે છિંદવાડાના SP મનીષ ખત્રીએ જણાવ્યું હતું કે, 8 સભ્યોની હત્યા કરનાર વ્યક્તિ પરિવારનો સભ્ય હતો અને માનસિક રીતે બીમાર હતો. તેણે ગત રાત્રે પરિવારના 8 સભ્યોની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં એક બાળક ઘાયલ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ડ્રગ એડિક્ટ હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટના બુધવારે રાત્રે 3 વાગ્યાની છે. કહેવાય છે કે આરોપીનો તેની પત્ની સાથે વિવાદ ચાલતો હતો. આ ઘટના વિવાદ દરમિયાન બની હતી. ઘટના બાદ મૃતકોના મૃતદેહ ઘરમાં વેરવિખેર પડી ગયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી રહી છે.

આ પણ વાંચો - Hyderabad : બાળકો વેચવાના રેકેટનો પર્દાફાશ, દિલ્હી-પુણેથી ચોરી કરતા હતા, 11 ને બચાવાયા…

આ પણ વાંચો - વધુ એક દુર્ઘટના! પાર્ટીમાં ભોજન બાદ 40 લોકોની તબિયત લથડી, 4 ના મોત

Tags :
Ax murderbhopal-stateChhindwarachhindwara crimeChhindwara mass murderChhindwara MurderChhindwara newsChhindwara PoliceCrimeCrime in Madhya PradeshCrime Newseight people killed in Chhindwarafamily members murderMadhya PradeshMadhya Pradesh Murder Casemadhya pradesh newsMass murderMPMP CrimeMP Murder CaseMP NewsMurderMurder in MPsuicidesuicide after murdersuicide in ChhindwaraTamia Chhindwara
Next Article