Mahrashtra : Eknath Shinde બાદ હવે Ajit Pawar એ કરી પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષીઓને આપ્યો જડબાતોડ જવાબ...
- Mahrashtra માં CM પદને લઈને હજુ પણ ચર્ચા વિચારણા!
- Ajit Pawar પ્રેસ કોન્ફરન્સ કરી વિરોધીઓ પર કર્યા પ્રહાર
- EVM ને લઈને કરી રહેલા વિરોધ પર કહી મોટી વાત
મહારાષ્ટ્ર (Mahrashtra )માં મુખ્યમંત્રી પદ માટે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. અજિત પવારે પ્રેસ કોન્ફરન્સ કરીને EVM ને લઈને વિરોધ પક્ષો પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, EVM ને લઈને જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેમાં કોઈ સત્ય નથી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માં મહાયુતિએ 235 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, પરંતુ વિરોધ પક્ષો EVM માં ગડબડનો આરોપ લગાવી રહ્યા છે. અજિત પવારે કહ્યું કે, તેઓ દિલ્હીમાં અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે, જ્યાં મહાયુતિ સરકારમાં મુખ્યમંત્રી અને મંત્રીઓના નામ નક્કી કરવામાં આવી શકે છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 141 બેઠકોની જરૂર છે અને ભાજપ એકલો જ બહુમતીની નજીક છે. આવી સ્થિતિમાં શિંદે જૂથ અને અજિત પવાર કેમ્પને મળતા મંત્રાલયોની સંખ્યા ઘટી શકે છે અને એકનાથ શિંદે માટે ફરીથી મુખ્યમંત્રી બનવું મુશ્કેલ છે.
મહારાષ્ટ્ર (Mahrashtra) વિધાનસભા ચૂંટણી 2024 માં મહાગઠબંધનમાં સામેલ ત્રણ પક્ષો સૌથી મોટા પક્ષો છે. સૌથી વધુ 132 સીટો ભાજપના ખાતામાં ગઈ છે. શિવસેના (શિંદે જૂથ)ને 57 અને NCP (Ajit Pawar)ને 41 બેઠકો મળી છે. વિપક્ષી પાર્ટીઓના મહા વિકાસ અઘાડી ગઠબંધનને કુલ 49 બેઠકો મળી હતી, જ્યારે મહાયુતિને 235 બેઠકો મળી હતી. શિવસેના (ઉદ્ધવ જૂથ)ને 20, કોંગ્રેસને 16 અને NCP (શરદ પવાર)ને 10 બેઠકો મળી હતી. સમાજવાદી પાર્ટીને પણ બે બેઠકો મળી છે. ત્યારથી વિપક્ષી નેતાઓ ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવી રહ્યા છે.
#WATCH | Delhi | NCP chief Ajit Pawar says, "In the parliament election, EVM was fine because the result was in their (Maha Vikas Aghadi) favour. In assembly elections, the result is different and hence they are blaming the EVM..."
Ajit Pawar says, "Our party was a national… pic.twitter.com/f3F4u1wDIa
— ANI (@ANI) November 28, 2024
આ પણ વાંચો : Jharkhand : હેમંત સોરેને CM પદના શપથ લીધા, INDIA ગઠબંધનના તમામ નેતાઓ રહ્યા હાજર...
દિલ્હીમાં અમિત શાહ સાથે મહાયુતિના નેતાઓની બેઠક...
અજિત પવારે (Ajit Pawar) પ્રેસ કોન્ફરન્સમાં એ પણ સ્પષ્ટ કર્યું કે, તેઓ દિલ્હીમાં અમિત શાહ સાથે એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવાના છે. આ બેઠકમાં મહાયુતિના અન્ય નેતાઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે અને મહારાષ્ટ્ર (Mahrashtra)માં CM નું નામ પણ નક્કી થઈ શકે છે. મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ આ ગઠબંધન સરકાર બનાવશે તે નિશ્ચિત છે, પરંતુ આ બેઠકમાં CM અને મંત્રીઓના નામ નક્કી થઈ શકે છે. મહારાષ્ટ્ર (Mahrashtra)માં સરકાર બનાવવા માટે 141 સીટોની જરૂર છે અને એકલી ભાજપ બહુમતીની ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં શિંદે જૂથ અને અજિત પવાર (Ajit Pawar) કેમ્પને મળતા મંત્રાલયોની સંખ્યા ઘટી શકે છે. એકનાથ શિંદે માટે ફરીથી CM પદ મેળવવું મુશ્કેલ છે.
આ પણ વાંચો : PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી