Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maldives : ભારત વિરોધી નીતિ બદલ રાષ્ટ્રપતિનો વિપક્ષ તરફથી ભારે વિરોધ

Maldives : માલદીવના ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુ માટે ભારતનો વિરોધ મોંઘો સાબિત થઈ રહ્યો છે. તેમના દેશની જ સંસદમાં આ સ્ટેન્ડ પર સમર્થન મળી રહ્યું નથી. હવે સંસદમાં તેમના ભાષણ પહેલા માલદીવની બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરવાનો નિર્ણય...
maldives   ભારત વિરોધી નીતિ બદલ રાષ્ટ્રપતિનો વિપક્ષ તરફથી ભારે વિરોધ
Advertisement

Maldives : માલદીવના ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુ માટે ભારતનો વિરોધ મોંઘો સાબિત થઈ રહ્યો છે. તેમના દેશની જ સંસદમાં આ સ્ટેન્ડ પર સમર્થન મળી રહ્યું નથી. હવે સંસદમાં તેમના ભાષણ પહેલા માલદીવની બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અને ડેમોક્રેટ્સ પાર્ટી આજે માલદીવની સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરશે.

માલદીવના બે મુખ્ય વિરોધ પક્ષો (Maldives Democratic and Democrats Party) સોમવારના રોજ સંસદમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુના ભાષણમાં હાજરી આપશે નહીં. બહુમતી ધરાવતા MDP એ હજુ સુધી રાષ્ટ્રપતિના ભાષણના બહિષ્કાર પાછળનું કારણ સ્પષ્ટ કર્યું નથી. જો કે, ડેમોક્રેટ્સે કહ્યું કે તેઓ ત્રણ મંત્રીઓને પુનઃસ્થાપિત કરવાને કારણે (જેઓને ભારતના વડાપ્રધાન PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા)ને કારણે તેઓ બેઠકથી દૂર રહેશે. જો કે, બંને વિરોધ પક્ષોએ મોહમ્મદ મુઇઝુ પર "ભારત વિરોધી વિચારસરણી" હોવાનો આરોપ લગાવ્યો હતો.

Advertisement

Advertisement

વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો 

માલદીવના ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ માટે ભારતનો વિરોધ મોંઘો સાબિત થઈ રહ્યો છે. તેમને પોતાના જ સંસદમાં આ સ્ટેન્ડ પર સમર્થન નથી મળી રહ્યું. હવે સંસદમાં તેમના ભાષણ પહેલા માલદીવની બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી અને ડેમોક્રેટ્સ પાર્ટી સોમવારે માલદીવની સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરશે.ગૃહમાં સૌથી વધુ બેઠકો ધરાવતી MDP એ હજુ સુધી એવું કહ્યું નથી કે તે મુઈઝુના સંબોધનનો બહિષ્કાર કરવા જઈ રહી છે. ડેમોક્રેટ્સે કહ્યું છે કે તેઓ ત્રણ મંત્રીઓની નિમણૂકને લઈને રાષ્ટ્રપતિના સંબોધનમાં ભાગ લેશે નહીં. તમને જણાવી દઈએ કે વિપક્ષી દળોએ ત્રણ મંત્રીઓની નિમણૂકનો વિરોધ કર્યો હતો. આમ છતાં સરકારે ત્રણ સભ્યોને ફરી મંત્રી બનાવ્યા.

વિપક્ષી દળોએ તેમના સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, એમડીપી અને ડેમોક્રેટ્સ બંને માને છે કે આપણે આપણા લાંબા સમયના સહયોગીઓ સાથે સંબંધો બગાડવા જોઈએ નહીં. માલદીવના લોકોની સુખાકારી માટે તે દેશોને ધ્યાનમાં લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જે અમારા વિકાસ ભાગીદાર છે. દેશની દરેક સરકારે તેમની સાથે સારા સંબંધો રાખવા જોઈએ. માલદીવ પરંપરાગત રીતે આવું જ કરે છે. હિંદ મહાસાગરમાં સ્થિરતા હશે તો માલદીવમાં પણ સ્થિરતા આવશે અને વિકાસ શક્ય બનશે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ માલદીવ સરકારે ચીનના જહાજોને તેના બંદર પર આવવાની પરવાનગી આપી છે. મુઈઝુના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના પછી બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. હવે માલદીવના વિદેશ મંત્રીએ કહ્યું છે કે ભારતીય સેનાના જવાનોને 10 મે સુધીમાં પરત મોકલી દેવામાં આવશે. પ્રથમ ટુકડી 10 માર્ચે જ પરત ફરશે. દિલ્હીમાં આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ અંગે સહમતિ બની હતી.

આ  પણ  વાંચો  - IMD : દિલ્હીમાં વરસાદ બાદ તાપમાન 11 ડિગ્રીએ પહોંચ્યું, લોકોને ઠંડીથી રાહત…

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Gujarat Rain: રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

featured-img
આંતરરાષ્ટ્રીય

G7 Summit 2025 માટે PM મોદી તૈયાર! કેનેડામાં G7 સમિટને કવર કરતા હિંદ ફર્સ્ટ નેટવર્કના CEO ડૉ. વિવેક ભટ્ટ

featured-img
Top News

PM MODI IN CYPRUS : PM મોદીને સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન 'ગ્રેન્ડ ક્રૉસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ' એનાયત

featured-img
ક્રાઈમ

Ahmedabad : ચોપાનિયાના નામે ચરી ખાતો કથિત પત્રકાર નકલી નોટો સાથે ઝડપાયો

featured-img
Top News

TAMILNADU : માછીમારો 60 દિવસ બાદ સમુદ્રમાં ઉતર્યા, આતશબાજી સાથે કરી શરૂઆત

featured-img
Top News

Iran-Israel War : 'રાત્રે ઉંઘી નથી શકતા, ઘરે જવું છે', ઇરાનમાં ફસાયેલા ભારતીયોની પીડા

Trending News

.

×