Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Murder in MP : પરિવારના 8 લોકોને કુહાડીથી રહેશી નાખ્યા, પછી લગાવી ફાંસી

Murder in MP : મધ્યપ્રદેશના છિંદવાડા (Madhya Pradesh's Chhindwara) માં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 લોકોની કુહાડી વડે હત્યા (killed 8 members) કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, ઘરના વડાએ પરિવારના 8 સભ્યો (killed 8...
murder in mp   પરિવારના 8 લોકોને કુહાડીથી રહેશી નાખ્યા  પછી લગાવી ફાંસી

Murder in MP : મધ્યપ્રદેશના છિંદવાડા (Madhya Pradesh's Chhindwara) માં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 લોકોની કુહાડી વડે હત્યા (killed 8 members) કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, ઘરના વડાએ પરિવારના 8 સભ્યો (killed 8 members) ની હત્યા કરી હતી, જેમા એક બાળક ઈજાગ્રસ્ત (Child Injured) થયો હતો. ત્યારબાદ આરોપીએ પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા (committed suicide) કરી લીધી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

Advertisement

ઘરના મોભીએ જ પરિવારના સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ

મધ્યપ્રદેશના છિંદવાડામાં બનેલી આ ઘટનાએ સૌ કોઇને ચોંકાવી દીધા છે. જોકે હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટના છિંદવાડાના માહુલઝિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત બોદલ કચર ગામની છે. આ ગામમાં એક આદિવાસી પરિવાર રહેતો હતો. મંગળવારે રાત્રે પરિવારના વડાએ કુહાડી વડે ભાઈ, ભાભી, પત્ની અને નાના બાળક સહિત 8 સભ્યોના માથા કાપી નાખ્યા હતા. આ પછી હત્યારાએ ગામથી 100 મીટર દૂર ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી. SP મનીષ ખત્રીએ પરિવારના 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સવારે જ્યારે ગ્રામજનો જાગ્યા ત્યારે તેમણે મૃતદેહ જોયા અને પોલીસને જાણ કરી. આ અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોનો કબજો મેળવ્યો હતો. આ સાથે હત્યારાનો મૃતદેહ પણ ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. પોલીસ હવે શોધી રહી છે કે આ મોત પાછળનું કારણ શું છે? ગ્રામજનો અને પડોશીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આરોપી ડ્રગ એડિક્ટ હોવાનો અનુમાન

આ હત્યાકાંડ અંગે છિંદવાડાના SP મનીષ ખત્રીએ જણાવ્યું હતું કે, 8 સભ્યોની હત્યા કરનાર વ્યક્તિ પરિવારનો સભ્ય હતો અને માનસિક રીતે બીમાર હતો. તેણે ગત રાત્રે પરિવારના 8 સભ્યોની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં એક બાળક ઘાયલ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ડ્રગ એડિક્ટ હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટના બુધવારે રાત્રે 3 વાગ્યાની છે. કહેવાય છે કે આરોપીનો તેની પત્ની સાથે વિવાદ ચાલતો હતો. આ ઘટના વિવાદ દરમિયાન બની હતી. ઘટના બાદ મૃતકોના મૃતદેહ ઘરમાં વેરવિખેર પડી ગયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Hyderabad : બાળકો વેચવાના રેકેટનો પર્દાફાશ, દિલ્હી-પુણેથી ચોરી કરતા હતા, 11 ને બચાવાયા…

આ પણ વાંચો - વધુ એક દુર્ઘટના! પાર્ટીમાં ભોજન બાદ 40 લોકોની તબિયત લથડી, 4 ના મોત

Advertisement

Tags :
Advertisement

.